________________
કન્યાપક્ષે ગાતી દેવાંગનાઓએ પ્રભુના પક્ષ માટે મશ્કરીભર્યાં ગીતો સાંભળી તે પક્ષે પણ સામી મશ્કરી. કરતાં ગીતો ગાવાં શરૂ થયાં. બન્ને પક્ષ જાણે વિવાદમાં ઊતર્યા. ઋ ષભદેવ અને સુનંદા તથા સુમંગલા જાણે એકબીજા સાથે દૃષ્ટિ મિલન દ્વારા રચાતા પ્રતિબિંબોથી વધુ શોભાયમાન બન્યા.
ઋ ષભદેવે બન્ને સાથે પાણિગ્રહણ કર્યું એ સમયે હાથના સંપુટમાં ઈન્દ્રે વીંટી નાખી. લગ્નની વેદિકામાં પ્રગટાવેલાં અગ્નિની તેજરેખાઓ આ મધુર મિલનની ક્ષણોને ઉજ્જવળ બનાવતી હતી. ઈન્દ્રે છેડા-છેડી બાંધી અને અષ્ટ મંગળ ગીતો ગવાયા. ઈન્દ્ર - ઈન્દ્રાણીઓએ નર્તન શરૂ કર્યા. કોઈએ સુમધુર સ્વરમાં અને વાજિંત્રો સાથે ગીતો શરૂ કર્યા.
સમગ્ર વિવાહ મહોત્સવ ઉજવાયા પછી આગળ વાજિંત્રો અને ધવલ મંગળ ગીતોની સાથે દિવ્ય વાહનમા બેસી ઋ ષભદેવ અને સુનંદા – સુમંગલા સાથે પોતાના સ્થાને પાછા પધાર્યા. આ રીતે વિવાહકર્મ એટલે શું અને તેની ક્રિયાઓની જાણ તે લોકોમાં થઈ. મહાપુરુષો અન્ય માટે ઉદાહરણરૂપ આચારો રાખે છે.
લગ્ન પછી કંઈક ન્યૂન છ લાખ પૂર્વ જેટલો સમય પસાર થયા પછી સર્વાર્થ સિદ્ધ વિમાનથી ચ્યવી બાહુ અને પીઠના જીવ આવીને સુમંગલાની કુક્ષિમાં અને સુબાહુ અને મહાપીઠના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને સુનંદાની કુક્ષિમાં યુગલિકરૂપે ઉત્પન્ન થયા.
સુમંગલાએ ગર્ભ ધારણ કર્યા પછી ચૌદ મહાસ્વપ્ન જોયાં અને તેનો પ્રભાવ જાણ્યો ત્યારે પ્રભુએ કહ્યું કે તેની કુક્ષિમાંથી એક મહાન પુત્ર જન્મશે જે ભવિષ્યમાં ચક્વર્તિ રાજા થશે. સમય જતાં સુમંગલાએ ભરતને બ્રાહ્મીને જન્મ આપ્યો. યુગલિક ધર્મ અનુસાર સુનંદાએ પણ પુત્ર-પુત્રી તરીકે બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યો. આ પછી સુમંગલાએ યોગ્યા - યોગ્ય કાળમે બીજા ઓગણપચાસ જોડલાને જન્મ આપ્યો જે તમામ પુત્રો થયા. આ તમામ દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા.
ધીમે ધીમે કલ્પવૃક્ષનો પ્રભાવ ઘટવા લાગ્યો. યુગલિયાઓ અગાઉ સ્થપાયેલી હાકાર, માકાર અને ધિક્કાર નીતિનો ઉલ્લંઘન કરવા લાગ્યા. આથી અંદરોઅંદર અશાંતિ ફેલાણી.
યુગલિકોએ પ્રભુને ફરિયાદ કરી એટલે તેમણે તેઓને નાભિરાજા પાસે મોકલ્યા. નાભિરાજાએ વાત સાંભળી, સાંત્વન આપતા કહ્યું કે ‘હવે ઋ ષભ તમારો રાજા થશે.' યુગલિકો ઋ ષભદેવ પાસે આવ્યા અને રાજ્યાભિષેક માટે જળ વગેરે સામગ્રી લેવા ગયા. આ જ સમયે ઈન્દ્રનું આસન કંપિત થયું અને તેણે જાણ્યું કે પ્રભુનો રાજ્યાભિષેક થવાનો છે એટલે તરત જ તેણે દેદીપ્યમાન અને મણિ-માણેકથી સુશોભિત ઈન્દ્રાસન તૈયાર કર્યું. કુબેરે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી વિનીતા નગરી બનાવી. દિવ્ય વસ્ત્રો અને અલંકારો લાવી, પ્રભુને પહેરાવી તેમને રાજ્યના સિંહાસન પર સ્થાપિત કર્યા. કપાળમાં રાજતિલક કરવામાં આવ્યું. મુગટ ધારણ કરાયેલું પ્રભુનું મસ્તક ખરેખર પ્રભાવશાળી રાજા તરીકે શોભી રહ્યું હતું. વિનીતા નગરીને કોઈ યુદ્ધમાં જીતી શકે તેમ ન હતા આથી તેને પાછળથી અયોધ્યા તરીકે ઓળખવા લાગ્યા. અયોધ્યામાં ધન અને ધાન્યની સમૃદ્ધિ હતી. આખી નગરીમાં મકાનો અને હવેલીઓ મણિ, માણેક, સ્ફટિક અને રત્નોથી બનાવેલી હતી. કુબેરનો ભંડાર અખૂટ હોય છે. એથી વિનીતાનગરીની સમૃદ્ધિનો પણ પાર ન હતો. લોકો ધનાઢ્ય હતા.
ઋ ષભદેવ પોતાની પ્રજાને પ્રેમપૂર્વક પાળવા લાગ્યા. જે બુદ્ધિશાળી હતા તેમને રાજ્યમાં ઊંચા પદે સ્થાપ્યા અને જે અપ્રમાણિક કે ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા તેમને શિક્ષા પણ થતી. આજના સમયમાં જેમ પોલીસતંત્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાં જાળવવાનું કાર્ય કરે એ રીતે ઋ ષભદેવે ખાસ માણસોની નિમણૂંક
Jain Education International
-(૨૯)-----
For Private & Personal Use Only
www.jainelibrary.org