________________
આકાશ શોભી ઊઠે એ રીતે માતા શોભી રહ્યાં હતાં. પૂર્વ દિશામાંથી જાણે મંગલ વધાઈ આપવાની હોય એવી લાલિમા પ્રગટી ઊઠી. કસુંબલ રંગનું આકાશ પણ તીર્થંકર પરમાત્માના આગમનથી હર્ષોલ્લાસમાં આવી ગયું હોય એવું પ્રસન્ન બની ગયું હતું. ચારે બાજુએ અપ્સરાઓ વડે શોભાયમાન મરુદેવા માતાએ રાત્રિ સમયે દેવોના થયેલા આવાગમન વિષેનું વૃત્તાંત નાભિરાજાને કહ્યું ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો.
માતાએ જોયેલાં ચૌદ મહાસ્વપ્નોમાં પ્રથમ વૃષભને જોયો હતો અને પ્રભુના સાથળ પર વૃષભનું ચિન્હ હતું એટલે તેમનું નામ ઋ ષભ પાડવામાં આવ્યું. તેમની સાથે જ યુગલિક તરીકે જન્મેલી કન્યાનું શ૨ી૨ મંગલમય હતું એ વિચારી તે કન્યાનું નામ સુમંગલા રાખ્યું. પ્રભુના અંગૂઠામાં અમૃત હતું એટલે તે અક્ષય અમૃતનું પાન કરવા લાગ્યા. પાંચે અપ્સરાઓ તેમને ઘડીભર પણ અળગા કરવા તૈયાર ન હતી. આ જોઈને મરુદેવા માતા પોતાની મમતા પુત્રને ન આપી શકવાથી દુઃખ અનુભવતા હતા. પરંતુ તીર્થંકર પરમાત્મા સ્વભાવથી જ કોઈને દુઃખી ન કરે એવા હોય એટલે તેમણે પણ માતાને પોતાની આંખ, મુખ, કર્ણયુગલ વગેરે દ્વારા માતાને પ્રભાવિત કરી માતાને સુખનો અનુભવ કરાવ્યો.
પ્રભુ એક વર્ષના થયા ત્યારે પહેલા દેવલોકનો ઈન્દ્ર વંશની સ્થાપના ક૨વા આવ્યા. તેમની પાસે શેરડીનો એક સાંઠો લઈ આવ્યા. નાભિરાજાના ખોળામાં બેઠેલા પ્રભુએ અવધિજ્ઞાનથી ઈન્દ્રનો વિચાર જાણી લીધો અને શેરડી લેવા હાથ લંબાવ્યો. ઈન્દ્રે પણ પ્રભુના ભાવને વધાવી લીધો. આ રીતે પ્રભુએ શેરડી (ઈક્ષુ) ગ્રહણ કરી એ માટે આ ત્રણ જગતના સ્વામી ઋ ષભદેવ પરમાત્માનો ઈશ્વાંકુ વંશ સ્થાપી ઈન્દ્ર પોતાને સ્થાને પાછો ગયો.
દ૨ેક તીર્થંકરને જન્મથી ચાર અતિશયો હોય છે તે પ્રમાણે પ્રભુને પણ ચા૨ અતિશયો હતા જેવા કે (૧) પરસેવો, ૨ોગ, મળ વગેરે રહિત સુગંધી અને કમળ જેવી કાંતિવાળું શરીર (૨) ગાયના દૂધ જેવા શ્વેત રંગનું માંસ અને રૂધિ૨વાળું શરીર (૩) લોકોની દૃષ્ટિ ન પડે એવો આહાર (૪) વિકસિત અને સુગંધિત કમળની સુવાસ જેવો શ્વાસ. આ રીતે આ ચાર અતિશયોથી પ્રભુ શોભતા હતા. પ્રભુ પોતાની રીતે જ સમર્થ હતા એ રીતે ધીમે ધીમે વૃદ્ધિ પામવા લાગ્યા. ચંદ્ર જેવા શીતળ, સૂર્ય જેવા તેજસ્વી અને અષાઢી મેઘ જેવા ગંભી૨ નાદવાળા હતા એટલે સૌ કોઈ તેમની સાથે ક્રીડા ક૨વા ઉત્સુક હતા. દેવતાઓ પણ પ્રભુ સાથે બાલક્રીડા ક૨વા માટે આતુર હતા. દેવો સાથે પ્રભુ ૨મત ૨મતા ત્યારે દેવો ખુશ રહે એવા પ્રયત્નો કરતા હતા. દેવો અલગ અલગ રૂપ લઈ, પંખી કે પ્રાણી તરીકે રૂપ ધારણ કરી ભગવાનને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા.
સામાન્ય રીતે બાલ્યાવસ્થા પૂર્ણ થયાં પછી બીજા તીર્થંકરો ઘરમાં તૈયાર કરેલું ભોજન લે છે, પરંતુ ઋ ષભદેવ તો કલ્પવૃક્ષોના ફળો અને ક્ષીર સમુદ્રોનું પાણી પીને સંતોષ માનતા. તેમની સેવામાં ઈન્દ્રો, યક્ષો, ધ૨ણેન્દ્ર, વરૂણ અને બીજા અનેક દેવો જુદા જુદા સંગીત, નાટક, નૃત્ય વગેરે દ્વા૨ા ભગવાનને ખુશ રાખવા
લાગ્યા.
ધીમે ધીમે પ્રભુ બાલ્યાવસ્થા પૂર્ણ કરી યૌવન અવસ્થા પામ્યા. સુંદર અંગોપાંગથી તે ખૂબ જ પ્રિયપાત્ર બની ગયા.
એક દિવસ એક બાળયુગલ બાલોચિત ીડા કરતું હતું. તેઓ એક તાડવૃક્ષની નીચે હતા, ત્યાં અચાનક કર્મયોગે તાડફળ નીચે પડ્યું એથી તેમાંના બાળકના મસ્તક પર પડતા તે મૃત્યુ પામ્યો. બાલિકાનું નામ સુનંદા હતું. તેને તેના માતપિતા ઘેર લઈ ગયા અને તેને ઉછેરી મોટી કરી પરંતુ માતા - પિતાનું મૃત્યું થયું.
માતા - પિતાની ગેરહાજરીમાં સુનંદા એકલી પડી ગઈ. એક વખત સુનંદા જંગલમાં ફરતી હતી. તે જોઈ કેટલાક યુગલિકો તેને નાભિરાજા પાસે લાવ્યા. નાભિરાજાએ તેનું તમામ વૃત્તાંત સાંભળ્યું. અને તેને પોતાની
Jain Education International
૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org