________________
છે સનતકુમાર ઈન્દ્ર પોતાના બાર લાખ વિમાનવાસી દેવતાઓના પરિવાર સાથે સુમનસ નામના વિમાનમાં, તે માહેન્દ્ર પોતાના આઠ લાખ વિમાનવાસી દેવો સહિત શ્રીવત્સ નામના વિમાનમાં, બ્રહ્મન્દ્ર ચાર લાખ વિમાનવાસી દેવો સાથે નંદાવર્ત નામના વિમાનમાં, લાંતક નામે ઈન્દ્ર પચાસ હજાર દેવતાઓ સહિત કામગવ નામના વિમાનમાં, શુક્ર નામના ઈન્દ્ર ચાલીસ હજાર દેવતાઓના સમૂહ સાથે પ્રીતિગમ નામે વિમાનમાં, સહસ્ત્રાર નામના ઈન્દ્ર મનોરમ નામે વિમાનમાં છ હજાર દેવતાઓ સહિત, વિમળ નામના વિમાનમાં આનત અને પ્રાણત દેવલોકનો સ્વામી ચારસો વિમાનવાસી દેવતાઓના પરિવાર સહિત તેમજ આરણ તથા અશ્રુત દેવલોકનો ઈન્દ્ર ત્રણસો દેવતાઓ સહિત સર્વતોભદ્ર નામના વિમાનમાં બેસી પ્રભુના જન્મોત્સવમાં આવી પહોંચ્યા.
આ સમયે ભુવનપતિ અને વ્યંતરના ઈન્દ્રોનાં આસન કમ્યા. અમર નામના વિમાનમાં રહેલા અમરેન્દ્ર અવધિજ્ઞાનથી ભગવાનના જન્મ વિષે જાણ્યું અને પોતાના દ્રુમ નામના સેનાપતિની પાસે ઓઘસ્વરા નામનો ઘંટ વગાડાવ્યો. તે પોતાના ચોસઠ હજાર સામાનિક દેવો, આત્મરક્ષક દેવો, લોકપાળ, મહિષીઓ અત્યંતર, મધ્ય અને બાહ્ય એમ સાત પ્રકારના સૈન્ય, સેનાધિપતિઓ વગેરે સાથે પાંચસો યોજન ઊંચા મોટા ધ્વજવાળું અને પચાસ હજાર યોજનાના વિસ્તારવાનું વિમાન લઈ જન્મોત્સવમાં આવી પહોંચ્યા.
આ જ રીતે બલિ નામના ઈન્દ્ર પણ પોતાની વિવિધ સેના અને દેવતાઓના પરિવાર સાથે મેરુપર્વત ઉપર આવી પહોંચ્યા.
આ ઉપરાંત નાગકુમાર દેવલોકમાંથી ધરણેન્દ્ર ભુતાનંદ નામે નાગેન્દ્ર, વિદ્યુતકુમાર દેવલોકના હરિ અને હરિસિંહ નામના ઈન્દ્રો, વેણુદેવ અને વેણદારી નામના સુવર્ણકુમાર દેવલોકના ઈન્દ્રો તેમજ અગ્નિશીખા અને અગ્નિમાણવ, વેલમ્બ અને પ્રભંજન, સુઘોષ અને મહાઘોષ, જલકાંતિ અને જલપ્રભ, પૂર્ણસંજ્ઞ અને અવશિષ્ટ તેમજ અમિત અને અમિતવાહન નામના ઈન્દ્રો અનુમે અગ્નિકુમાર, વાયુકુમાર, મેઘકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર અને દીકુમાર નામના દેવલોકમાંથી આવી પહોંચ્યા. આ રીતે આ વીસ ઈન્દ્રો ભવનપતિના ઈન્દ્રો થયા.
એ જ રીતે વ્યંતર નિકાયના સોળ ઈન્દ્રોકાલ અને મહાકાલ નામના પિશાચેન્દ્ર, સુરૂપ અને પ્રતિરૂપ નામનાં ભૂત, પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના યક્ષેન્દ્ર, ભીમ અને મહાવીર નામના રાક્ષસેંદ્ર, કિન્નર અને કિંગુરુષ નામે કિન્નરેન્દ્ર, સપુરુષ અને મહાપુરૂષ નામના કિંપુરૂષ નિકાયના ઈન્દ્રો તેમજ અતિકાય, મહાકાય બને મહોરગેન્દ્ર અને ગીતરતિ અને ગીતયશ નામના ગંધર્વેન્દ્ર મળી પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા.
વાણ વ્યંતર નિકાયના ઈંદ્ર સન્નિહિત અને સમાન નામે અપ્રજ્ઞપ્તિ ઈન્દ્રો, પંચ પ્રજ્ઞપ્તિના ઈન્દ્રધાતા અને વિધાતા, ઋષિવાદિતના ઈન્દ્ર ઋષિ અને ઋષિપાલક, ભુતવાદિતના ઈન્દ્ર ઈશ્વર અને મહેશ્વર, ક્રોદિતના ઈન્દ્ર સુવત્સક અને વિશાલક, મહાદતના ઈન્દ્રો હાસ અને હાસતિ, શ્વેત અને મહાશ્વેત નામે કૂષ્મડિના ઈન્દ્રો તેમજ પક્વ અને પક્વપતિ નામના પવકેન્દ્રો પ્રભુનો જન્મોત્સવ ઉજવવા સૂર્ય અને ચંદ્ર નામના બે ઈન્દ્રો સહિત કુલ ચોસઠ ઈન્દ્રો મેરુપર્વતના શિખર પર આવી પહોંચ્યા. આ પછી અય્યત ઈન્દ્રના હુકમથી અભિયોગિક દેવો દ્વારા તૈયાર કરાયેલા એક યોજન ઉંચા એવા (૧) માટીના (૨) રત્નના (૩) રૂપાના (૪) સોનાના (૫) સોના તેમજ રૂપાના (૬) સોના તેમજ રત્નના (૭) સોના, રૂપા ને રત્નના અને (૮) રૂપા તથા રત્નના એમ આઠ પ્રકારના, એક યોજનાના (નાળચા) મુખવાળા, ધુપ જેવા સુગંધી પદાર્થોથી સુવાસિત કરેલા દરેક જાતિના એક હજારને આઠ આઠ કળશો તૈયાર કરાવ્યા. એ જ રીતે ઝારી, દર્પણ, રત્નના કરંડિયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org