________________
છે અજોડ પાલક વિમાન બનાવ્યું. ધ્વજપતાકા, તોરણો અને પગથિયાઓથી સુશોભિત વિમાન અત્યંત પ્રકાશથી તે દેદીપ્યમાન બન્યું હતું. તેના ઉપર જડેલાં રત્નોનાં કારણે પ્રકાશની તેજ રેખા અંકાતી હતી. આવા વિમાનમાં ઈન્દ્ર પોતાની સ્વરૂપવાન આઠ પટરાણીઓ સાથે પૂર્વ દિશાની સોપાન શ્રેણીની હર્ષથી પ્રદક્ષિણા કરી સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. ત્યાર પછી અન્ય દેવતાઓ પોતપોતાના આસન પર આરૂઢ થયા. સમજુ અને વિવેકી લોકો હંમેશા વડીલો સાથેનો વ્યવહાર ઉલ્લંઘતા નથી.
વિમાનની આગળ પતાકાઓથી શોભતો અઢાર યોજન ઊંચો એક ઈન્દ્રધ્વજ ફરકી રહ્યો હતો. રત્નમય પુતળીયોનાં હારબંધ પ્રતિબિંબોથી ચમકતા આ વિમાનમાં સૌધર્મઇન્દ્ર જેમ આકાશમાં તારાઓથી વીંટળાયેલ ચંદ્ર શોભે એ રીતે શોભી રહ્યા હતા.
દુદુભિનાદથી નૃત્ય કરતા ગંધર્વોનો તથા વાજિંત્રોનો અવાજ ચારે બાજુ પડઘાવા લાગ્યો. બીજા બત્રીસ લાખ વિમાનોથી વીંટળાયેલ આ પાલક વિમાન વાયુ વેગે ચાલવા લાગ્યું. બધાં વિમાનોના દેવતાઓ પોતે ઝડપથી શ્રી તીર્થંકર પરમાત્માના દર્શનાર્થે બીજા કરતા વહેલા પહોંચવા ઝડપથી આગળ વધી રહ્યાં હતાં. વિમાનોની શ્વેત પતાકાઓ જાણે હારબંધ ઊડતા બગલાઓ જેવી લાગતી હતી. મેઘધનુષના રંગો દેવાંગનાઓ પર પ્રતિબિંબિત થતાં દેવાંગનાઓના રૂપમાં વધારો થતો હતો.
થોડીવારમાં અસંખ્ય દ્વીપો અને સમુદ્રોને ઝડપથી પસાર થતાં વિમાનોમાં સૌ પ્રથમ સૌધર્મ ઈન્દ્રનું પાલક વિમાન નંદીશ્વર દ્વીપમાં આવ્યું. રતિકર પર્વત પાસે પહોંચતા ઈન્દ્ર તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. વચ્ચે વચ્ચે ફરી વિમાનના કદ પ્રમાણ વિસ્તારી અને ઘટાડીને દ્વીપો અને સમુદ્રો પસાર કરતા પાલક વિમાન જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં પ્રથમ તીર્થંકર પ્રભુના જન્મસ્થાનની નજીક આવી પહોંચ્યું. પ્રભુની સૂતિકાગૃહની પ્રદક્ષિણા કરી, ઈશાન ખૂણામાં વિમાનનું સ્થાપન કર્યું.
વિમાનમાંથી ઊતરીને માતા સહિત પ્રભુને પ્રદક્ષિણા કરી પ્રણામ કરી, અંજલિ જોડી સ્તુતિ કરતા તેણે માતાને કહ્યું, “હે ત્રણ જગતની માતા ! આપ જય પામો. તમારા નામના સ્મરણથી લોકોનું દારિદ્ર દૂર થશે. જગદીપક સમાન પુત્રને આપે જન્મ આપ્યો છે. હું આપને નમસ્કાર કરું છું. હે દેવી! તમે ધન્ય છો. હું આપના પુત્ર જે પ્રથમ તીર્થકર થવાના છે તેમનો જન્મોત્સવ કરવા અહીં આવ્યો છું.” આ પ્રમાણે કહીને ઈન્દ્ર મરુદેવા માતાને અવસ્વાપિની નિદ્રા આપી અને પ્રભુનું પ્રતિબિંબ તેમની પાસે સ્થાપ્યું.
આ પછી પંચ પરમેષ્ઠીના મુખ્ય પરમાત્મા માટે આ મહોત્સવ હોવાથી ઈન્દ્ર પોતાના પાંચરૂપ કર્યા, એક રૂપે પ્રભુ પાસે આવી, પ્રણામ કરી, નમ્રતાપૂર્વક આજ્ઞા માગી ભગવાનને પોતાના બે હાથથી ગ્રહણ કર્યો. બીજા રૂપે પાછળ ચાલતાં ઈન્દ્ર ભગવાનના મસ્તક પર શ્વેત છત્રને ધારણ કર્યું. બીજા બે રૂપ વડે ઉજ્જવળ કાંતિવાળા, વિશાળ, સુંદર અને નિર્મળ એવા ચામરો ધારણ કર્યા.
એક રૂપે ભગવાનની આગળ વજ ધારણ કર્યું. આ રીતે પાંચ રૂપ ધરી ઈન્દ્ર આકાશમાર્ગે આગળ વધ્યો. તેમની પાછળ દેવોના વિમાનો પણ એકબીજાની હરિફાઈ કરતા આગળ વધતા હતા.
દેવોના વિશાળ સમુદાય સાથે સૌધર્મેન્દ્ર બન્ને હાથ વડે પ્રભુને લઈ મેરુપર્વત પર પહોંચ્યો. ત્યાં પાંડુક વનમાં દક્ષિણ ચૂલિકાની ઉપર અતિપાંડુકબલા નામની શિલા ઉપર સ્નાત્રાભિષેક માટે શાશ્વત સિંહાસન હતુ. તેના પર પ્રભુને પોતાના ખોળામાં લઈને બેઠા. ઘંટનાદ થવાથી બીજા અઠ્ઠાવીસ લાખ વિમાનવાસી દેવોથી વીંટળાયેલ, ત્રિશુળના હથિયારવાળો, વૃષભના વાહનવાળો, ઈશાનંદ્ર પોતાના પુષ્પક વિમાનમાં બેસી ત્યાં આવી પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org