SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટયો પરંતુ પાછળથી યુગલિકોમાં કલ્પવૃક્ષ માટે અંદરોઅંદ૨ ઈર્ષાનો ભાવ જાગ્યો. ત્યારથી યુગલિકો પર અંકુશ જરૂરી બન્યો. આ અંકુશ રાખનાર રાજા કહેવાયો. આ રીતે બનેલા રાજાઓમાં વિમલવાહનથી શરૂ કરી અનુક્ર્મ ચક્ષુષ્કૃત, યશસ્વી, અભિચંદ્ર, પ્રસેનજીત અને મરુદેવ પછી સાતમાં રાજા ત૨ીકે નાભિરાજાનું શાસન થયું. નાભિરાજાના આ સમયે ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ, ત્રણ વર્ષ અને સાડા આઠ મહિનાનો સમય બાકી હતો ત્યારે અષાઢ વદિ ચોથના દિવસે મરુદેવાના ગર્ભમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી વજ્રનાભના જીવનું ચ્યવન થયું. જે રીતે ભમરાથી કમળની શોભા વધે એ રીતે માતાની કુક્ષીમાં વજ્રનાભના ચ્યવનથી માતાની શોભામાં વૃદ્ધિ થઈ. આ સમયે ત્રણે લોકમાં પ્રકાશ ફેલાયો. મરુદેવા માતાએ એક રાત્રિએ ચૌદ મહાસ્વપ્નો જોયાં. એ સ્વપ્ન નીચે પ્રમાણે હતાં. પહેલા સ્વપ્નમાં ઉજળો, પુષ્ઠ શ૨ી૨વાળો અને લાંબી પૂચ્છવાળો વૃષભ જોયો. એ પછી ચાર પ્રકારના ધર્મભેદ - દાન, શિયળ, તપ અને ભાવને બતાવતો ચાર દંતશૂળવાળો સફેદ હાથી જોયો. ત્રીજા સ્વપ્નમાં લાંબી જીભવાળો અને લાંબા કેશવાળા સિંહને જોયો. ચોથા સ્વપ્નમાં પદ્મ સરોવરમાં લક્ષ્મીદેવી, વિવધ પ્રકારનાં કલ્પવૃક્ષોના પુષ્પોમાંથી બનેલી સુંદર પુષ્પમાળા, પાંચમાં સ્વપ્નમાં અને છઠ્ઠા સ્વપ્નમાં ચારે તરફ પ્રકાશ ફેલાવનાર અને શાંતિ આપનાર ચંદ્રને જોયો. સાતમાં સ્વપ્નમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર સૂર્યને, આઠમા સ્વપ્ને મહાન ધ્વજ અને નવમાં સ્વપ્નમાં જળથી પૂર્ણ ભરેલા સુવર્ણકુંભને જોયાં. એક એક સ્વપ્ન જોતા માતાના આનંદનો પાર ન રહ્યો. દરેક સ્વપ્ન એક એકથી ચડિયાતા હોવાનો ભાસ થયો. દસમાં સ્વપ્નમાં નિર્મળ જળમાં વિકસેલાં કમળોથી શોભતું, મોહક અને માદક એવું પદ્મસરોવર જોયું. મનને આનંદ પમાડનાર અને પ્રભુના સ્નાનથી પવિત્ર બનેલ જળ સાથેનો ક્ષીરસમુદ્ર અગિયા૨માં સ્વપ્નમાં જોયો. ખરેખર મહાસ્વપ્નોનાં દર્શન એ જ આત્મા કરી શકે જેના પુણ્યોદય મહાન હોય ! બારમું સ્વપ્ન એવું તો અદ્ભુત હતું કે તે જોઈ મરુદેવા માતાનો હર્ષોલ્લાસ સમાતો ન હતો. તે સ્વપ્નમાં હતું દેવવિમાન. આ વિમાન જાણે મોક્ષસુખનું આહ્વાન આપતું હતું. તેરમાં સ્વપ્નમાં રંક જનોનું દારિદ્ર મટાડનાર રત્નરાશિના દર્શન થયા. અંતિમ ચૌદમાં સ્વપ્નમાં માતાએ નિર્ધમ અગ્નિને જોયો જે પ્રભુએ પૂર્વજન્મે કરેલાં તપના તેજસમૂહની સાક્ષી પૂરતો હતો. આ રીતે ઉત્તમ ચૌદ સ્વપ્નોને માતાએ મુખમાં પ્રવેશતા જોયાં, જે ચૌદ રાજલોકના સ્વામીના જન્મનું સૂચન કરતાં હતા. માતાના હર્ષનો પાર ન રહ્યો. તેમણે સ્વપ્ન વિષેની વાત નાભિરાજાને કહી ત્યારે તેમણે પોતાની બુદ્ધિ અને સમજ અનુસાર સ્વપ્નનું પરિણામ બતાવતા કહ્યું કે કોઈ ઉત્તમ પુરુષના જન્મની આ નિશાની છે. આ સમયે ઈંદ્રનું આસન કંપ્યું એટલે ઈન્દ્રએ આસન કંપવા માટેનું કારણ શોધવાનો પ્રયત્ન કર્યો. બધા ઈન્દ્રો એકઠા થયા. અને માતાને સ્વપ્નોનું ફળ કહેવા માતા સમક્ષ આવી પહોંચ્યા. તેઓએ ભાવપૂર્વક માતાને પ્રણામ કર્યા પછી સ્વપ્નનું ફળ કહેતા આ પ્રમાણે કહ્યું : “હે દેવી ! આપને આ સ્વપ્નોનું ઉત્તમ ફળ પ્રાપ્ત થવાનું છે. આપે જોયેલો વૃષભ એ વાતની સાક્ષી પૂરે છે કે આપનો પુત્ર સંસારમાં ખૂંચી ગયેલાં આત્માઓને બહાર લાવી શકવાનું સામર્થ્ય ધરાવશે. હાથી એ બાબત દર્શાવે છે કે આપનો પુત્ર સંસારનાં કર્મરૂપી જંગલોને મૂળમાંથી ઊખાડી નાખવા સમર્થ થશે. સિંહના દર્શનનો અર્થ એ થયો કે તેનામાં સિંહ જેવી તાકાત હશે. લક્ષ્મીદેવીનો પ્રભાવ એ સૂચવે છે કે તે લોકોનું દારિદ્ર દૂર કરી શકશે. પુષ્પમાળા બતાવે છે કે તે લોકોના હૃદય જીતી લેશે અને લોકો તેમની આજ્ઞાનું પ્રેમથી Jain Education International 1-(૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy