SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પામી હતી, તેથી તેનો પુણ્યોદય વધુ સ્થિર થયો. એક વખત શ્રીમતી અને તેની સહેલીઓ સર્વતોભદ્ર નામના મહેલની અટારીમાં સુંદર દૃશ્ય જોવા માટે ભેગા થયા. આકાશમાર્ગે આવતા દેવવિમાનો કોઈ મુનિવરનો કેવળજ્ઞાન મહોત્સવ કરવા જઈ રહ્યાં હતાં. શ્રીમતીએ આ વિમાનો જોયા અને તેને અચાનક જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને તરત જ મુર્છા પામીને પૃથ્વી પર પડી. શ્રીમતીની સખીઓએ વિવિધ ઉપચારો વડે તેની મુર્છા દુર કરવાના પ્રયત્નો કરવા લાગી. જ્યારે શ્રીમતી બરાબર ભાનમાં આવી ત્યારે તે વિચારવા લાગી કે પૂર્વભવમાં તે લલિતાંગ દેવની પ્રિયા હતી. અત્યારે તે ક્યાં હશે તેની ખબર ન હતી. તેથી તે મૌન બેઠી હતી. તેની સખીઓએ તેને બોલાવવા ઘણાં પ્રયત્ન કર્યા, પરંતુ તેણે કોઈ પ્રતિભાવ ન આપ્યો. અંતે તેની માતા સમાન સ્થાન જેનું હતું તે પંડિતા ત્યાં આવી. તેણે જ્યારે શ્રીમતીને મૌન રહેવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે પૂર્વભવનું વૃત્તાંત કહી સંભળાવ્યું. પંડિતાએ આ આખું વૃત્તાંત એક પટ ઉપર ચિતરાવ્યું. આ બાજુ વસેન ચક્વર્તિની વર્ષગાંઠ હોવાથી અનેક રાજાઓ, મહારાજાઓ, રાજકુમારો વગેરેને આમંત્રણ આપવામાં આવ્યું. આ વખતે પંડિતા પેલો ચિતરાવેલો પટ લઈને રાજમાર્ગ પર ઊભી રહી. રાજકુમારો, રાજાઓ તેમજ મહારાજાઓ આવતા ગયા, આ પટના વખાણ કરતા ગયા અને એ રીતે આગળ વધતા ગયા. આ ચિત્રપટમાં નંદીશ્વર દ્વીપનું પણ આબેહૂબ ચિત્રણ કરવામાં આવ્યું હતું. તેમાં રહેલાં જિનચૈત્યને જોઈ કેટલાક રાજકુમારો જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરીને આગળ વધતા ગયા. આ સમય દરમિયાન દુર્રાન્ત નામનો એક રાજકુમાર પસાર થયો. આ ચિત્રપટ જોઈને તે તરત જ મુર્છા પામ્યો. એ પટ પોતાના જ પૂર્વભવનું આલેખન છે, એવી વાત કરી. તે પોતે જ લલિતાંગ દેવ છે એવું જણાવ્યું. આ સાંભળી પંડિતાએ તેને પટમાં રહેલા સ્થળોને ઓળખી બતાવવા કહ્યું અને તે જવાબ ન આપી શક્યો. તેનું કપટ પકડાઈ ગયું તેની ચાલ છતી થઈ ગઈ અને શરમ અનુભવી ચાલતો થયો. થોડો સમય પસાર થયો ત્યાં લોહાર્ગલ નગરના રાજા સવર્ણજંઘ રાજાનો પુત્ર વર્જ્યઘ પણ ત્યાં આવી પહોંચ્યો. તેણે પણ પંડિતાએ બિછાવેલો પટ જોયો અને જાતિસ્મરણજ્ઞાન થયું. પટ પર આલેખાયેલી ચિત્રકૃત્તિ પોતાના જ પૂર્વભવનું વૃત્તાંત છે એવું જ્ઞાન થવાથી તે મુર્છા પામ્યો. તેના પર ઉપચાર કરાતા તે ભાનમાં આવ્યો. પંડિતાએ તેને મુર્છા પામવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે પોતાના પૂર્વભવ વિષે વાત કરી. પંડિતાએ ખાતરી કરવા ચિત્રપટ પરની માહિતી, સ્થળો તથા પાત્રોને ઓળખી બતાવવા કહ્યું. ત્યારે તેણે લલિતાંગ દેવ તરીકેનો પોતાનો પૂર્વભવ અને શ્રીમતીનો પૂર્વભવ બરાબર વર્ણવ્યો. તેથી પંડિતાએ શ્રીમતી પાસે જઈ તે મુજબ વાત કરી. જે રીતે મેધના આગમનથી ચાતક પક્ષી રોમાંચનો અનુભવ કરે, એ રીતે શ્રીમતી પણ આનંદ અનુભવવા લાગી. તેના શરીરમાં પ્રિયતમના પુનર્મિલનની રોમાંચક ક્ષણો સ્વપ્ન બનીને લહેરાવા લાગી. વાંઘ પણ શ્રીમતીને મળીને આનંદ અનુભવવા લાગ્યો. તે થોડા દિવસ શ્રીમતીના સહવાસને માણવા ત્યાં રોકાયો પછી રાજાની આશા લઈ, પોતાના નગરમાં ગયો, સાથે શ્રીમતી પણ કમળના પુષ્પની જોડી જેમ શોભી રહી હતી. સુવર્ણજંધ રાજાએ બન્નેને પ્રેમપૂર્વક આવકાર્યા. થોડા સમય પછી વજંઘને ગાદી સોંપી સુવર્ણજંઘ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું. આ રીતે રાજ્યની લગામ વાંઘ પર આવી. તેણે ખૂબ જ વિનય, વિવેક અને પ્રેમપૂર્વક પ્રજાનું જતન કરી ખૂબ જ લોકચાહના મેળવી. શ્રીમતી સાથે સ્વર્ગીય સુખ ભોગવતા પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. ..(૯ Jain Education International For Private & Personal Use Only ------ www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy