________________
પ્રગટ થયાં. ત્યાંથી પ્રભુ આલંભિકા નામની નગરીએ ગયા. ત્યાં પણ પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ જોઈને વિદ્યુતકુમારનાદેવહરિદેવપ્રભુ પાસે આવ્યા. ત્રણ પ્રદક્ષિણા દઇને તેણે પ્રભુને કહ્યું, “હે પ્રભુ!આપે ઘણા ઉપસર્ગો સહન કર્યા, હવે માત્ર થોડા ઉપસર્ગો જ સહન કરવાના બાકી છે. આ પછી તમને ચાર ધાતિકર્મોનો નાશ થતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે.” આવી વાણી ઉચ્ચારી તે ભકિતભાવથી પ્રભુને વંદન કરી પોતાના સ્થાને ગયો. અહીંથી વિહાર કરી પ્રભુ શ્રાવતી નગરીએ પધાર્યા. ત્યાં નગરીની બહાર કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ સમયે તે નગરીના લોકો અન્ય દેવની પ્રતિમાને વંદન કરવા જતા હતા તે ઇન્દ્ર અવધિજ્ઞાનથી જોયું. તરત જ ઈન્દ્ર વિચાર્યું કે આ લોકો અવિવેકી લાગે છે. પ્રભુને છોડીને કોઇ પ્રતિમાને વંદન કરવા જાય છે. ઇન્દ્ર તે પ્રતિમામાં પ્રવેશ કર્યો. તે પ્રતિમા પ્રભુ
જ્યાં હતા તે તરફ ચાલવા લાગી. લોકો આશ્ચર્યથી આ જોવા લાગ્યા. તે પ્રતિમાએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા. આ ઘટના જોઈ લોકોએ પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી પ્રભુ મિથિલા નગરી પધાર્યા ત્યાં જનકરાજાએ તથા ધરણેન્દ્ર પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી (વિશાખાપુરી) નગરીમાં આવ્યા. ત્યાં દીક્ષા લીધા પછીનું અગિયારમું ચોમાસું થયું. ચારમાસક્ષમણતપ કરવાનો નિશ્ચય કરી જ્યારે પ્રભુ ત્યાં કાયોત્સર્ગમાં સ્થિર થયા, ત્યારે નાગકુમારના ભૂતાનંદ ઇન્દ્ર આવીને પ્રભુને વંદના કરી અને પ્રભુને કેવળજ્ઞાન નજીકમાં થવાનું છે એવી વાત કરી સ્વસ્થાને ગયો.
આ નગરીમાં જીર્ણશેઠ (જિનદત્ત) નામે એક શ્રાવક રહેતો હતો. તેણે પ્રભુને કાયોત્સર્ગે રહેલા જોયા એટલે તેણે બીજે દિવસે તેના ઘેર પ્રભુને પારણું કરવા વિનંતી કરી. પ્રભુને તો ચાર માસક્ષમણનું તપ હતું એટલે પારણું કરવાના દિવસ સુધી જિનદત્તે રાહ જોઇ. અંતે પારણાનો દિવસ આવ્યો તેથી જિનદત્ત માન્યું કે આજે તો પ્રભુ જરૂર પધારશે. આખી નગરી શણગારી પારણા માટે તે પૂરી તૈયારી કરી પ્રભુની રાહ જોવા લાગ્યો. પરંતુ પ્રભુ તો એક અજાણ્યા શ્રેષ્ટિ - અભિનવ શ્રેષ્ઠિના ઘેર ગયા. ત્યાં શેઠની આજ્ઞા મુજબ તેણે પ્રભુને અડદના બાકુળા પહેરાવ્યા. આ સમયે દેવદુંદુભી થઈ. ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં.
આ વખતે જિનદત્ત શેઠને ખૂબ જ દુ:ખ થયું. તેણે પારણા માટે કરેલી બધી તૈયારીનકામી ગઇ. પારણું કર્યા પછી પ્રભુ અન્ય ઉદ્યાનમાં ગયા ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના એક કેવળી શિષ્ય પ્રભુને પુછયું, “આ નગરીમાં સૌથી વધુ પુણ્યશાળી કોણ છે, પ્રભુ?'' આ સાંભળી પ્રભુએ જિનદત્તશેઠનું નામ આપ્યું ત્યારે સૌને પ્રશ્ન થયો કે અભિનવ શ્રેષ્ટિએ તો પ્રભુને પારણું કરાવ્યું હતું, તે જ સૌથી પુણ્યશાળી ગણાય ને ? પ્રભુએ સમાધાન આપતા કહ્યું, ‘જિનદત્ત શેઠે આમ તો ભાવથી અહંત પ્રભુને પારણું કરાવ્યું છે. એમણે દેવદુંદુભી સાંભળી એટલે જ તે ધ્યાનથી ચલિત થયા, જો આમન થયું હોત તો તેમની કેવળજ્ઞાન પ્રાપ્તિની ક્ષપકશ્રેણિ મંડાઇ ગઇ હોત. માટે તે વધુ પુણ્યનો સમૂહ ઉપાર્જન કરે છે. અભિનવ શેઠે ભાવ વિના માત્ર નોકર દ્વારા જ પારણું કરાવ્યું. તેથી તેને માત્ર દ્રવ્યની જ પ્રાપ્તિ થઈ છે.” આ વાત સાંભળી સૌને યથાર્થ સ્થિતિ સમજમાં આવી. આ પછી પ્રભુ વિહાર કરી અશોકખંડ નામના ઉધાનમાં અશોકવૃક્ષની નીચે અઠ્ઠમ તપ કરી રાત્રે પ્રતિમા ધારણ કરી ઉભા રહ્યા.
આ વખતે એવું બન્યું કે પૂરણ નામના એક તાપસ દીક્ષા લીધા પછી ચમરેન્દ્ર થયો હતો. તરત તેણે અવધિજ્ઞાનથી બીજા ભુવનો જોયા. ત્યાં તેણે પોતાની ઉપર કેન્દ્રને જોયા. તેથી તે વિચારવા લાગ્યો “આ કોઇ અધમ દેવ મારા પર છે.' આમ વિચારી તે શકેન્દ્રને જીતવા માટે કોઇ બળવાનનું શરણું શોધતો સુસુમારપુરમાં આવ્યો. ત્યાં તેણે શ્રી વીર પ્રભુને પ્રતિમાએ રહેલા જોયા. અવધિજ્ઞાનથી જોતા તેને ખ્યાલ આવ્યો કે સૌથી બળવાનનું શરણું અહીંજ મળે એમ છે. તે પ્રભુને વંદન કરી આયુધશાળામાં ગયો અને શકેન્દ્રને જીતવા તેમની સભામાં ગયો. શકેન્દ્ર તેના પર વજનો પ્રહાર કર્યો, તેથી પોતાને બચાવવા તે શ્રી વીર પ્રભુના શરણમાં આવ્યો. શક્રેન્દ્ર અવધિજ્ઞાનથી આ
(194)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org