________________
કે
- સંગમ ઉપદ્રવ કરતા થાકતો નહતો. પ્રભુ તે ઉપદ્રવપૂર્ણ સમતાભાવે સહન કરતા હતા. હાથી પણ પ્રભુની
સમાધિને ચલિત ન કરી શક્યો, એથી સંગમે હાથણી ઉત્પન્ન કરી, હાથણી તો મરતક અને તીણદાંત વડે પ્રભુ પર પ્રહાર કરવા લાગી. અંતે હાથણી થાકીને સ્થિર થઇ ગઇ. - એક પછી એક દાવ નિષ્ફળ જતા સંગમે ભયાનક પિશાચનું રૂપ લીધું. અટ્ટહાસ્ય કરતો તે ફંફાડા મારતો
હાથમાં શસ્ત્ર લઇ દોડી આવ્યો, છતાં તે પ્રભુના સાન્નિધ્યમાં દીપક જેમ બુઝાઈ ગયો. - આ પછી ત્રિશુલ જેવા નખગ્રવાળો અને વજ જેવી દાઢોવાળો વાઘ બની સંગમ પ્રભુને ત્રિશુળ જેવા
નખથી ઉપદ્રવ કરવા લાગ્યો. આ વખતે પણ સંગમ નિષ્ફળ ગયો. - સંગમને લાગ્યું કે વીર પ્રભુ ગમે તે મુશ્કેલીમાં પણ તેનું તપ છોડતા નથી તેથી તે સિદ્ધાર્થ રાજાનું રૂપ ધારણ કરી આવ્યો, અને કહ્યું,
શા માટે તે અતિદુષ્કર તપ આદર્યું છે? તારો ભાઇનંદિવર્ધન અને વૃદ્ધાવસ્થામાં એકલો મૂકીને ગયો છે.” આ સાંભળ્યા છતાં પણ પ્રભુ પર કોઈ અસર ન થઇ એટલે સંગમ દેવ ત્રિશલામાતાનું રૂપ ધરીને આવ્યો.
ખૂબ જ વિલાપ કર્યો, છતાં પણ પ્રભુ તેમના ધ્યાનથી ચલિત થયા નહીં. - એક પછી એક દાવ નિષ્ફળ ગયા. એટલે સંગમે એક છાવણીમાં માણસો ઉત્પન્ન કર્યા. તેઓએ રસોઇ માટે તૈયારી કરી, પરંતુ પથ્થરો મળ્યા નહીંએટલે રસોયાએ પ્રભુના બે પગ વચ્ચે અગ્નિ પ્રગટાવી તેના પર ભાતનું વાસણ મૂકયું. દાવાનળની જેમ અગ્નિ પ્રભુના પગને દઝાડવા લાગ્યા. છતાં પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. - આ પછી ચાંડાળનું રૂપ લીધું. તેણે પ્રભુનાં ગળામાં, બે કાનમાં બે ભુજામાં અને જંઘા પર મુક પક્ષીઓનાં પાંજરા લટકાવ્યા. તે પક્ષીઓએ ચાંચના પ્રહારથી પ્રભુના શરીર પરસેંકડો છિદ્રો કર્યા. છતાં પણ પ્રભુ પર કાંઇ અસર થઇ નહીં. - સંગમે વાવાઝોડા જેવો જોરદાર પવન ઉત્પન્ન કર્યો. આ પવને પ્રભુને ઉપાડીને નીચે ફેંક્યા. છતાં પ્રભુ ચલિત
થાય? અંતે પ્રભુ પાસે તેનું કાંઇ ચાલ્યું નહીં. તેથી તેણે પ્રભુને મારી નાખવાનો ઉપાય વિચાર્યો.
સંગમે કાળચક ઉત્પન્ન કર્યું. ખૂબ જ વજનદારચક્ર ઉપાડી પ્રભુ પર ફેંકયું. આ ચક્રના પ્રહારથી પ્રભુ જાનુ સુધી પૃથ્વીમાં ઊતરી ગયા. પ્રભુ તો માનતા હતા કે આ રીતે કર્મનો ક્ષય થાય છે. જરા પણ ગુસ્સો કર્યા વગર આ તમામ ઉપસર્ગો સહન કરતા હતા.
છેવટે સંગમ દેવે કહ્યું, “આપની ઉગ્ર તપશ્ચર્યાથી આપની મહાનતાનો મને ખ્યાલ આવ્યો છે. માટે હે પ્રભુ ! મને માફ કરો.'
આ રીતે સંગમે વીસ ઉપસર્ગો કર્યા, પરંતુ પોતે હવે ક્યા મોઢે સ્વર્ગમાં પાછો જઈ ઇન્દ્ર પાસે માફી માગે, એવું સમજી તે જવું કે નહીં એમ વિચાર કરતા સંગમ પાછો આવ્યો, ત્યારે કેન્દ્ર તેને ઠપકો આપી તેને સ્વર્ગમાંથી કાઢી મૂક્યો. આથી તે મેરૂની ચૂલિકાએ રહ્યો.
આ પછી પ્રભુએ છ મહિનાના ઉપવાસનું પારણું ગોકુળ ગામમાં એક વૃદ્ધ ગોવાલણને ત્યાં કર્યું. ત્યાં પંચ દિવ્ય
(193)..........
.
L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org