SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબ જ સારવાર કરી, અંતે નમસ્કાર મહામંત્રનાં પાઠ સંભળાવ્યા. તે બન્ને વાછરડાં મૃત્યુ પામી કંબલ અને સંબલ નામે દેવો થયા. આ રીતે પૂર્વભવના સંસ્કારથી તેમણે પ્રભુ પર થતા ઉપસર્ગોમાંથી પ્રભુને બચાવ્યા. શુભકર્મ પુણ્યાનુબંધી પુણ્યકર્મનું જ્યારે પરિણામ બને છે, ત્યારે તેની અસર અન્ય જીવોની માટે પણ ઉપકારક બને છે. શ્રી વીર પ્રભુ આ રીતે નાવમાં બેસી ગંગા પાર કરી ગુણાગ નામે પ્રાંતમાં આવ્યા. ત્યાંથી આગળ ચાલતા ગયા ત્યારે પાછળ પુષ્પ નામના એક સામુદ્રિકે પ્રભુનાં પગલાંની રેખા જોઇ. તે જોઈને તેણે માન્યું કે આવાં પગલાં તો કોઈ ચક્રવર્તીનાં હોવા જોઈએ. તે પાછળ પાછળ ચાલવા લાગ્યો. જ્યારે તેણે પ્રભુને જોયાત્યારે તેણે વિચાર્યું, “મારું જ્ઞાન ખોટું નિકળ્યું. આ ચક્રવર્તી કયાં છે ? આ તો કોઈ ભિક્ષુક લાગે છે. માં ચક્રવર્તી રાજા ને ક્યાં આ સાધુ?' આવું વિચારતા તે સામુદ્રિક પોતાનાં શાસ્ત્રોને દરિયામાં ફેકવા તૈયાર થયો. આ સમયે ઇન્દ્રમહારાજાએ અવધિજ્ઞાનથી જોયું અને અનર્થ થઇ જશે એમ વિચારીને કહ્યું, તારું સામુદ્રિકશાસ્ત્ર સાચું છે. આ કોઇ રાજામહારાજાનથી, પરંતુ આ તો ત્રણ લોકના સ્વામી એવા મહાન ધર્મચકવર્તી છે.'' આ સાંભળતાપુષ્પને સાચી વાત સમજાણી. પોતાની ભૂલ બદલ માફી માગતા તે પ્રભુનાં ચરણોમાં ઢળી પડ્યો અને વંદન કરી ચાલતો થયો. કર્મરાજાની સાથે સંઘર્ષ ખેલતા અને પોતાની સાથે સમાનું શસ્ત્ર ધારણ કરી પ્રભુ વિહાર કરતા કરતા રાજગૃહી નગરી પાસે નાલંદા નામના પ્રદેશમાં પધાર્યા. પ્રભુનું એક જ ધ્યેય હતું કે તપ દ્વારા કર્મોનો નાશ અને પાપકર્મી આત્માને કર્મબંધમાંથી છોડાવી તેનો ઉદ્ધાર કરવો. આ સ્થળે આવી પ્રભુ માસક્ષમણ કરી અર્જુન નામના એક વણકરને ત્યાં કાયોત્સર્ગ માટે સ્થિર થયા. આ સમયે ચિત્ર જાણનાર અને બનાવીને વેચનારમખલી નામે એક માણસ પોતાની પત્ની સાથે આ પ્રદેશમાં આવ્યો. ત્યાં તેમને એક પુત્રની પ્રાપ્તિ થઇ. આ પુત્રનો જન્મ અર્જુન વણકરની ગૌશાળામાં થયો હતો એટલે એનું નામ ગોશાળો રાખ્યું. સમય પસાર થતો ગયો. ગોશાળો મોટો થયો પરંતુ પૂર્વભવનાં કર્મના ઉદયે એ માતાપિતા સાથે કલેષ કરવા લાગ્યો. માતાપિતાથી તે દૂર રહેવા લાગ્યો. ગમે તેના ઘરે ભિક્ષા માગી તે પોતાનો જીવનનિર્વાહ કરતો. એક વખત પ્રભુ માસક્ષમણના પારણા માટે વિજય નામના એક શેઠનાં ઘેર ગયા. પોતાનાં ઘેર પ્રભુ પધાર્યા એના ઉત્સાહમાં વિજય શેઠે ભકિતપૂર્વક પ્રભુને પારણું કરાવ્યું. આ સમયે આકાશમાં “અહો દાન” એવી ઘોષણા થઇ અને દેવતાઓએ પંચદિવ્યો પ્રગટાવ્યાં. ગોશાળાને આ વાતની ખબર પડી એટલે તેને થયું કે આ રીતે પ્રભુ સાથે રહેવાથી પોતાને પણ આવો લાભ મળે એટલે તેણે ચિત્રવેચવાનું કામ છોડી દીધું અને પ્રભુના શિષ્ય તરીકે રહેવાનું નકકી કરી તે પ્રભુ પાસે આવ્યો અને નમીને બોલ્યો : “હે ભગવન્! હું તમારા જેવા મહામુનિનો પ્રભાવ આજ સુધી જાણી શક્યો ન હતો, પરંતુ આજથી તમે મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો.” પ્રભુતો મૌન રહ્યા છતાં તે પ્રભુની સાથે રહેવા લાગ્યો. પ્રભુએ બીજું અને ત્રીજું ચોમાસું ઉત્કૃષ્ટપણે પૂર્ણ કર્યું અને ઉત્તમ અન્નથી તેમણે પારણું કર્યું, ત્યારે ગૌશાળાને પણ આવા અન્નનો લાભ મળ્યો. .. 183 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy