________________
દરમિયાન બળદો ત્યાં વાગોળતા વાગોળતા આવી પહોંચ્યા અને પ્રભુ પાસે જ આવીને બેઠા. પેલો ગોવાળ આખા ગામમાં ફરી થાકીને પાછો ત્યાં આવ્યો અને તેના બળદોને પ્રભુ પાસે વાગોળતા બેઠેલા જોયા. તેણે આ જોઈને વિચાર્યું, “આ મહાત્માએ. જ મારા બળદો સંતાડ્યા હશે, તે આ બળદોને લઈ જવા માંગતો હશે, એટલે જ મને જવાબ આપતો ન હતો. ” આવો વિચાર કરીને તે પાસે પડેલ એક દોરડું લઈ પ્રભુને મારવા દોડડ્યો.
આ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. કેન્દ્ર અવધિજ્ઞાનથી જોયું અને ગોવાળને અટકાવીને કહ્યું, “અરે પાપી ! આ સિદ્ધાર્થ રાજાના પુત્ર છે, તે તું નથી જાણતો?''
આ રીતે ગોવાળનો ઉપાર્ગ અટકાવી ઇન્દ્ર પ્રભુને વિનંતી કરતા કહ્યું, “પ્રભુ! આ સાડા બાર વર્ષ બહુકપરાં આવે છે, વિપત્તિઓની ઝડી વરસશે, આપના ઉપર ઉપસર્ગોની પરંપરા સર્જાશે, માટે હેત્રિલોકપતિ!જો આપની આજ્ઞા હોય તો આ સાડા બાર વર્ષ હું આપની રક્ષા કરું અને આપ નિર્વિને સાધનાના પંથે આગળ વધો. ”
પરમાત્મા તો કર્મના સિદ્ધાંતને માનનારા હતા. તેમણે કહ્યું, “હેઇન્દ્ર!અહંતો કદી બીજાની સહાયની આશા રાખતા નથી. મોક્ષ કોઇના દેવાથી મળતો નથી. જિનેન્દ્રો કેવળ પોતાના જ બળથી આગળ વધે છે. મોક્ષનું મૂલ્ય સાધકે પોતે જ પોતાની સાધનાથી મેળવવું જોઇએ. મારો સાધનામાર્ગ હું જનકકી કરીશ. અન્ય કોઇની સહાયથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવી યોગ્ય નથી.” - આ રીતે સહાય મહાવીર પ્રભુ માટે બંધન રૂપ હતી. તેઓ માનતા હતા કે કોઇના ખભા ઉપર બેસી મોક્ષ મેળવવા કરતા પોતાના બળથી આગળ વધીને મુકિતના માર્ગે પહોંચવું યોગ્ય છે.
આ પછી પ્રભુના માસીનો પુત્ર જે બાળ તપસ્વી હતો, તે તપના પ્રભાવથી સિદ્ધાર્થ નામે વ્યંતર થયેલો હતો તે આવ્યાં. ઇન્દ્ર મહારાજે તેને ભગવંતને થતા ઉપસર્ગો નિવારવા માટે મૂકો અને તે પોતાનાં સ્થાને ગયા. - સવારે પ્રભુ કોલ્લાગ સંનિષમાં ગયા. પ્રભુનાં તેજ અને સૌન્દર્યથી આકર્ષાયને યુવક-યુવતીઓ તેમનું સાન્નિધ્ય ઇચ્છવા લાગ્યા. તેથી પ્રભુ ત્યાંથી વિહાર કરી મોરાક સંનિવેષમાં આવ્યા. ત્યાં દુઇજ્જત નામે તાપસીના આશ્રમમાં સિદ્ધાર્થ રાજાનો મિત્રકુલપતિ રહેતો હતો, ત્યાં એક રાત્રિ રહ્યા. તેણે પ્રભુને ચોમાસુ ત્યાં રહેવા આગ્રહ કર્યો. ત્યાં ઘણો સમય પસાર થયો - એક વખત પ્રભુ આશ્રમની બહાર કાઉસગ્ગ ધ્યાને સ્થિર હતા, ત્યારે કેટલીક ગાયો આશ્રમમાં ઘાસ ખાવા આવી. ત્યાંથી તાપસોએ તે ગાયોને કાઢી મૂકી એથી એ ગાયો પ્રભુ જે ઝૂંપડીમાં રહ્યાં હતા ત્યાં ઘાસ ખાવા લાગી પરંતુ પ્રભુએ તેની દરકાર કરી નહીં. તાપસીએ ફરિયાદ કરી કે આ મુનિ તેની ઝૂંપડીનું રક્ષણ કરતા નથી. આ સાંભળી તેના કુલપતિએ મીઠા શબ્દોમાં કહ્યું, “તમે તો ક્ષત્રિય છો, ઉત્તમ કુળનાં સંસ્કાર અને ધર્મ પ્રમાણે તમારું કર્તવ્ય રક્ષણ કરવાનું છે. તમે કેમ આ ફરજની ઉપેક્ષા કરી?' આ સાંભળી પ્રભુએ વિચાર્યું કે પોતાના નિમિત્તે આ લોકો અધર્મ પામશે અને અપ્રીતિનું કારણ ઊભું થશે. આવું વિચારી વર્ષાકાળ હોવા છતાં પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. એ સમયે તેમણે પાંચ અભિગ્રહો ધારણ કર્યા. આ અભિગ્રહો નીચે પ્રમાણે હતા.
(૧) જ્યાં અપ્રીતિ થાય ત્યાં વસવું નહીં. (૨) જ્યાં રહેવું ત્યાં કાયોત્સર્ગમાં જ રહેવું (૩) શક્ય હોય ત્યાં સુધી મૌન જ રહેવું.
-=
TO 8 મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org