________________
(૫)
ગહસ્થીનો તિ
(૪) હાથમાં (કરપાત્રમાં) જ ભોજન કરવું.
ગૃહરથીનો વિનય કરવો નહીં. આ રીતે સમય પસાર કરતા પ્રભુ પંદર દિવસ પછી અસ્થિક ગામે આવ્યા. અહીંના લોકોએ પ્રભુને આ પ્રમાણે છે વૃત્તાંત કહી સંભળાવ્યું.
અસ્થિકગામ પહેલા વર્ધમાન ગામ તરીકે ઓળખાતું હતું. બાજુમાંથી વેગવતીનામ નદી પસાર થતી હતી. એક વખત ધનદેવનામે વણિક કરિયાણાના પાંચસો ગાડા ભરીને ત્યાંથી પસાર થયો. તે નદીમાં કાદવ હતો, તેથી તેના ગાડા એ નદીમાં ફસાઇ ગયાં. ઘણી મહેનત કરવા છતાં એ ગાડા નીકળ્યા નહીં. તેમાં એક બળદ સશકત હતો. તેને આગળ કરીને તે વેપારીએ બધાં ગાડા જોતરી લીધાં. આટલો બધો ભાર વહન કરવાથી તે બળદખૂબ જ થાકી ગયો. તે અંતે મરણતોલ દશામાં આવી ગયો. તે વણિકે ગામના વૈદ્યોને બોલાવી તેની સારવાર કરી પરંતુ તે બળદ હજી પણ અશક્ત હતો. ચોમાસું બેસવાની તૈયારીમાં હતું, તેથી તે વણિક તે બળદને ગામમાં છોડીને ગયો. તેણે ગામલોકોને બળદની સારસંભાળ માટે પૈસા પણ આપ્યા હતા. ગામલોકોએ તે પ્રમાણે તે બળદની સારવાર કરી તેથી ભૂખ-તરસ અને દર્દથી પીડાતો બળદ અંતે મરણ પામ્યો અને શૂલપાણી નામે તે વ્યંતર થયો. તેની પાસેનાં જ્ઞાનથી તેણે જાણ્યું કે આ ગામલોકોએ પોતાની સંભાળ લીધી ન હતી. ગામવાસીઓ પરબદલો લેવાની ભાવનાથી તેણે ગામમાં મરકીનોરોગ ઉત્પન્ન કર્યો. ગામના લોકો મૃત્યુ પામતા ગયા. તેમનાં અસ્થિના ઢગલા થયા તેથી ગામનું નામ અસ્થિક ગામ પડ્યું. અનેક ઉપાયો છતાં રોગ પર કાબુ ન થયો. છેવટે તેઓએ દેવોને રીઝવવા માટેના પ્રયત્ન કરી કહ્યું,
“હે દેવતાઓ, અસુરો, યક્ષો, કિન્નરો ! અમારાથી કોઇ અપરાધ થયો હોય તો અમને કહો, અમને પ્રસન્ન થાઓ !'
તરત જ શૂલપાણિ યક્ષે કહ્યું,
“આ અસ્થિઓ પડ્યા છે, તેનો સંગ્રહકરો; તેની ઉપર એક ઊંચું મંદિર બનાવો, તેમાં વૃષભ રૂપે મારી મૂર્તિની સ્થાપના કરો ને રોજ પૂજા કરો તો જ સૌને જીવતા મૂકીશ.'
આ સાંભળીગામલોકોએ ઇન્દ્રશર્માનામના બ્રાહ્મણને તે મુજબ ક્રિયા કરવા રોકાયો.આજે આ ગામ અસ્થિક નામથી પ્રખ્યાત છે. લોકોએ શૂલપાણિના કહેવા પ્રમાણે ત્યાં મંદિર પણ બનાવ્યું છે. ”
આ વાત કરતા કરતા લોકોએ પ્રભુને ત્યાં રાતવાસો કરવામાં જોખમ છે એવું કહ્યું. પરંતુ પ્રભુ તો મૌન રહ્યા અને ત્યાં જ રાત્રિરોકાણ કર્યું. પ્રભુકાયોત્સર્ગમાં સ્થિર થયા અને શૂલપાણિ વ્યંતરે પ્રભુના આખા શરીર પર અમાનૂપી વેદના આપવાનું શરૂ કર્યું. પ્રભુ માટે તો આ તમામ પરિસ્થિતિ સરખી જ હતી. એમના ચહેરા પર કયાંય ગુસ્સો કે લેષભાવની એક રેખા પણ હતી નહીં. અંતે થાકીને તે બંતર નવાઇ પામી પ્રભુને કહેવા લાગ્યો,
હે કરુણાનિધિ ! તમારો મેં અપરાધ કર્યો છે. મેં તમારી શક્તિ જાણ્યા વગર અનેક અપરાધો કર્યા છે. મને
માફ કરો. ''
આ સાંભળી સિદ્ધાર્થ વ્યંતરે શૂલપાણિને પ્રભુની ઓળખ કરાવી તેથી શૂલપાણિને પોતાની ભૂલ સમજાણી.
_
*
(179)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org