________________
કુમાર સાથે લગ્ન માટે મોકલે છે. મંત્રીઓએ સિદ્ધાર્થ રાજાને સમરવીર રાજાનો સંદેશ કહ્યો ત્યારે તેમણે કહ્યું કે વર્ધમાનકુમાર તો જન્મથીજસંસારથી વિરક્ત છેતેથીતેમની પાસે લગ્ન સંબંધી વાત કરી શકાતી નથી, છતાં તેમના મિત્રો દ્વારા આ વાત કહેવરાવશું. સિદ્ધાર્થ રાજાએ ત્રિશલાદેવીને આ વિષે વાત કરી. કઇ માતા પુત્રના ઉત્તમ કન્યા સાથેના વિવાહથી આનંદ ન પામે ? ત્રિરાલા માતાએ તરત જ વર્ધમાનકુમારના મિત્રોને તૈયાર કર્યા અને વિવાહ સંબંધી વાત કરવા તેમની પાસે મોકલ્યા. મિત્રો પણ જાણતા હતા કે વર્ધમાન ભલે તેમના મિત્ર હતા, પરંતુ સંસારમાં તેમનું મન ન હતું, છતાં તેઓ વર્ધમાનકુમાર પાસે ગયા અને માતા-પિતાની ઇચ્છા પૂરી કરવા યશોદા નામે કન્યા સાથે લગ્ન કરવા વિનંતી કરી. એક મિત્રે કહ્યું, ‘“જેમ અનાસક્તિ સાથે તમે રાજમહેલમાં રહો છો અને એક યોગી જેવું જીવન જીવી રહ્યા છો; એવી જ અનાસક્તિથી યશોદા સાથે લગ્ન કરી તેના પતિ તરીકે ન રહી શકો ?
""
માતા - પિતાની ઇચ્છા સામે વર્ધમાનકુમાર વિચાર કરે છે કે એક બાજુ માતાનો આગ્રહ અને બીજી બાજુ સંસારનાં પરિભ્રમણ નો ભય છે; પરંતુ ગર્ભમાં પણ માતાને દુઃખ ન થાય એ માટે અંગો સંકોચી લીધાં હતાં. તો અત્યારે તેમના મનને લગ્નનીનાપાડતાખૂબજદુઃખલાગશે. કદાચ ભોગાવલિકર્મ બાકી હોય તોપણતેને ભોગવ્યા વગર ચાલશે નહીં. આ રીતે વિચાર કરી વર્ધમાન કુમારે માતાને લગ્ન માટે સંમતિ આપી. માતાના હર્ષનો પાર નરહ્યો. તેમણે સિદ્ધાર્થ રાજાને વાત કરી.
એક પવિત્ર દિવસે વર્ધમાન કુમારના લગ્નયશોદા સાથે નકકી થયાં. લગ્નનાં ગીતો ગવાયા. વર્ધમાનકુમાર અને યશોદા સંસારના નાટકનાં પાત્રો બનીગયાં, છતાં વર્ધમાનકુમારતો વિષયસુખને અનાસક્ત ભાવે ભોગવતા હતા. નિકાચિત ભોગાવલિ કર્મ ધીમે ધીમે ખરતું જતું હતું. થોડા સમય પછી પ્રિયદર્શના નામે પુત્રીના પિતા બન્યા પછી પ્રભુ સંસારનો ત્યાગ કરવા ઉત્સુક બન્યા. આ સમયે તેમની ઉમર અઠયાવીસ વર્ષની હતી. થોડા સમયમાં પિતા સિદ્ધાર્થ રાજા અને માતા ત્રિશલા દેવી મૃત્યુ પામ્યા. આ બનાવથી વડીલભાઇ નંદિવર્ધન, રાજ પરિવારના અન્ય સભ્યો તેમજસમગ્ર પ્રજાજનો શોકની લાગણીઅનુભવતા હતા, જ્યારે પ્રભુ એ વખતે આ બનાવને કર્મનાં પરિણામ તરીકે જોતા હતા. હવે તેઓ આ સંસારથી મુક્ત થઇ શકશે, એવું મનમાં નકકી કરી તેઓ વડીલ બંધુ નંદિવર્ધન પાસે દીક્ષા લેવાની આજ્ઞા લેવા ગયા. નંદિવર્ધન તો શોકગ્રસ્ત હતા. પિતાના અવસાનથી રાજ્યની જવાબદારી તેમના પરઆવી હતી. માતાના મૃત્યુનો આઘાત હજુ તો શમ્યો નહતો, ત્યાં તે આ રીતે પોતાનાનાનાભાઇને દીક્ષાગ્રહણ માટે કઇ રીતે સંમતિ આપે? છતાં નંદિવર્ધને બે વર્ષ પછી દીક્ષા લેવાની હા પાડી.
તેમના આત્માના તમામ પ્રદેશો પર મોહરાજાનો કબજો જોરદાર હતો. પરંતુ વિરાગી વર્ધમાન સામે વડીલ નંદિવર્ધનને નમતું આપવું પડયું.
પ્રભુ તો વડીલ બંધુની આજ્ઞાને પિતાની આજ્ઞા માની સંસારના સુખને વિરક્ત ભાવથી ભોગવવા લાગ્યા. તેમણે નંદિવર્ધનને કહ્યું, ‘“મારા નિમિત્તે કોઇસુખની બાબતો કરાવશો નહીં. તો જ હું આપની આજ્ઞા પ્રમાણેરહું
',
આ રીતે પ્રભુ દીક્ષા લેવા તત્પર થયેલા છતાં વિનયની વેલી તેમના સંસારને પણ સુંગધથી ભરી દેતી.
પ્રભુનો દીક્ષાઅવસર જાણી એક વર્ષ પહેલા લોકાંતિકદેવોએ આવી વિનંતીકરી,‘“હેપ્રભુ!તીર્થપ્રવર્તાવો!'' દેવોની આજ્ઞા અનુસાર પ્રભુનું સંસારની માયાજાળમાંથી મુક્ત થવાનું સ્વપ્ન સાકાર રૂપ ધારણ કરે છે. ત્યારથી પ્રભુએ વાર્ષિક દાન આપવાનું શરૂ કરવા નિર્ધાર કર્યો.
---
Jain Education International
175
For Private & Personal Use Only
www.jainelibrary.org