________________
જ પરિણામ સર્જે છે!
રિપુપ્રતિશત્રુ રાજાએ તે નગરના વડીલોની હાજરીમાં પોતાની પુત્રી મૃગાવતી સાથે લગ્ન કર્યા, ત્યારે તેઓ || લજ્જાથી કાંઈ કરી શકયા નહીં, પરંતુ ભદ્રારાણી ખૂબ જ ગુસ્સે થઈ અને પોતાના કુંવર અચલકુમારને લઈ ચાલી ગઈ. માહેશ્વરી નગરી સ્થાપી તે ત્યાંનો રાજા થયો.
વિશ્વભૂતિનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવીને રિપુપ્રતિશત્રુ રાજાની મૃગાવતી રાણીની કૃષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે સમયે મૃગાવતી રાણીને વાસુદેવના આગમનને સૂચક સાત સ્વપ્ન આવ્યાં. સમયાંતરે મૃગાવતીએ પીઠમાં ત્રણ પાંસળીવાળા પુત્રને જન્મ આપ્યો, તેથી તેનું નામ ત્રિપૃષ્ટ રાખવામાં આવ્યું. એંશી ધનુષ્યની ઊંચાઈ ધરાવતા ત્રિપૃષ્ટ વાસુદેવ બળવાન અને નિડર યુવાન બન્યા.
આ બાજુ વિશાખનંદીનો જીવ અનેક ભવોમાં પરિભ્રમણ કરી તુંગગિરિમાં કેસરીસિંહ થયો. તેનો ઉપદ્રવ ત્યાંના વિસ્તારમાં કોઈ સહન કરી શકતા ન હતા. તેથી તેનાથી બચવા માટે કોઈ ઉપાય જરૂરી હતો. આ વખતે ત્યાં રહેલા અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ પોતાના ભવિષ્ય વિષે હંમેશા ચિંતિત રહેતો હતો તેથી તેણે એક નિમિત્તઓને પોતાના મૃત્યુ વિષે પૂછયું. નિમિત્તિઓએ જણાવ્યું કે, "તમારા દૂત ચંડવેગ પર જે પ્રહાર કરશે અને તંગગિરિ પર રહેલા કેસરીસિંહને જે હણશે તેના હાથે જ તારું મૃત્યુ થશે."
પાછળથી ત્રિપૃષ્ટ અશ્વગ્રીવના દૂત ચડવેગ અને તંગગિરિ પર રહેલા કેસરીસિંહને મારી નાખ્યા. જયારે આ વાતની અશ્વગ્રીવને ખબર પડી ત્યારે તે ત્રિપૃષ્ટથી ડરવા લાગ્યો. તેણે ત્રિપૃષ્ટ સાથે યુદ્ધ કરવા નિર્ણય કર્યો. આ સમયે અચલકુમાર પણ પોતાના સૈન્ય સાથે ત્યાં આવી પહોંચ્યો. આ યુદ્ધમાં અશ્વગ્રવી મરાયો. આ રીતે ત્રણ ખંડનો વિજેતા બન્યો.
તે સમયે દેવતાઓએ ઘોષણા કરી કે ત્રિપૃષ્ટ વાસુદેવ છે અને અચલ બલભદ્ર છે. તે બન્ને આ રીતે વિજય મેળવી પોતપોતાના સ્થાને ગયા. ત્રિપૃષ્ટ વાસુદેવનો અર્ધચક્રીપણાનો અભિષેક કરવામાં આવ્યો. પોતનપુરમાં આ સમયે સર્વ તેને આધિન થયા. તેમને સંગીતનો ખુબ જ શોખ હતો. એમની પાસે ગાયકો પણ આશ્રિત બની ગયા. એક વખત ગાયકો ગાતા હતા ત્યારે ત્રિપૃષ્ટ વાસુદેવે શય્યાપાળને આજ્ઞા કરી, "મારા ઉંઘી ગયા પછી આ ગાયકોને રજા આપી દેજો." ગાયકો ગાવા લાગ્યા. તેના સુમધુર સંગીતના સૂરો વચ્ચે તે શવ્યાપાલકને ખ્યાલ ન રહ્યો કે ત્રિપૃષ્ટ વાસુદેવ કયારે સૂઈ ગયા. ગાયકોના ગીત ચાલુ હતાં. અચાનક વાસુદેવ ઊઠયા ત્યારે ગીતો ચાલું હતાં તે સાંભળીને તેમણે શવ્યાપાલકને કહ્યું, "તે આ ગાયકોને કેમ વિદાય ન કર્યા?" આ સમયે શય્યાપાલકે કહ્યું," ગીતોના સુમધુર સ્વર વચ્ચે મને ખ્યાલ ન રહ્યો." આવો ઉત્તર સાંભળી ત્રિપૃષ્ટ વાસુદેવ ખૂબ ગુસ્સે થયા. સવાર પડતાં જ તેણે શય્યાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું. તરત જ શય્યાપાલકનું ત્યાં જ મૃત્યુ થયું. ગુસ્સાના આવેશનું શું પરિણામ આવે છે તે જયારે માણસ વિચારતો નથી, ત્યારે પોતાનાં જ કૃત્યનું પરિણામ તેને સહન કરવું પડે છે. ત્રિપૃષ્ટ વાસુદેવ ગુસ્સામાં વેદનીય નિકાચિત કર્મ બાંધ્યું. આ રીતે ચોરાસી લાખ વર્ષ નિર્ગમન કર્યા પછી ત્રિપૃષ્ટ વાસુદેવ મૃત્યુ પામ્યા. તેમના વિયોગથી અચળ બળદેવે દીક્ષા લીધી. તે આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા.
ભણ ગણોસમ.
ત્રિપૃષ્ટવાસુદેવ મૃત્યુ પામ્યા પછી તેમનો જીવ કર્મોનાં પરિણામ સ્વરૂપે સાતમી નરકમાં સ્થાન પામ્યો. ત્યાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળો નારક થયો. પોતાના કર્મના બંધનમાં દુષ્કર્મોની કારમી શિક્ષા અને અસહ્ય !! છે. વેદના ભોગવવા લાગ્યો.
(167)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org