SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ A - પાળવા માટે સમર્થ નથી." આ સાંભળી કપિલે તરત પ્રશ્ન કર્યો, "તમે જે આચરો છો તેમાં ધર્મ છે?" છેવટે છે. શિષ્ય કરવાની આશામાં મરિચિએ કહ્યું, "જૈન માર્ગમાં પણ ધર્મ છે. અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” આ વાત સાંભળી કપિલે દીક્ષા લીધી, પરંતુ મરિચિના મનમાં જ્ઞાનના દિવ્ય પ્રકાશની જગ્યાએ અજ્ઞાન અને અહંકારે સ્થાન લીધું જેથી સંયમધર્મની દિવ્યતા અંધકારમાં પરિણમી. શાસ્ત્રની વિરુદ્ધ મિથ્યા ધર્મના ઉપદેશથી દીર્ધકાળ ના સંસારનું પરિભ્રમણ વધાર્યું. આ રીતે મરિચિ મુનિએ જીવનનો રોષકાળ અધર્મનું પ્રાયશ્ચિત કર્યા વગર પસાર કર્યો. જે આત્મા પાપકર્મનું પ્રાયશ્ચિત જો અંત સમયે પણ કરે, એનાં પાપકર્મો ક્ષીણ થયા હોય એવા અનેક દષ્ટાંતો ઈતિહાસમાં નોંધાયેલાં છે. જો અધર્મનાં પરિણામે બંધાયેલા કર્મ વધુ પ્રબળ હોય તો, પ્રાયશ્ચિત કરવાની સ્થિતિ પણ પ્રગટતી નથી. આ રીતે પ્રથમ નયસારના ભવે ઉત્તમ ફળ પ્રાપ્ત કર્યા પછી ત્રીજા ભવે શ્રી મહાવીર સ્વામીના જીવે મરિચિમુનિ તરીકે મિથ્યા ધર્મ આચરી આયુષ્ય પૂર્ણ કર્યું. ભય ચોથો પૂર્વભવના પ્રબળ પુણ્યકર્મની અસર પછીના ભવે પણ પરિણમે છે અને જો પ્રબળ પાપકર્મનો ઉદય હોય || તો કોઈ પણ જીવ સંસારચક્રમાં ફર્યા જ કરે છે. અહીં મરિચિના ભવમાં ઉપાર્જિત કરેલ પાપકર્મોના પરિણામે શ્રી મહાવીર સ્વામીનાં જીવ ભવોનું પરિભ્રમણ શરૂ કર્યું. ચોથા ભવે તે બ્રહ્મ દેવલોકમાં દસ સાગરોપમના આયુષ્યવાળ દેવતા થયા. આ રીતે ત્યાં સુખ અને ભોગવિલાસમાં આયુષ્ય પૂર્ણ કર્યું. ના ભય પાંચમો ) મરિચિનો જીવ બ્રહ્મ દેવલોકમાં દેવતા તરીકે આયુષ્ય પૂર્ણ કરી કોલ્લાક નામના ગામમાં કૌશિક નામનો બ્રાહ્મણ થયો. પૂર્વ જન્મમાં સાધુધર્મના આચારને બદલે અધર્મના આચરણના પરિણામે આ ભવે પણ જીવનમાં આસકત વૃત્તિવાળો થયો. તે બ્રાહ્મણ વિષયકષાય, ધનલોભ અને પાપનાં આચરણમાં પ્રવૃત્ત થયો છેવટે ત્રિદંડી વેષ ધારણ કરી કુલ એશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. આ પછી પશુ-પક્ષી વગેરે જેવી નીચ યોનિમાં અનેક ભવો પસાર કર્યા. (તે મહાવીર સ્વામીના કુલ સત્તાવીસ ભવોની ગણતરીમાં ગણાવ્યા નથી). વચ્ચે ક્યારેક કર્મની નિર્જરા દ્વારા કર્મ હળવા પડ્યાં. THI ( 163 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy