SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખત શ્રી ઋષભદેવ પ્રભુ વિનીતાનગરી પાસે આવી સમોસર્યા. ત્યાં ભરત ચક્રવર્તી પણ દર્શનાર્થે ગયા. ભરતે પ્રભુને ભવિષ્યમાં અદ્વૈતપદ પ્રાપ્ત કરનાર કોઈ આત્મા વિષે પૂછતા કહ્યું, 'હે ભગવંત! આ પર્ષદામાં એવો કોઈ ભવ્યજીવ છે કે આ ભરતક્ષેત્રમાં તીર્થંકર થાય ?' આ સમયે પ્રભુએ કહ્યું,'' આ તારો પુત્ર મિિરચ આ ચોવીસીમાં ભરતક્ષેત્રમાં મહાવીર નામે છેલ્લા તીર્થંકર થશે. આ પહેલા તે પોતનપુરમાં ત્રિપૃષ્ટ નામે વાસુદેવ અને ભરતક્ષેત્રમાં તે સાચો ધર્મ પાળનાર ચક્રવર્તી થશે. આ પ્રમાણે સાંભળ્યા પછી ભરત મહારાજા ખુશ થયા. અત્યાર સુધી તે માનતા હતા કે રિચિ ભલે તેનો પુત્ર હતો, પરંતુ ત્રિદંડી વેષ ધારણ કરવાથી તે વંદનીય નથી. હવે તેમને લાગ્યું કે ''હું મરિચિમુનિને નહીં, પરંતુ ભાવિ તીર્થંકરને વંદન કરું છું'' આમ વિચારી ભરત મહારાજા મરિચિમુનિને વંદન કરવા ગયા. તેમને વંદન કરતા શ્રી ઋષભદેવ પ્રભુનાં ભવિષ્યકથન વિષે વાત કરી તેમના ભાગ્યની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું, ''હું તમે અત્યારે જે સાધુપણામાં છો તેને વંદન કરતો નથી પરંતુ ભવિષ્યમાં તમે તીર્થંકર ભગવાન થવાના છો તેથી તમને વંદન કરું છું.'' આ પ્રમાણે ભરત મહારાજા પ્રભુના ભવિષ્યકથન મુજબ પોતાના કર્તવ્યનું પાલન કરી પ્રભુને ફરી વંદન કરી વિનીતાનગરીમાં પાછા પધાર્યા. આ બાજુ ભરત મહારાજાની વાત સાંભળી મરિચિમુનિને પોતાના માટે અભિમાન જાગ્યું તે કહેવા લાગ્યા, "ભવિષ્યમાં હું વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર થઈશ. મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પ્રથમ વાસુદેવ. મારૂ કુળ કેટલું ઉત્તમ !'' આ રીતે વારંવાર બોલવા લાગ્યા. મન, વચન અને કાયાના વ્યાપારો એક જ પડઘો પાડતા હતા – '' મારું કુળ કેટલું ઉત્તમ !'' આ પ્રમાણે કુળમદ કરતા પોતાના સાધુપણાની મર્યાદા પણ ન જાળવી શકયા. ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ જેટલી દુષ્કર છે, એટલું એ મળ્યા પછી તેને પચાવવું દુષ્કર છે. મરિચિનાં ચિત્તમાં પોતાને ભવિષ્યમાં થનારા લાભ વિષે જ વાત હતી. શાસ્ત્રમાં ષડરિયુઓ જણાવ્યા છે જેમાં ક્રોધ, માન, માયા, લોભ, મોહ અને મદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે વ્યકિત પોતાને પ્રાપ્ત થનાર બળ, રૂપ, કુલ, જાતિ, જ્ઞાન, ઐશ્વર્ય, તપ તેમજ વૈભવ વગેરેમાં મદ લાવે તો તે શકિત ભવાંતરમાં ક્ષીણ થાય છે. મરિચિએ વધુ પ્રમાણમાં કુલમદ કર્યો, પરિણામે તેણે નીચગોત્ર બાંધ્યું. થોડા સમય પછી શ્રી ઋષભદેવ પ્રભુનું નિર્વાણ થયું. મરિચિ તો અન્ય સાધુઓની સાથે વિચરતા હતા. તેઓ પ્રતિબોધ આપવાનું કાર્ય કરી રહ્યા હતા. એક વખત મરિચિના શરીરમાં ભયંકર વ્યાધિ ઉત્પન્ન થયો. વેદનીય કર્મનો ઉદય થયો હોય તેમ તેમને અશાતા થવા લાગી. ખાવા-પીવાની શકિત તેમણે ગુમાવી દીધી. તેમની સાથેના અન્ય સાધુઓ તેમની સેવા માટે તેમની પાસે ન આવ્યા કે ન તો તેમને આશ્વાસન આપ્યું. પરિણામે મરિચિ વિચારવા લાગ્યા, 'મારી સાથેના સાધુઓ સ્વાર્થી અને નિર્દય છે. હુ તેમનો ઉપકારી છું અને સુપરિચિત પણ છું, છતાં તેઓ વ્યવહાર ચૂકયા છે. જો હું આ વ્યાધિમાંથી મુકત થાઉં, તો હું એવો શિષ્ય બનાવું જે ારી સેવા કરે.'' આવો વિચાર કર્યા પછી મરિચિએ એમ પણ વિચાર કર્યો કે એ સાધુઓ પોતાના શરીરની પણ સેવા ક૨વામાં માનતા નથી તો પોતાની સેવા તો કયાંથી કરે ? છેવટે ભાગ્યયોગે મરિચિની વ્યાધિ દૂર થઈ. એક વખત કપિલ નામનો એક રાજકુમાર તેમની પાસ ધર્મોપદેશ સાંભળવા આવ્યો. મરિચિ હંમેશા શુદ્ધ ધર્મનો ઉપદેશ આપતા તેથી કપિલને પણ તેમણે સાચો ઉપદેશ સંભળાવ્યો. આ વખતે કપિલે તેમને પૂછયું, "તમે શુદ્ધ સાધુધર્મ જાણતા હોવા છતાં શા માટે આચરણમાં મૂકતા નથી ?'' આ સાંભળી મરિચિએ કહ્યું, ''હું એ ધર્મ Jain Education International 162 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy