SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિઓ એ બાજુ આવી ચડયા. જેમ ચાતક પક્ષી વાદળ જોઈને ખુશ થાય કે સૂર્યના આગમનથી સુરજમુખી હસી છે ઊઠે એ રીતે મુનિ ભગવંતોને જોઈ નયસાર આનંદ પામ્યો. છતાં આ જંગલમાં તેઓ કઈ રીતે આવ્યા હશે એમ વિચારી તેણે મુનિ ભગવંતોને પૂછયું, "હે મુનિ ભગવંતો! આપ સૌ આ જંગલમાં કઈ રીતે આવી ચડ્યા? આ ભયંકર જંગલમાં સશસ્ત્ર લોકો પણ આવતા ડરે છે!" નયસારનો આ આશ્ચર્ય ભરેલો પ્રશ્ન સાંભળી મુનિ ભગવંતોએ જણાવ્યું. "અમે જયારે અમારા સ્થાનેથી નીકળ્યા ત્યારે એક સાથે અમારી સાથે હતો, અમે એક જગ્યાએ ભિક્ષા લેવા માટે ગયા ત્યારે રસ્તામાં અમારાથી એ છૂટો પડી ગયો. અમે તેની શોધમાં છેક અહીં સુધી આવી ગયા. આ રીતે તમે મળવાથી અમે ખુશ થયા છીએ." નયસારને સાર્થનું આવુ અવિવેકી વર્તન ન ગમ્યું પરંતુ પોતાના પુણ્યોદય માટે તે ધન્યતા અનુભવવા લાગ્યો. પોતાના ભોજનમાંથી તેણે તે મુનિભગવંતોને ખૂબ જ ભકિતભાવથી વહોરાવ્યું. મુનિ ભગવંતો પોતાના સ્થાને ગયા અને આહારપાણી વાપર્યા. નયસાર તેમની સાથે રસ્તો બતાવવા ગયો. વચ્ચે એક ઝાડની નીચે તેઓએ નયસારને ધર્મ સંભળાવ્યો. "તેજીને ટકોરો બસ" એ મુજબ નયસાર ધન્યતા અનુભવી તે ધર્મ વિષે ચિંતન કરવા લાગ્યો. મુનિ ભગવંતો નયસારની ભકિતથી ખુશ થઈ પોતાના માર્ગે આગળ વધ્યા. નયસાર પોતાના સેવકોની સાથે લાકડા લઈ ગામમાં પાછો આવ્યો મુનિ ભગવંતોએ આપેલા ઉપદેશ વખતે જ નયસારનો આત્મા ઉન્નત સ્થાને પહોંચવા સમકિત પ્રાપ્ત કરી ચૂક્યો હતો. હવે તે ધર્મમાં પ્રવૃત્ત થઈ સમકિતનું પાલન કરતો હતો. ધીમે ધીમે નમસ્કાર મંત્રના સ્મરણ સાથે તે ધર્મચિંતન અને કર્તવ્યમાં સમય પસાર કરતો હતો. અંતે તે સમાધિપૂર્વક મૃત્યુ પામ્યો. આ રીતે નયસારે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ( ભવ બોજો | નયસારે સમકિત પ્રાપ્ત કર્યા પછી ધર્મ આરાધનાના ફળ સ્વરૂપે બીજા ભવે દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કર્યું. તે સૌધર્મ નામના દેવલોકમાં એક પલ્યોપમના આયુષ્યવાળા દેવતા તરીકે ઉત્પન્ન થયો. દેવલોકમાં અનુપમ સુખ ભોગવવા છતાં, પૂર્વ ભવના ધર્મ, ભકિત, વૈયાવચ્ચ, જીવદયા અને સાધર્મિક ભકિતનાં પરિણામે દેવલોકમાં પણ તે ઉત્કૃષ્ટ આરાધનામાં સ્થિર થયો. તેણે નંદિશ્વરાદિ તીર્થમાં અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. આ રીતે સમકિતને નિર્મળ બનાવી ઉત્તમ પુણ્ય પ્રાપ્ત કર્યું. ( 160 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy