SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમો ભવ - બ્રહ્મ દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવતા સોળમો ભવ - રાજગૃહ નગરમાં વિશ્વભૂતિ નામે રાજા સત્તરમો ભવ – મહાશુક્ર નામે દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા અઢારમો ભવ - પોતનપુર નગરમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ ઓગણીસમો ભવ - સાતમી નરકમાં વીસમો ભવ - કેસરી સિંહ એકવીસમો ભવ - ચોથી નરકમાં બાવીસમો ભવ - મનુષ્ય - વિમલરાજા ત્રેવીસમો ભવ - અપરવિદેહમાં મુકાનગરીમાં ધનંજય રાજાના પૂત્ર - પ્રિય મિત્ર નામે ચક્રવર્તી ચોવીમો ભવ - મહાશુક્ર દેવલોકે સર્વાર્થ નામના વિમાનમાં દેવતા પચીસમો ભવ - ભરતખંડમાં છત્રાનગરીમાં જિતશત્રુ નામે રાજાના નંદન નામે પુત્ર છવ્વીસમો ભવ - દસમાં પ્રાણાત દેવલોકમાં, પુષ્પોતેર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવતા સત્તાવીસમો ભવ – જંબૂદ્વીપની ભરતક્ષેત્રમાં – ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન ભલ પટેલ જેમના જીવનમાં અહિંસાનો પ્રકાશ પથરાયેલો હતો, સત્યનો સૂર્ય ઝળહળતો હતો, અસ્તેયનો મહિમા, બ્રહ્મચર્યનો આવિર્ભાવ અને અપરિગ્રહની અજોડ સિદ્ધિ જોવા મળતી હતી એ મહામાનવ મહાનવિભૂતિ અને મહાનવીર તરીકે જેની ગણના થાય છે એ શ્રી જૈન ધર્મની વર્તમાન ચોવીસીના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુ. આવા શ્રી વીર પ્રભુના પ્રથમ ભવનું વર્ણન આ પ્રમાણે છે. આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં રત્ન સમાન મહાવપ્ર નામના વિજયમાં આવેલી પુનિત નગરી જયંતીમાં મહાપ્રભાવક અને ધર્મપ્રિય એવા શત્રમર્દનરાજા હતા. તે હંમેશા પ્રજાનું પાલન કરવામાં પોતાની મહાનતા ગણતા હતા. આ નગરીની પાસે પૃથ્વી પ્રતિષ્ઠાન ગામમાં નયસાર નામે ગુણગ્રાહી અને ધર્મરક્ષક મુખી રહેતો હતો. તે સાથે રાજાને પણ વફાદાર હતો, તેથી રાજા શત્રમર્દન તેનાથી ખૂબ જ પ્રભાવી હતા. એક વખત રાજાની આજ્ઞાથી નયસાર તેની સાથે સેવકોને લઈ એક જંગલમાં લાકડા લેવા ગયો. ભોજનનો સમય થયો એટલે નયસારના સેવકો તેની માટે નિર્દોષ આહાર લઈ આવ્યા. નયસાર ધર્મપ્રિય હતો એટલે પોતે ભોજન લેતા પહેલા કોઈ અતિથિને ભોજન આપવામાં પોતાને ભાગ્યશાળી ગણતો હતો. સાચી ભકિત તેનું | ઉચિત ફળ આપે જ છે. નયસાર અતિથિની રાહ જોતો હતો એ સમયે ભૂખ અને તરસથી વ્યાકૂળ બનેલા કેટલાક 1 (159) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy