________________
આવું કરૂણ દશ્ય જોઈને કોઈ પણ કઠણ હૃદયનો માનવી આ પ્રાણીઓને છોડી દેવાનું સૂચવે, ત્યારે છે નેમિકુમાર તો કરૂણાની મૂર્તિ અને સાક્ષાત પ્રેમ અને દયાના સાગર ! પોતાના માટે આ પ્રાણીઓનું બલિદાન? આ વિચાર કરી નેમિકુમારે તેના સારથિને પોતાના રથને ઉગ્રસેન રાજાના મહેલ તરફ લઈ જવાની બદલે તેમના પોતાના ઘર તરફ વાળવાનો આદેશ આપ્યો. આ રીતે રથ પાછો ફરતો જોઈ સૌને નવાઈ લાગી.
નેમિકુમારને પાછા વળતા જોઈ તેમના માતા-પિતા અમંગળ બની ગયું હોય એમ અવાચક થઈ ગયા. ઉત્સવને સ્થાને કોઈ અકસ્માત સર્જાયો હોય એવું વાતાવરણ બની ગયું. આ જોઈ નેમિકુમારે તેમના માતા-પિતાને કહ્યું : " આ પ્રાણીઓ જેવી રીતે પોતાની જાતને બંધનમાંથી મુકત કરવા માગે છે એ રીતે મારે પણ આ સંસારના બંધનમાંથી મુકિત જોઈએ છે". આ સાંભળી માતા-પિતા મુછિત થઈ ગયા, યાદવકુળના જાનૈયાઓ આનંદની જાનમાં મહાલતા હતા, તેઓ પણ આ જોઈ દુઃખી બની ગયા. શ્રીકૃષ્ણ નેમિકુમારને સમજાવ્યા પણ નેમિકુમાર તો મક્કમ બની સંસારની અસારતા સમજાવી.
આ બાજુ ગોખમાં બેઠેલી રાજીમતિએ જ્યારે નેમિકુમારના રથને પાછો વળતા જોયો ત્યારે તે મુછિત થઈ ઢળી પડી. છે નમાં આવતાજ તે બોલી : " અરે નેમિકુમાર ! જો તમે મને છોડીને જ જવાના હતા તો પહેલેથી જ મને તમારા લાયક કેમ ગણી? શા માટે મારા પ્રેમ બંધન છોડીને જાઓ છો?" રાજીમતિની સખીઓએ તેને સાંત્વન આપ્યું અને બીજા યોગ્ય રાજકુમાર સાથે લગ્ન કરવા જણાવ્યું. રાજીમતિ આ સાંભળી બોલી કે જેની સાથે ભવભવનું બંધન હોય એને છોડીને બીજા સાથે લગ્ન કરવાની વાત જ અસ્થાને છે. આ રીતે નેમિકુમાર વિષે વિચારતી રાજીમતિ સારસબેલડીથી છૂટી પડેલી સારસી જેમ વિલાપ કરવા લાગી.
એ સમયે દેવોની આજ્ઞા અનુસાર નેમિકુમારે વાર્ષિક દાન આપવાની શરૂઆત કરી. વર્ષ પુરૂ થતા શક્ર આદિ ઈન્દ્રો તેમજ દેવતાઓએ પ્રભુ માટે ઉત્તરકુરૂ નામની શિબિકા રચી. નેમિકુમાર આ શિબિકામાં આરુઢ થયા. સાથે જુદા જુદા ઈન્દ્રોએ ચામર, છત્ર, ખડગ, દર્પણ, કુંભ, શ્રીવત્સ, નંદાવર્ત વગેરે લઈ આગળ વધ્યા. આ સાથે તેમના માતા-પિતા તેમજ કૃષ્ણ વગેરે ભાઈઓ અને નગરજનો પણ જોડાયા. ઉગ્રસેન રાજાના મહેલ પાસેથી પસાર થંયા ત્યારે રાજીમતિ મૂછ પામી ગઈ. નેમિકુમારની શિબિકા સહસ્ત્રામવણ નામના ઉપવનમાં જે ઉદ્યાન રૈવતાચલ ગિરિ (ગિરનાર) ની શોભા હતું. ત્યાં આવી પહોંચી. ઉપવનના પુષ્પો શુભ ચોઘડિયાથી પોતાના જીવનને પ્રભુ માટે સમર્પિત થવાની રાહ જોતા હતા. નેમિકુમાર શિબિકામાંથી નીચે ઉતર્યા. સર્વ આભુષણો ઉતાર્યા. એ સમયે શ્રાવણ સુદ છઠ્ઠનો દિવસ હતો જ્યારે ચંદ્રનું સ્થાન ચિત્રા નક્ષત્રમાં હતું ત્યારે છઠ્ઠના તપસ્વી નેમિકુમારે પંચમુષ્ટિક લોચ કર્યો અને ઈન્દ્ર એ કેશ લઈ લીધા. પ્રભુ પર દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. શક્ર ઈન્દ્ર તે કેશને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા. પ્રભુએ સમાયિક ઉચ્ચર્યું. આ સમયે નારકીના જીવોએ સુખનો ક્ષણિક અનુભવ કર્યા. આ સાથે એક હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી. આ રીતે ઉલ્લાસપૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવ્યા પછી સૌ પોતપોતાના સ્થાને ગયા.
દીક્ષાના બીજા દિવસે પ્રભુએ વરદત્ત નામના બ્રાહ્મણના ઘેર પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે તેના ઘરમાં પંચદિવો પ્રગટ થયાં. આ પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી પૃથ્વીપટ પર વિચરવા માટે નીકળ્યા.
નેમિનાથની દીક્ષા બાદ તેમનો ભાઈ રથનેમિ રાજીમતિના રૂપ પાછળ પાગલ થઈ તેની પાસે વિવિધ ચીજ-વસ્તુઓ મોકલવા લાગ્યો. રાજીમતિ એમ માનતી હતી કે નેમિનાથના ભાઈ હોવાથી ભાવપૂર્વક આ ચીજો મોકલે છે તેથી તેનો સ્વીકાર કરતી હતી અને રથનેમિએ રાજીમતિને પોતાના પ્રત્યે પ્રેમ છે તેમ માની છે
(139)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org