SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ મણિરોખરે પણ પોતાના વિદ્યાના પ્રભાવે તેને ઓળખી લીધો. બન્ને વચ્ચે યુદ્ધ ચાલ્યું. મણિશેખરે કોઈથી 9 પાછુ ન ફરે એવું અવધ્ય શસ્ત્ર બહાર કાઢ્યું પરંતુ શંખકુમારનું પુણ્ય અને પૂર્વકર્મા પ્રભાવક હતા. આથી તેણે શસ્ત્ર લઈ લીધું. અંતે વિદ્યાધર વશ થઈને જમીન પર પડ્યો તેણે માફી માગી અને કહ્યું " હું તમારો દાસ છું. હવે તમે વૈતાઢય પર્વત પર યાત્રા કરવા પધારો". શંખકુમારે યશોમતિની ધાવમાતાને બોલાવી અને સૌ સાથે વૈતાઢય પર્વત પર ગયા. વિદ્યાધરે શખકુમારને વસ્ત્ર અને અલંકારોથી સુશોભીત કર્યો. શંખકુમારે યશોમતિની સાથે ભાવપૂર્વક અરિહંત ભગવાનનું પૂજન કર્યું. મણિશેખર વિદ્યાધર આ પછી શંખકુમારને પોતાના નગરમાં લઈ ગયો. ત્યાં વિદ્યાધરના અનેક શત્રુઓને શંખકુમારે હરાવ્યા તેથી વિદ્યાધરે તેને અનેક વિદ્યાઓ શીખવી. આ ઉપરાંત તેણે પોતાની પુત્રીઓ પણ આપી. શંખકુમાર એ બધા સાથે યશોમતિના ચંપાપુરીમાં આવ્યો. ત્યાં જિતારી રાજાને પણ પોતાની શકિતથી ખુશ કર્યા. જિતારી રાજાએ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી પોતાની કન્યા યશોમતિ અને અન્ય કન્યાઓના શંખકુમાર સાથે લગ્ન કર્યા. આ રીતે શંખકુમાર મહાપરાક્રમથી વિજય મેળવી પોતાના નગર હસ્તિનાપુર પાછો આવ્યો. પોતાની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કરી કોઈ પણ વ્યકિત આધ્યાત્મિક માર્ગે પોતાનું બાકીનું જીવન પસાર કરે, એ એ સમયની પરંપરા હતી. શંખકુમારના આગમન પછી તેમના પિતા શ્રીષેણે પણ રાજયની જવાબદારી એમને સોંપી ચારિત્ર ગ્રહણ કર્યુ. રાજયની જવાબદારી નિભાવતા શંખકુમારે પણ ધર્મને છોડયો ન હતો. એક વખત શ્રીષેણ કેવળી વિહાર કરતા ફરીથી હસ્તિનાપુર આવ્યા. એ સમયે શંખકુમાર સપરિવાર તેમને વંદન કરવા ગયો. મુનિ ભગવંતે જે ઉપદેશ આપ્યો તેનાથી તેનું મન આ સંસારની અસારતા અનુભવવા લાગ્યું. છતાય પોતે યશોમતિને પોતાની પાસેથી દૂર કરવા માગતો ન હતો. મનમાં આવો સંઘર્ષ અનુભવવાથી શંખકુમારે ૨" વિશે શ્રીષેણ મુનિને પૂછ્યું. શ્રીષેણ મુનિ તો કેવળી હતા એટલે તેણે શંખકુમારને કહ્યું " હે રાજનું! આ બાબત આ જન્મના કર્મનું પરિણામ નથી. પ્રથમ ભવમાં તું ધનકુમાર હતો ત્યારે યશોમતિ ધનવતિ નામે સ્ત્રી હતી. ત્યાંથી બીજા ભવે તમે દેવતા અને દેવી રૂપે સાથે રહ્યાં. ત્રીજા ભવે તું ચિત્રગતી રાજા થયો અને તે રત્નાવતી નામે રાણી થઈ. બન્ને વચ્ચે અપાર પ્રેમ હતો. આ પછી ચોથા ભવે ફરીથી તમે દેવલોકમાં દેવતા અને દેવી તરીકે સાથે રહ્યા. પાંચમાં ભવે તું અપરાજિત રાજા થયો અને યશોમતિ પ્રીતિમતિ નામની રાણી થઈ. એ સમયે પણ સાંસારિક સુખો ભોગવતા પરસ્પર ખૂબ જ પ્રેમથી રહ્યા. છઠ્ઠા ભવે ફરી દેવતા અને દેવી તરીકે રહ્યા. પછી અત્યારે આ તમારો સાતમો ભવ છે. હવે આઠમાં ભવે તમે દેવતા અને દેવી સ્વરૂપે અપરાજિત નામના વિમાનમાં ઉત્પન્ન થશો અને નવમાં ભવે તું ભરતક્ષેત્રમાં બાવીસમાં તીર્થકર થઈશ. એ વખતે યશોમતિ રાજીમતી નામે સ્ત્રી થશે. તને મેળવવા આતુર હોવા છતાં, તે તને નહીં પરણી શકે. તું ચારિત્ર ગ્રહણ કરીશ એટલે એ પણ ચારિત્ર લેશે અને મોક્ષગતિ પામશે. આ રીતે નવ ભવો પૂર્ણ થશે. આ ઉપરાંત તારા નાના ભાઈઓ અને તારો મિત્ર મતિપ્રભ પણ તને પૂર્વભવથી અનુસરી રહ્યા છે. બધાં તારા ગણધરો થશે". આ રીતે પોતાના ભવો વિષે વૃતાંત સાંભળ્યા પછી શંખકુમારે યશોમતિ અને અન્ય સાથે – પ્રધાન, પત્ની વગેરે સાથે દીક્ષા લીધી. ઉત્તમ ચારિત્રનું પાલન અને તપ દ્વારા કર્મનો ક્ષય કરતાં શંખકુમારે ખૂબજ મહિમાવંત એવા મહાન વીસસ્થાનકતપનું આરાધન કર્યું સાધુજીવનના આચારો અને કર્મનિર્જરા દ્વારા શખમુનિએ કાળક્રમે આયુષ્ય પૂર્ણ કર્યું યશોમતિએ પણ દીક્ષા લીધા પછી ઉત્તમ ચારિત્ર પામી આયુષ્ય પૂર્ણ કર્યુ i Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy