SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહપુર નગરમાં આવી પહોંચ્યો. એ સમયે જેટલી કન્યાઓને તે પરણ્યો હતો તે તેના પિતા પણ ત્યાં આવી છે પહોચ્યાં. આ રીતે અપરાજિત પોતાની રાણીઓ સાથે પૂરા ઠાઠમાઠથી અને સન્માનપૂર્વક મહેલમાં પ્રવેશ્યો. માતા-પિતાએ તેનું સ્નેહથી આલિંગન કર્યુ. સમગ્ર રાજમહેલનું વાતાવરણ હર્ષમય બની ગયું. પ્રીતિમતી રાણી પટરાણીનું સ્થાન પામી. સમયના પ્રવાહમાં પરિવર્તન આવે છે ત્યારે કોઈ નવી ઘટના આકાર લે છે. રાજા હરિશંદી પણ હવે સંસારથી દૂર રહી આત્મસાધના કરવા માગતા હતા. તેણે અપરાજિતને રાજય સોંપી દીક્ષા લીધી. વિમળબોધ મંત્રી થયો. રાજયમાં અપાર સુખ અને સાહ્યબી ભોગવવા માટેનું ઉજ્વળ નસીબ અપરાજિતને મળ્યું. એક વખતન અપરાજિત રાજાએ એક મૃતકને જોયું. ચાર માણસો તેને ઉપાડી લઈ જતા હતા. પાછળ બીજા લોકો પણ રૂદન કરતા જતા હતા. તેને જોઈને અપરાજિતને ખબર પડી કે જે માણસ ગઈકાલ સુધી અનંત સુખનો સ્વામી હતો, તેને આજે આ તમામ સુખ છોડીને જવું પડે છે. સંસારચક્ર તે આનું નામ છે. આ વિચારે તેના મનને જાગૃત કરી દીધું. સંસારની અસારતા તેની આંખ સામે જોઈ એટલે અપરાજિતે સંસાર છોડી દીક્ષા લેવા માગતા હતા. આ સાથે પ્રીતિમતી પટરાણી, મંત્રી વિમળબોધ તેમ જ તેના નાના ભાઈઓ પણ દીક્ષા લેવાનું નકકી કર્યુ. આ રીતે એ તમામ સાથે અપરાજિત સંસારચક્રથી દૂર લઈ જનાર એવા ઉત્તમ ચારિત્રપદને પ્રાપ્ત કરવા દીક્ષા લીધી. ઉત્તમ ચારિત્રનું પાલન કરી, સાધુપણું પૂર્ણ કરી અપરાજિત તેમજ પ્રીતિમતી અને અન્ય મંત્રીઓએ પણ ચારિત્ર પાલન કરતા ઉત્તમ પુણ્ય પ્રાપ્ત કર્યું. કાળાંતરે તેઓએ દેવલોકનું આયુષ્ય પૂરું એ ભય છઠ્ઠો ) જે રીતે પૂર્વના પુણ્યોદયે જીવ ચારેય ગતિમાં ઉત્તમ ગતિ પામે છે એ રીતે પાંચમાં ભવમાં અપરાજિત તરીકે જન્મેલો ધનકુમારનો જીવ છઠ્ઠા ભવે અગિયારમાં દેવલોકમાં દેવતા તરીકે ઉત્પન્ન થયો, કારણકે અપરાજિતે દીક્ષા લીધા પછી ઉત્તમ પ્રકારે ચારિત્રનું પાલન કરી પુણયાનુબંધી પુણયકર્મ બાંધ્યું હતું. એ જ રીતે પ્રથમ ભવે ધનકુમારની પત્ની ધનવતિએ અનુક્રમે પાંચમાં ભવે પ્રીતિમતી તરીકે અપરાજિત રાજાની રાણી થઈ, પાછળથી ચારિત્ર ગ્રહણ કરી, આયુષ્ય પૂર્ણ કર્યા પછી છઠ્ઠા ભવે એ જ દેવલોકમાં દેવતા તરીકે જન્મ ધારણ કર્યો. પૂર્વભવની પ્રીતિથી બંધાયેલા જીવો પછીના ભવે પણ પરસ્પર એવા સંબંધે જોડાય છે.એ રીતે આ બને દેવતાઓ તેમ જ વિમળબોધનો જીવ પણ દેવપણે ઉત્પન્ન થયો હતો તે તમામ પરસ્પર પ્રીતિવાળા બન્યા. તેઓએ આ રીતે સ્વર્ગીય સુખ-વૈભવમાં દેવલોકમાં દેવરૂપે આયુષ્ય પૂર્ણ કર્યું. (133) (133) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy