________________
પરંતુ આ સ્ત્રી માટે વશ થઈ નથી. તેણે 'બચાવો'' ની પ્રાર્થના કરી અને તમે આવી પહોંચ્યા. આ રીતે મને તમે દુર્ગતિમાંથી બચાવ્યો. માટે હું તમારો ઉપકાર માનું છું.
અપરાજિત અને તેના મિત્ર આ વૃતાંત સાંભળી વિચારમાં પડી ગયા, કારણકે તે સ્ત્રી જે પુરૂષ પર મોહિત થઈ હતી તે કુમાર પોતે જ હતો. મંત્રી પુત્રે તે પુરૂષને પોતાની તથા અપરાજિતકુમારની ઓળખાણ આપી. આ સાંભળી તે સ્ત્રી ખૂબ જ ખુશ થઈ. સૂરકાંતે પોતાની પાસે રહેલા મણિ અને મૂલિકા અપરાજિતને આપ્યા, તેનાથી કોઈ પણ ઘા રૂઝવી શકાય. મંત્રીપુત્રને એક ગુટિકા આપી, જેનાથી વેશ પરિવર્તન થઈ શકે, આ જ સમયે રત્નમાળાના માતા-પિતા વગેરે પણ તેની શોધમાં ત્યાં આવી પહોંચ્યા. તેઓ પણ અપરાજિતકુમારને જોઈ ખુશ થયા. તેઓએ રત્નમાળાના લગ્ન અપરાજિત સાથે કરાવ્યા. અપરાજિતે રત્નમાળાના પિતાજીને કહ્યું કે તે પછી રત્નમાળાને મોકલી આપે. આ રીતે વાત કરી અપરાજિત અને તેનો મિત્ર વિમળબોધ ત્યાંથી નીકળી ગયા.
આ રીતે માર્ગમાં આવતા વિઘ્નોને દૂર કરતા અપરાજિત અને વિમળબોધ એક મોટા જંગલમાં આવી પહોંચ્યા. તરસ લાગવાથી બન્ને એક ઝાડ નીચે બેઠા. વિમળબોધ પાણીની શોધમાં ગયો અને જ્યારે પાછો આવ્યો ત્યારે અપરાજિતને ત્યાં જોયો નહિં. આમતેમ તપાસ કરતા તે શોકગ્રસ્ત થઈ પડયો. એ સમયે બે માણસો ત્યાં આવી પહોંચ્યા. તેઓએ તેને કહ્યું '' ભુવનભાનુ નામનો એક રાજા છે તેની બે પુત્રી કમલિની અને કુમુદિની છે. તેમણે કોઈએ કહ્યુ છે કે તેનો વર જે થશે તે તેમનો મિત્ર થશે. અમે તેની શોધમાં આવ્યા ત્યારે તમે બન્ને મિત્રોને ઝાડ નીચે બેઠેલા જોયા. તમે પાણીની શોધમાં ગયા ત્યારે અમે તમારા મિત્રનું અપહરણ કરી અમારા ભુવનભાનું રાજા પાસે લઈ ગયા. ત્યાં તમારા મિત્રને સિંહાસન પર આદરપૂર્વક બેસાડયા પરંતુ તે ખૂબ જ દુ:ખી હતા. તેમણે તમારી વિષે ઓળખાણ આપી કારણકે તે તમારા નામનું જ રટણ કરતા હતા. અને તમારી શોધમાં તમને લેવા માટે અહીં આવ્યા છીએ."
આ વાત સાંભળી વિમળબોધ ખૂબ જ આનંદ પામ્યો. પોતાના મિત્રની શોધ કરીને થાકી ગયો હતો. તરત જ તે બન્ને વિદ્યાધરોની સાથે ગયો. અપરાજિતને જોઈ તેની આંખોમાં હર્ષના આંસુ આવ્યાં. તે સમયે કમલિની અને કુમુદિનીના લગ્ન ભુવનભાનુએ અપરાજિત સાથે અત્યંત ધામધુમથી ઉજવ્યા. અપરાજિત આ બન્ને કન્યાઓને પણ ત્યા જ મૂકી તેના મિત્ર વિમળબોધ સાથે ત્યાંથી નીકળી ગયો.
આ ઉપરાંત શ્રીમંદિરપુર ગામના રાજાને મુશ્કેલીમાં મદદ કરી. તેના ઘાને પોતાની પાસે રહેલી મણી મૂલિકાથી ધોઈ. તેમની પીડા મટાડી. આ રાજા અપરાજિતને ઓળખી ગયા કારણકે તે તેના પિતાનો મિત્ર હતો. ત્યાં પણ તેમની પુત્રી રંભા સાથે તેણે લગ્ન કર્યા. છેવટે તે અને વિમળબોધ અગાઉની જેમ જ નીકળી ગયા. આ રીતે જનાનંદ નગરના જિતશત્રુ રાજાની કુંવરી પ્રીતિમતીના સ્વયંવરમાં અનેક રાજાઓ હતા, છતાં કળાઓમાં પ્રીતિમતીની શરત પ્રમાણે હરાવી દઈ અપરાજિત તેને જીતી લે છે. રાજા જિતશત્રુ બન્નેના વિવાહ ઉલ્લાસપૂર્વક ઉજવે છે. પાછળથી ખબર પડે છે કે અપરાજિત જિતશત્રુ રાજાનો ભાણેજ થતો હતો. પ્રીતિમતી સાથે ભોગવિલાસ ભોગવી રહેલા અપરાજિત ઘડીભર પોતાના માતાપિતાને પણ ભૂલી ગયો.
એક વખત પિતા હણિદીનો એક દૂત આ નગરમાં આવ્યો. તેણે અપરાજિતને જોયો. અપરાજિતે તેને માતા પિતાના ખબર પૂછ્યા ત્યારે તેણ કહ્યું કે રાજા હરિશંદી તમારા વિયોગમાં આંસુ સારે છે અને માતા તો ઝૂરી ઝૂરીને દિવસો પસાર કરે છે. આ સાંભળતા જ પોતાની જાતને ધિક્કારતો અપરાજિત તેના મિત્ર સાથે
132
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org