SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જતા રહ્યાં. સુમિત્રે ચિત્રગતિની ઓળખાણ માગી અને ચિત્રગતિના મંત્રીએ જ્યારે તેની ઓળખાણ આપી ત્યારે તે ખુશ થયો ત્યારથી સુમિત્રે ચિત્રગતિ સાથે ગાઢ મિત્રતા બાંધી. જ્યારે ચિત્રગતિએ જવાની રજા માંગી ત્યારે સુમિત્રે સુયશા કેવલીના દર્શન કરવા જવા માટેની વાત કરી. ચિત્રગતિ અને સુમિત્ર સુયશા સાધ્વી પાસે ગયા. સુમિત્રની અપર મા ભદ્રામાતા તેના કુકર્મ અનુસાર નરકમાં જશે. આ પછી સુઝિવ રાજાએ દીક્ષા લીધી. ચિત્રગતિ સુમિત્રની રજા લઈ પોતાના ઘેર આવ્યો. એક વખત સુમિત્રની બહેન જે કલિંગ દેશના રાજા સાથે પરણાવી હતી, તેને રત્નપતીનો ભાઈ કમલ હરી ગયો. આ વાતથી સુમિત્ર ખૂબ જ શોકમાં હતો. આ સમાચાર ચિત્રગતિને મળ્યા ત્યારે ચિત્રગતિએ અસંગસિંહ ઉપર ચઢાઈ કરી અને લડાઈમાં અનંગસિંહ રાજાને જ દેવતાએ આપેલું ખડગરત્ન હતું તે ચિત્રગતિએ તેની પાસેથી લઈ લીધું. સુમિત્રે પોતાની બહેન પાછી મેળવી. આ પછી સુમિત્રને સંસાર પરનો મોહ દૂર થયો અને દીક્ષા લીધી. જ્યારે તે કાયોત્સર્ગમાં સ્થિર હતા ત્યારે તેનો ભાઈ પદ્મ કે જેના માટે ભદ્રામાતાએ પોતાને ઝેર આપ્યું હતું, તે ત્યાંથી પસાર થયો. તેની માતાના થયેલા અપમાન બદલ તેણે સુમિત્રને બાણ માર્યું સુમિત્રે પોતાના કર્મબંધ માટે પદ્મનો આભાર માન્યો અને મૃત્યુ પામી દેવપણામાં જનમ્યો. | ચિત્રગતિએ સુમિત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે તે ખુબ જ દુ:ખી થયો. તે સિદ્વાયતનમાં ગયો. ત્યાં રાજા અનંગસિંહ પણ પોતાની પુત્રી રત્નાવતીને લઈ આવ્યો હતો. ચિત્રગતિએ વિચિત્ર પ્રકારે પ્રભુની સ્તુતિ કરી, એવામાં સુમિત્રે દેવલોકમાંથી પુષ્પવૃષ્ટિ કરી અને પોતે પ્રગટ થયો. બન્ને મિત્રો પરસ્પર લાગણી અનુભવી રહ્યાં હતા એ સમયે રત્નવતીએ ચિત્રગતિને જોયો ત્યારે તેના તરફ તેના મનમાં પ્રેમની લાગણી ઉદ્દભવી. રાજા અસંગસિંહે પણ પોતાની વિધવા દીકરીના ભવિષ્યનો વિચાર કર્યો. છેવટે તેણે રત્નાવતીના લગ્ન ચિત્રવતિ સાથે કર્યા. બન્ને સાંસારિક ભોગ ભોગવી પાછળથી બન્નેએ દીક્ષા લીધી. ઉત્તમ ચારિત્રનું પાલન કરી ચિત્રગતિ અને રત્નાવતીએ આયુષ્ય પૂર્ણ કર્યું. આ રીતે પહેલા ભવમાં ધનકુમારે અને ધનવતીએ ત્રીજા ભવે ચિત્રગતિ અને રત્નાવતી તરીકે આયુષ્ય પૂર્ણ કર્યું. ) ભય ચોથો (T પહેલા ભવે જે ઋણાનુબંધે જે જીવો જોડાયા હોય એ જ જીવો પછીના ભવે પણ કોઈને કોઈ સંબંધે સાથે રહે છે અને પરસ્પર સ્નેહથી જોડાય છે. ધનકુમાર અને ધનવતીએ ત્રીજા ભવે ચિત્રગતિ અને રત્નાવતી તરીકે પતિ-પત્ની બની છેવટે દીક્ષા ગ્રહણ કરી. એ રીતે બન્ને ફરીથી ચોથા ભવમાં માહેન્દ્ર કલ્પમાં દેવતા થયા. અહિં પણ બન્ને વચ્ચે પરસ્પર પ્રીતિ બંધાણી. દેવલોકના સુખ ભોગવતા કાળક્રમે તેઓએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ | ભવ્ય પાંચમો) પૂર્વ વિદેહમાં પા નામના વિજયમાં સિંહપુર નગરમાં હરિહંદી નામે રાજા હતા. સૂર્યના તેજ જેવી .............. (1.................. For Private & Personal use Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy