________________
શ્રી નમિનાથ પ્રભુનું ચરિત્ર |
હે દ્વાદૃશાંગીની અધિષ્ઠાત્રી શ્રી સરસ્વતી દેવી ! વિષય-કષાયોથી વિરક્ત થયેલાં એવા શ્રી વિતરાગ પરમાત્મા શ્રી નમિનાથ પ્રભુના ઉપકારી જીવનને રજૂ કરવા આપ સહાયભૂત બનો
શ્રી નમિનાથ ભગવાનના ત્રણ ભવો આ મુજબ છે.
IIII) ભવ પહેલો ||
આ જંબુદ્વીપનું પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં ભરત નામે વિજયમાં આવેલ કૌશાંબી નગરીમાં સિદ્ધાર્થ નામે તપસ્વી રાજા હતો. જે રાજ્યનો સુકાની તપ અને સંસ્કાર દ્વારા સંયમી જીવન જીવે તે રાજ્યની પ્રજા પણ ઉત્તમ સંસ્કારનું આરોપણ પામે. પ્રજામાં પોતાના જેવા ઉત્તમ ગુણોનું સ્થાપન થાય એટલે રાજા સિદ્ધાર્થ મુનિ ભગવંતોને પુરાં માન-સન્માનથી આશ્રય આપતો, તેની ભક્તિ કરી કૃતાર્થ થતો. આ રીતે એક વખત તેમના નગરમાં મહાજ્ઞાની એવા સુદર્શન મુનિ પધાર્યા. રાજા અને પ્રજા આ મહાન જ્ઞાની ગુરૂને વંદન કરવા ગયા. મુનિ ભગવંતે પોતાના આચાર પ્રમાણે સંસારની કટુતા અને સંયમની મધુરતા વિષે સમજાવ્યું. તેમના ઉપદેશથી સંસાર તરફથી મોહ-માયા અને આસક્તિ દૂર થવાની રાજા સિદ્ધાર્થે દીક્ષા લેવાનું નક્કી કર્યું. મહાન માણસો પોતાના શુભ નિર્ણયમાં ક્યારેય પીછેહઠ કરતા નથી. રાજા સિદ્ધાર્થે સંસારનાં બંધનો અને રાજ્યના ભોગ અને વિલાસને પળવારમાં ત્યાગી દીધા. સંયમ અને મુક્તિને પોતાનો જીવનમંત્ર બનાવી સકલ જગત માટે શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ સર્વવિરતીનો સ્વીકાર કર્યો.
સાધુધર્મના આચાર મુજબ તપ, ત્યાગ અને સાધના તેમજ દેવ, ગુરૂ અને ધર્મ જ આત્માને મુક્તિના માર્ગે પ્રયાણ કરાવે છે. સિદ્ધાર્થ રાજાએ દીક્ષા લીધા પછી ઉગ્ર તપશ્વર્યા અને અનેક સ્થાપકોની આરાધના કરી ઉજ્જવળ એવું તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું. દીક્ષાપર્યાયમાં કેટલોક કાળ પસાર કર્યા પછી સિદ્ધાર્થ મુનિ કાળધર્મ પામ્યાં.
| ભવ બીજો
તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યા પછીનો ભવ દેવપણામાં હોય એવું શાસ્ત્રો મુજબ સામાન્ય પરંપરા જોવા મળે છે. સિદ્ધાર્થ રાજાએ પ્રથમ ભવમાં મુનિપણામાં ઉગ્ર તપશ્ચર્યા દ્વારા ઉપાર્જિત કરેલ તીર્થંકર નામકર્મથી બીજા ભવે દેવગતિ પ્રાપ્ત કરી. તેમનો જીવ અપરાજિત વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. દેવપણામાં સુખાદિ ભોગવીને તેત્રીસ સાગરોપમનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org