SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવવાના કાર્યો કરાવવા માટે સતત પ્રેરતા હોય છે. વહાણ ડૂબવા લાગ્યું, ત્યારે સૌ મુસાફરો પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ ક૨વા લાગ્યા ત્યારે અર્હનય શ્રાવકે પણ અનશન ધારવાનું પચ્ચખાણ કર્યું. પરીક્ષા કરનાર અને ઇર્ષા કરનાર દેવોએ પ્રગટ થઇ અર્જુન્નયને પ્રણામ કર્યા. તેઓએ જ્યારે ઇન્દ્ર પાસે અર્હન્નયની દૃઢતા વિષે વાત કરી ત્યારે ઇન્દ્રે અર્હન્નયને ભેટરૂપે બે જોડી સુંદર અને દિવ્ય કુંડળો આપ્યા. આ જોઇ અર્હન્નય ખૂબ જ ખુશ થયો. દરિયો ખેડતા ખેડતા અર્જુન્નય મિથિલા નગરીના કુંભ રાજાને ત્યાં આવી ચડ્યો. રાજાએ તેનો ભાવપૂર્વક સત્કાર કર્યો તેથી અર્હન્નયે તેની પાસેના દિવ્ય કુંડળોમાંથી એક જોડ કુંડળ ભેટ તરીકે આપ્યા. રાજા આ કુંડળ જોઇ ખૂબ જ ભાગ્યશાળી હોવાનો અનુભવ કરવા લાગ્યા. આ કુંડળ તેણે તેની કુંવરી મલ્લિકુમારીને આપ્યાં. અર્હન્નયે મલ્લિકુમારીનું સૌદર્ય જોયું અને મનોમન મલ્લિકુમારી અને રાજા કુંભના વખાણ કરતા ચંપાપુરીના ચદ્રચ્છાયા રાજાને ત્યાં આવી પહોંચ્યો. રાજા પાસે બીજી જોડી કુંડળને ભેટ ધર્યા. રાજા આ દિવ્ય કુંડળો જોઇ વિસ્મય પામ્યો અને પૂછ્યું, “હે શ્રેષ્ઠીવર ! આ કુંડળ તમે ક્યાંથી લાવ્યા ?'' અર્હન્નયે સમગ્ર વૃત્તાંત રાજાને કહ્યું ત્યારે મલ્લિકુમારી સાથેના પૂર્વજન્મના મિત્રસ્નેહના યોગથી રાજા ચંદ્રચ્છાયાને મલ્લિકુમારી મેળવવાની ઇચ્છા જાગી, તરત જ તેણે પણ દૂત સાથે કુંભરાજાને આ વિષે સંદેશો મોકલાવ્યો. પૂર્વજન્મના સ્નેહના બંધનથી અચલ અને ધરણ બન્ને મલ્લિકુમા૨ીને મેળવવા ઉત્સુક હતા. ત્રીજા મિત્ર પૂરણનો જીવ પણ વૈજયંત વિમાનમાંથી આવીને શ્રાવસ્તીપુરીમાં રૂકમિ નામે રાજા થયો. તેને ધાણી નામે પત્ની અને સુબાહુ નામે સ્વરૂપવાન પુત્રી હતી. જ્યારે સુબાહુ ઉત્કૃષ્ઠ વસ્ત્રાલંકારો ધારણ કરે, ત્યારે તેનું સૌદર્ય કોઇ અપ્સરા જેવું ખીલી ઉઠતું. આ જોઇ રાજાને થતું કે આવી સ્વરૂપવાન કન્યા બીજે ક્યાં હોય ! આવો વિચાર કરતા રાજાએ તેના અંતઃપુરના સેવકને પૂછ્યું, “સુબાહુ જેવી સુંદર કન્યા તમે જોઇ છે ? ’’ સેવક રાજાને પ્રણામ સાથે બોલ્યો, “હે પ્રભુ ! મિથિલાનગરીના કુંભ રાજાની પુત્રી મલ્લિકુમારી જેવું કોઇ સ્ત્રીરત્ન મેં જોયું નથી? આ સાંભળી રાજાને પૂર્વજન્મના સ્નેહના કા૨ણે મલ્લિકુમા૨ીને મેળવવાની ઇચ્છા થતા, તેણે પણ દૂત સાથે કુંભ રાજાને સંદેશો મોકલ્યો. આ બાજુ છ મિત્રોમાંનો વસુનો જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને વારાણસીમાં શંખ નામે રાજા થયો. એક વખત અર્હન્નયે આપેલું દિવ્ય કુંડળ મલ્લિકુમારીથી ભાંગી ગયું. તેથી રાજા કુંભે તે સરખું કરાવવા સોનીઓને ઘેર બોલાવ્યા. કોઇ સોની તે કુંડળ સરખું ન કરી શક્યો એટલે રાજાએ તેમને નગરમાંથી કાઢી મૂક્યાં. તેઓ વારણસીમાં શંખ રાજાને ત્યાં આવ્યા અને તેઓને કુંભ રાજાએ કાઢી મૂક્યા તે વિષેનું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાથે મલ્લિકુમા૨ીના રૂપની પણ તેઓએ વાત કરી ત્યારે પૂર્વજન્મના સ્નેહને કા૨ણે ૨ાજા વસુએ પણ મલ્લિકુમારીને મેળવવા દૂતને મિથિલામાં કુંભ રાજા પાસે મોકલ્યો. 37 જે રીતે અચલ, ધરણ, પૂરણ અને વસુના જીવનમાં આ ભવે મલ્લિકુમારીને મેળવવા પૂર્વજન્મનો સ્નેહ કારણભૂત બન્યો એ જ રીતે વૈજયંત વિમાનમાંથી ચ્યવીને અદીનશત્રુ નામે રાજા થયેલા વૈશ્રવણનો જીવ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો. અદીનશત્રુ રાજાને ત્યાં કુંભ રાજાને ત્યાંથી આવેલા ચિત્રકારે મલ્લિકુમારીના રૂપનું વર્ણન કર્યું હતું. તેથી પૂર્વ જન્મના સ્નેહથી પ્રભાવિત થઇ રાજા અદીનશત્રુએ પણ મલ્લિકુમા૨ીને મેળવવા કુંભ રાજાને ત્યાં દૂત મોકલ્યો. છઠ્ઠા મિત્ર અભિચંદ્રનો જીવ પણ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને કાંપિલ્યપુર નગરમાં જિતશત્રુ નામે રાજા ---(૧૧૧) ------ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy