________________
છે કમાવા બીજાથી છૂપી રીતે કાંઇક કરવાનું વિચારવા લાગ્યા. આ માટે તે રોજ જૂદા-જૂદા ન્હાના બતાવવા તે લાગ્યા. “આજ મારું માથું દુઃખે છે, આજે પેટમાં દુઃખે છે. આ રીતે ભોજન ન લઇ, બીજા મિત્રોને છેતરી તેઓથી અધિક તપ કરતા હતા. એક પછી એક તપ વડે કર્મની નિર્જરા કરતા ઉત્તમ સ્થાનકોની તેમણે આરાધના કરી, તેમણે તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું, પરંતુ કપટ સાથે કરેલાં તપનું પરિણામ કર્મબંધ કરાવે છે. એ મુજબ મહાબલ મુનિએ સ્ત્રીવેદ કર્મ બાંધ્યું. ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મહાબલમુનિ અને તેના છએ સાથી મુનિઓ ચોરાશી હજાર વર્ષ સંયમજીવન પાળી અનશન વ્રત લઇ કાળધર્મ પામ્યા.
મહાબલમુનિનાં દૃષ્ટાંતથી જાણવા મળે છે કે ઉત્તમ ચારિત્ર અને તપથી કર્મની નિર્જરા જરૂર થાય છે. પણ જો તેમાં માયા કે કપટ ભળે તો કર્મબંધનું કારણ બને છે.
|||III)
ભવ બીજો
IIIIIIII)
પૂર્વ ભવમાં કરેલ પૂણ્યકર્મ બીજા ભવમાં ઉત્કૃષ્ટ સ્થાન અપાવે છે. મહાપુરૂષો જણાવે છે કે સત્કર્મનું વાવેલું બીજ વૃક્ષ બનીને પાંગરે ત્યારે તેની શીતલ છાયા સૌને શાતાનો અનુભવ કરાવે છે. મહાબલમુનિએ અને તેના સાથી મુનિઓએ પૂર્વભવમાં ઉગ્ર તપ અને સંયમથી કરેલાં પૂણ્યના ઉપાર્જનથી બીજા ભવે ઉત્કૃષ્ટ એવા વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવ તરીકે સ્થાન મેળવ્યું. સાતેય મિત્રો પૂર્વભવના સ્નેહને કારણે અહીં પણ મૈત્રીભાવપૂર્વક દેવલોકનાં સુખનો અનુભવ કરી રહ્યાં હતાં. કાળાન્તરે તેઓએ દેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ કર્યું.
IIIII) ભવ ત્રીજો IિIII)
સૂવર્ણનાં કુંભોથી શોભતા પ્રાસાદો અને ચૈત્યોને જોઇ જ્યાં દેવોને પણ સ્વર્ગના સુખ ઝાંખા લાગે, એવી અલોકિક નગરી મિથિલા આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્ધમાં આવી હતી. આ નગરીમાં શાસ્ત્રો અને શસ્ત્રોનો જાણકાર, દાનવીર અને ધર્મમાં શ્રદ્ધા રાખનાર કુંભ નામે રાજા હતો. યશ, કીર્તિ અને વૈભવ તેના જીવનને વધુ ગૌરવ અપાવતા હતા. કુંભ રાજાને સુંદર પ્રભાવતી નામે રાણી હતી. રૂપ અને શીલ એ પ્રભાવતી રાણીની શોભા હતા. કુંભ રાજા અને રાણી પ્રભાવતી મિથિલા નગરીના રાજ્ય પરિવારમાં સ્વર્ગીય સુખ ભોગવતા હતાં.
સમયાંતરે મહાબળનો જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને ફાગણ સુદ ચોથે જ્યારે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં હતો ત્યારે પ્રભાવતી રાણીની કુક્ષિમાં અવતર્યો. આ સમયે રાણીએ તીર્થંકરના જન્મની આગાહી કરતા ચૌદ મહાસ્વપ્નો જોયાં. રાણીએ પ્રાતઃકાળમાં કુંભ રાજાને સ્વપ્નો વિષે વાત કરી ત્યારે રાજાએ કહ્યું: આપણે ત્યાં કોઇ મહાન આત્માનો જન્મ થશે.” સુપન પાઠકોએ તીર્થંકરના જન્મને સૂચવતા સૌનો આનંદ ઉત્સવમાં બદલાઇ ગયો. ત્રણ મહિના પછી રાણીને માલ્ય (પુષ્પ) ની પથારીમાં સૂવાની ઇચ્છા થઇ. તીર્થંકરની માતાનો
એવો પૂણ્યોદય હોય છે કે તેમની તમામ ઇચ્છા દેવો પૂરી કરતા હોય. પ્રભાવતી રાણીની આ ઇચ્છા દેવોએ છે પૂરી કરી. પોતાના સદ્દભાગ્યનું ગૌરવ અનુભવતા રાણી દિવસો પસાર કરવા લાગ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org