________________
છે ચરણ મૂક્તા પ્રભુએ પૂર્વ ધારાથી સમવસરણમાં પ્રવેશ કર્યો. સમવસરણની વચ્ચે ચારસો ને વીશ ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ શોભી રહ્યું હતું. તે ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી કુંથુનાથ પ્રભુ પૂર્વ ધારથી સમવસરણમાં પ્રવેશ્યા. “તીર્થાય નમઃ” એમ કહીને પ્રભુ પૂર્વાભિમૂખે બેઠા. એ પછી વ્યંતર દેવતાઓએ અન્ય ત્રણ દિશાઓમાં પ્રભુના ત્રણ બિંબો સ્થાપ્યાં. ચતુર્વિધ સંઘ વચ્ચે શોભતું સમવસરણ, વચ્ચે શોભતું વિશાળ ચૈત્યવૃક્ષ, દેવો - ઈન્દ્રો વગેરેના ઉત્તમ વસ્ત્રાલંકારો, સુવર્ણ, ચાંદી અને માણેક વગેરેથી આભૂષિત સમવસરણનાં ગઢો વગેરેની શોભાથી વાતાવરણ પણ વિભૂષિત થઈ ગયું.
સૌધર્મેન્દ્ર પ્રભુને સ્તુતિ કરતા પ્રભુએ દેશના આપવાનું શરૂ કરતા કહ્યું :
“સંસારરૂપ સાગરને તરવા માટે વિવેકી જનોએ ઈન્દ્રિયોની ઉપર જીત મેળવવી જોઈએ. તેનાથી મનઃશુદ્ધિ થાય છે જે દીપક સમાન તેજસ્વી બની રહે છે. તેનાથી જ મુક્તિની તપસ્યા સિદ્ધ થાય છે. મનઃશુદ્ધિ વગરની ક્યિા નિષ્ફળ જાય છે. જે વ્યક્તિ મનને નિરંકુશ રાખી જીવન જીવે છે એ સંસારના ઊંડા ખાડામાં ધકેલાય છે. મુક્તિની ઈચ્છા રાખનાર પ્રાણીઓએ મનને કાબુમાં રાખવું જોઈએ. સિદ્ધિની ઈચ્છા રાખનાર પ્રાણીએ મનની શુદ્ધિ અવશ્ય કરવી. મનની શુદ્ધિ વડે રાગ-દ્વેષ પર વિજય મેળવવો, જેથી આત્મા ભાવમલિનતા છોડીને સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે.”
આ રીતે પ્રભુની સુમધુર વાણી સમવસરણમાંથી ચારે તરફ ગૂંજતી હતી. સાંસારિક જીવો આ વાણીનો પ્રતિબોધ પામી સંસારથી વિરક્ત થવા વિચારવા લાગ્યા. ઘણા લોકોએ દીક્ષા પણ લીધી અને સ્વયંભૂ સહિત કુલ પાંત્રીસ ગણધરો થયા. પ્રભુએ દેશના પૂર્ણ કરી પછી ગણધરે પણ દેશના આપી. બન્ને દેશના પૂરી થતાં સર્વ પોતપોતાના સ્થાને ગયા, કુંથુસ્વામીના તીર્થમાં રથના વાહનવાળો, શ્યામવર્ણ ધારણ કરનાર ગંધર્વ નામે યક્ષ શાસનદેવતા થયો અને ગૌરવર્ણવાળી, મયુરના વાહન પર બેસનારી બલાદેવી નામે શાસનદેવી થઈ. કેવળજ્ઞાન પછી પ્રભુનું કાર્ય ભવ્ય પ્રાણીઓ પર ઉપકાર કરવાનું હોય છે. કુંથુનાથ પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
વિહાર કરતા કરતા પ્રભુના પરિવારમાં સાઠ હજાર સાધુઓ, સાઠ હજાર અને છસો સાધ્વીઓ, છસો સિત્તેર ચૌદપૂર્વધારીઓ, અઢી હજાર અવધિજ્ઞાનીઓ, ત્રણ હજાર ત્રણસો ચાલીસ મન:પર્યવજ્ઞાનીઓ, ત્રણ હજાર બસો કેવળજ્ઞાનીઓ, પાંચ હજાર એકસો વૈશ્યિલબ્ધિવાળા, બે હજાર વાદલબ્ધિવાળા, એક લાખ ઓગણએંશી હજાર શ્રાવકો અને ત્રણ લાખ ઓગણએંશી હજાર શ્રાવિકા થયા.
તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં નિર્વાણ પામવા સુધીનો સમય જીવોને પ્રતિબોધવામાં પસાર કરે છે. એ સમય દરમિયાન તેમના ઉપદેશથી તેમણે આપેલાં વ્રતોનું પાલન દ્વારા સંસારથી વિરક્ત પામી અથવા શ્રાવકધર્મ અંગીકાર કરી જે આત્માઓ પરિવર્તન પામે છે એ એમનો પરિવાર ગણાય છે. આ રીતે પ્રભુએ ત્રેવીસ હજાર સાતસો ચોવીસ વર્ષ પસાર કર્યા. પોતાનો નિર્વાણ સમય નજીક આવેલો જાણી પ્રભુ શ્રી સમેતશિખર પધાર્યા. સમેતશિખર તીર્થસ્થળની રજેરજ શ્રી તીર્થંકર પરમાત્માઓનાં પુણ્યના પ્રભાવે પાવન બની છે. વર્તમાન ચોવીસીમાંથી વીસ તીર્થંકરો સમેતશિખરે મોક્ષ પામ્યા હતા.
શ્રી કુંથુનાથ પ્રભુએ સમેતશિખરમાં અન્ય એક હજાર મુનિઓની સાથે અનશન શરૂ કર્યું. એક માસ પછી ચંદ્રનું સ્થાન કૃત્તિકા નક્ષત્ર હતું, ત્યારે વૈશાખ વદ એકમના દિવસે પ્રભુ એક હજાર મુનિઓ સાથે મોક્ષપદ પામ્યા. આ રીતે પ્રભુએ કુલ પંચાણું હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું. જેમાં કૌમારપણામાં, રાજ્ય કરવામાં, S ચક્રવર્તીપણામાં અને સંયમજીવનમાં (વ્રતમાં) સરખો સરખો સમય પસાર કર્યો.
uuuuuuuu10).uuuuu
For Private & Personal Use Only
Inni
IIIIIIIIIIII
Jain Education International
www.jainelibrary.org