SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ છે જ તેઓ પોતાના કર્મરૂપે કરવાની ક્રિયાઓ કરવા આવી પહોંચી. પૃથ્વીની રજ દૂર કરી, શુભ જળનું સિંચન છે કરી, આનંદ અને હર્ષના ગીતો ગાતી, હાથમાં દર્પણ, ચામર, પંખા, દીપક આદિ લઈ આવેલી આ દિકુમારીઓએ અચિરાદેવી અને પ્રભુને રત્નસિંહાસન પર બેસાડ્યા. દિવ્ય વસ્ત્રાલંકારોથી આભૂષિત માતા અને પ્રભુના રૂપને જોઈ હરખઘેલી થઇ તેઓએ સૂતિકાકર્મ કર્યું અને ગીતો ગાતી ઊભી રહી. આ સમયે સૌધર્મ ઈદ્રનું આસન પણ કંપિત થયું. અવધિજ્ઞાન વડે તેણે પ્રભુના જન્મોત્સવ વિષે જાણ્યું અને તરત જ પોતાના પરિવાર સાથે પાલક વિમાનમાં બેસી પ્રભુ પાસે પધાર્યા. અચિરાદેવીને અવસ્થાપિનિ નિદ્રા મૂકી, તેમની પાસે પ્રભુનાં બિંબનું સ્થાપન કર્યું. પોતાના પાંચ રૂપ પ્રગટ કરી, પ્રભુને પોતાના ખોળામાં સ્થાપી, બે રૂપ વડે ચામર અને એક રૂપ વડે છત્ર તેમ જ વજ, ધારણ કરી સૌધર્મ ઈન્દ્ર મેરુપર્વત પર અતિપાંડુકબલા નામે શિલા પર આવ્યાં. પ્રભુને ખોળામાં લઈ, વિવિધ સ્થળોનાં પવિત્ર જળ વડે સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રોથી અંગ લૂછી, ગોશીષચંદનનું વિલેપન કરી, દિવ્ય અલંકારો અને પુષ્પોની માળાથી પ્રભુને વિભૂષિત કર્યા. છેલ્લે પ્રભુની સ્તુતિ કરી, પ્રભુના ગુણગાન કરી, પ્રભુની ભક્તિ કરી અચિરાદેવી પાસે પ્રભુને ફરીથી યોગ્ય રીતે પાછા મૂક્યા. આ સમયે સમગ્ર નગરીમાં રત્ન તથા સુવર્ણની વૃષ્ટિ થઈ. માતાને આપેલી અવસ્થાપિની નિદ્રા પાછી લીધી અને સૌ ઈન્દ્રો પોતપોતાને સ્થાને પાછા ગયા. પ્રભુ જ્યારે માતાની કક્ષમાં આવ્યા ત્યારે કરૂદેશમાંથી મહામારી જેવા ઉપદ્રવોનો નાશ થયો હતો અને અશિવ શમી ગયા હતા, તેથી પિતાએ પુત્રનું નામ શાંતિનાથ પાડયું. તીર્થંકર પરમાત્મા બાલ્યાવસ્થામાં હોય કે યૌવનાવસ્થામાં, તેમની ગુણગરિમા ચોતરફ સુગંધની માફક છવાઈ જાય છે. શ્રી શાંતિનાથ પ્રભુ પણ ધાત્રીઓના લાલનપાલન વડે વૃદ્ધિ પામતા, બાળસહજ કિડાઓ કરી સૌના હર્ષમાં વધારો કરતા, તે જોઈ અચિરા માતા તેમ જ વિશ્વસેન પિતાના આનંદની કોઈ સીમા ન રહેતી. બાલ્યાવસ્થાને પાર કરી શાંતિનાથ પ્રભુ ચાલીસ ધનુષ્યનું કાયાપ્રમાણ ધરાવતા થયા. યૌવનવય પામતા જ પિતા વિશ્વસેને તેમના લગ્ન અનેક રૂપવાન અને ગુણવાન કન્યાઓ સાથે કર્યા. પ્રભુ જ્યારે પચીશ હજાર વર્ષના થયા, ત્યારે પિતાએ તેમને રાજ્ય સોંપ્યું અને પોતાની સાધના કરવા લાગ્યા. મહાત્માઓનું જીવન માત્ર સ્વાર્થી હેતુ માટે નથી હોતું. બીજાના સુખે સુખ અનુભવતા મહાન આત્માઓની માફક રાજાના સ્થાને બેઠેલા શાંતિકુમાર રાજ્યની જવાબદારીઓ વહન કરવા લાગ્યા. નિકાચિત ભોગનીય કર્મ ભોગવ્યા વગર કોઈ આત્મા છૂટી શકતો નથી. શાંતિકુમાર પણ પોતાની રાણીઓ સાથે સુખ ભોગવવા લાગ્યા. તેમની રાણીઓમાં યશોમતિ રાણી પટરાણીના સ્થાને હતા. એક વખત યશોમતિએ સ્વપ્નમાં સૂર્યની જેમ પ્રવેશ કરતું ચક્ર પોતાના મુખમાં પ્રવેશતું જોયું. રાણીએ આ વાત શાંતિકુમારને કરી. તેમણે જ્ઞાનથી જોયું તો ખ્યાલ આવ્યો કે પૂર્વભવમાં દઢરથ કે જે તે તેનો અનુજ હતો તેનો જીવ દેવલોકમાંથી યશોમતિની કુક્ષિમાં Àવ્યો હતો. શાંતિકુમારનો અને યશોમતિના આનંદનો પાર ન રહ્યો. આ સમયે યશોમતિએ સ્વપ્નમાં ચક્ર જોયું હતું તેથી પુત્રનું નામ ચાયુધ પાડયું. ચકાયુધના લગ્ન પણ સમય જતા અનેક રાજકન્યાઓ સાથે કરાયા. ન્યાય અને નીતિપૂર્વક કારભાર ચલાવતા શાંતિકુમારે પચીશ હજાર વર્ષ પસાર કર્યા. એક વખત મહાપુણ્યોદય જાગ્યો હોય એમ તેમની આયુધશાળામાં મહા તેજસ્વી ચક્રન ઉત્પન્ન થયું. પરંપરા મુજબ શાંતિકુમારે તે નિમિત્તે અઠ્ઠાઈ ઉત્સવ મનાવ્યો અને તે ચન્ની પૂજા કરી. લક્ષ્મીના મુખરૂપ તે ચક્ર આયુધશાળામાંથી નીકળી પૂર્વ દિશા સન્મુખ પ્રયાણ કરવા લાગ્યું. ત્યાં વિવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy