SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ છઠ્ઠો જંબુદ્વીપના રમણીય નામના વિજયમાં શુભા નામની સમૃદ્ધ નગરી હતી. આ નગરીમાં મેરુપર્વત જેવો સ્થિર અને મહાસાગર જેવો ગંભીર રાજા-સ્તિમિતસાગર હતો. તેની સમૃદ્ધિમાં અને કીર્તિમાં વધા૨ો ક૨ના૨ રાણીઓ વસુંધરા અને અનુન્દ્વરા અપ્સરા જેવી સ્વરૂપવાન હતી. અમિતતેજનો જીવ દેવલોકમાંથી ચ્યવીને વસુંધરા રાણીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યો. આ સમયે બળભદ્રના જન્મને સૂચવનારા ચાર મહાસ્વપ્નો - ચાર દાંતવાળો હાથી, નિર્મળ ક્રાંતિવાળો વૃષભ, ઉજ્જવળ ચંદ્ર અને વિકાસ પામેલાં કમળના પુષ્પોવાળું સરોવર રાણી વસુંધરાએ પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. સમય પૂર્ણ થતા વસુંધરા રાણીએ શ્રીવત્સના લાંછનવાળા, શ્વેતવર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ અપરાજિત પાડવામાં આવ્યું. આ સમયે શ્રીવિજયનો જીવ પણ દેવલોકમાંથી ચ્યવીને રાણી અનુન્દ્વરાની કુક્ષીમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તે સમયે રાણીએ વસુદેવના જન્મને સૂચવનારા સાત મહાસ્વપ્નો જોયા. જેમાં કેસરી સિંહ, સૂર્ય, કુંભ, લક્ષ્મીદેવી, સમુદ્ર તેમજ રત્નોનો સંચય - વગેરેનો સમાવેશ થતો હતો. સમયાનુક્ર્મ રાણી અનુદ્ધ૨ાએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું નામ અનંતવીર્ય પાડવામાં આવ્યું. બન્ને ભાઈઓ રાજ્યની સુખ-સમૃદ્ધિ ભોગવવા લાગ્યા. એક વખત અનંતવીર્ય અને અપરાજિત નાટક જોવા ગયા. ત્યાં દાસીઓ આ નાટક ભજવતી હતી. પરંતુ દમિતારી નામના પ્રતિવાસુદેવના કહેવાથી તે બન્ને દાસીઓને પાછી મોકલવાનો આદેશ અપાયો, તેથી તેઓએ પોતે જ દાસીઓનું રૂપ લીધું અને મિતા૨ીની પાસે આવ્યા. તેની પુત્રી કનકશ્રી પાસે તેઓએ પોતે જ અનંતવીર્યના વખાણ કર્યા. તે સાંભળતા કનકશ્રીએ અનંતવીર્યને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. એ જ સમયે બન્નેએ પોતાના અસલી રૂપ ધારણ કર્યાં, કનકશ્રીને લઈને તેઓ નીકળ્યા તેથી દમિતારી રાજાએ યુદ્ધ કર્યું. યુદ્ધમાં દમિતારી મૃત્યુ પામ્યો. પાછા ફરતા રસ્તામાં તેઓને કીર્તિધર નામના મુનિના કેવળજ્ઞાનના સમાચા૨ મળ્યા. તેઓ સમવસરણમાં દેશના સાંભળવા બેઠા. કનકશ્રીએ પોતાનો પાછલો વૃત્તાંત જાણવાની ઈચ્છા પ્રગટ કરી. તે સાંભળી કનકશ્રીને વૈરાગ લાગ્યો. સંસારના બંધનમાં પૂરાયેલો આત્મા સંયમ માટે તલસી રહ્યો. ઘેર આવી કનકશ્રીએ દીક્ષા લીધી અને આકરા તપની આરાધના કરી મોક્ષપદને પામી. અનંતવીર્ય અને અપરાજિત રાજ્યની જવાબદારી વહન ક૨વા લાગ્યા. ચોરાશી લાખ આયુષ્ય ભોગવી અનંતવીર્ય પહેલી નારકીમાં ગયા. અપરાજિતને પોતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે પણ દીક્ષા ગ્રહણ કરી. આ રીતે અપરાજિત બળદેવે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ સાતમો બળદેવ તરીકે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી અપરાજિતનો જીવ અચ્યુત નામના દેવલોકમાં ઈન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. ત્યાં દેવલોકના રાજવૈભવ અને સમૃદ્ધિ ભોગવી અપરાજિતે પોતાનો છઠ્ઠો ભવ પૂરો કર્યો. Jain Education International . ૯૧ --- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy