SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહ સહન ન થવાથી તે પોતાનું બલિદાન આપવા માગતો હતો. એવામાં વિદ્યાધર પુરુષોએ તેને રોક્યો અને કહ્યું, “તમારી પત્ની જીવતી છે. આ કાર્ય અષનિઘોષે સુતારાને મેળવવા માટે કર્યું છે.” વિદ્યાના પ્રભાવથી આ વિદ્યાધરોએ કૃત્રિમ સુતારાને ત્યાંથી કાઢી મૂકી. ત્યાર પછી અમિતતેજને આ વાતની ખબર પડી એટલે અષનિઘોષ પર બદલો લેવા તેણે વિજયને તેની સાથે લડવા મોકલ્યો. અષનિઘોષ અનેક વિદ્યાઓ જાણતો હતો. જ્યારે વિજયે તેનું મસ્તક હણી નાખ્યું, ત્યારે તેની વિદ્યાના પ્રભાવે એકના બે અષનિઘોષ થયા. પછી બેના ચાર, ચારના આઠ, એમ સેંકડો અષનિઘોષ થયા. અમિતતેજ વિદ્યાની સાધના કરી પાછો આવ્યો. તેણે મહાવાળા વિદ્યાના ભાવે અષનિઘોષના બધાં રૂપને શાંત કરી દીધાં. અમિતઘોષ બીકનો માર્યો ત્યાંથી ભાગી ગયો અને બળદેવ મુનિના સમવસરણમાં બેઠો. પાછળ અમિતતેજ ગયો અને તે પણ ત્યાં બેઠો. કહેવાય છે કે સુયોગ કે ઉચિત નિમિત્ત મળે ત્યારે ઉચ્ચ આત્મા એનો લાભ અવશ્ય મેળવે છે. સૂતારા અષનિઘોષની માતા પાસે હતી એવું વૃત્તાંત જાણવાથી તેને પણ વિજય અને અમિતતેજ પાસે લાવવામાં આવી. ધર્મની સભામાં સૌ પોતપોતાના વેર-ભાવ ભૂલી જાય છે. સમવસરણમાં બેઠેલા અષનિઘોષે વિજય અને અમિતતેજનું સ્વાગત કર્યું. પોતે કરેલા દુષ્કૃત્યુની માફી માગી. બળદેવ મુનિએ તે તમામને પૂર્વભવનું વૃત્તાંત કહ્યું અને અમિતતેજને કહ્યું, “આ ભવથી નવમાં ભવે તું ભરતક્ષેત્રનો પરાક્રમી રાજા, પાંચમો ચક્વર્તી અને એ જ ભવે સોળમા તીર્થંકર થશો.” આ વાત સાંભળી અમિતતેજે અને વિજયે શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. અષનિઘોષે પોતાના કૃત્યનાં પ્રાયશ્વિતરૂપે દીક્ષા લીધી. અમિતતેજ અને વિજય ખૂબ જ હર્ષથી પાછા ફર્યા. ઉત્કૃષ્ટ દાન અને ધર્મક્તિાઓ દ્વારા બન્ને પોતાના જીવનને કૃતાર્થ કરવા લાગ્યા. એક વખત તેઓ બન્ને શ્રી અહંન્તની શાશ્વત પ્રતિમાને વંદન કરવા ગયા. ત્યાં વિપુલમતિ અને મહામતિ નામના ઉત્તમ ચારણમુનિની દેશના સાંભળી અને અમિતતેજે હવે પોતાનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે એવું જાણ્યું. ત્યાંથી તેઓ સ્વસ્થાને પાછા ફર્યા પછી બન્નેએ દાન-ધર્મનું ઉત્કૃષ્ટ કાર્ય કરી દીક્ષા ગ્રહણ કરી. તરત જ પાદપોપગમ નામે અનશન લીધું. તે સમયે વિજયે પોતાના પિતાનું સ્મરણ કરી, પોતાની પાસે રહેલી અલ્પ સમૃદ્ધિ વિષે વિચાર કર્યો. પરિણામે તેણે નિયાણું બાંધ્યું. અમિતતેજે ઉત્તમ પ્રકારે અનશન વ્રતનું પાલન કર્યું. અંતે તેઓએ ત્યાં આયુષ્ય પૂર્ણ કર્યું. આ રીતે શ્રીષેણ રાજાના જીવે ચોથા ભવે અમિતતેજ તરીકેનું આયુષ્ય પૂર્ણ કર્યું. I ભવ પાંચમો અમિતતેજનો જીવ ઉત્કૃષ્ટ અનશન કરી પ્રાણત નામના દશમાં કલ્પમાં નંદિતાવર્ત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. અમિતતેજની સાથે શ્રીવિજયનો જીવ પણ એ જ કલ્પમાં સુસ્થિાવર્ત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. મનની ઈચ્છા પ્રમાણે વાંછિત સુખની પ્રાપ્તિ થતા આ બન્ને દેવો દેવલોકનું સુખ ભોગવવા લાગ્યા. ત્યાં વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી તેઓનું ચ્યવન થયું. LLLLLL Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy