SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચારથી બન્ને રાણીઓએ પણ પોતાના પતિના માર્ગે પ્રયાણ કર્યું. આ રીતે ચારેય નિર્દોષ આત્મા આ નાશવંત શરીર છોડી ગયા. આ રીતે પ્રથમ ભવમાં શ્રીષેણ રાજાએ પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ બીજો શ્રીષેણ રાજા, અભિનંદિતા, શિખિનંદિતા અને સત્યભામા વિષયુક્ત કમળ સુંઘીને મૃત્યુ પામ્યા પછી જંબુદ્રીપના ઉત્ત૨ કુરુક્ષેત્રમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા અને ત્રણ ગાઉ જેટલા શરીરનાં પ્રમાણવાળા યુગલિકો તરીકે ઉત્પન્ન થયા. જેમાં શ્રીષેણ અને અભિનંદિતા પુરુષ-સ્ત્રી થયા અને શિખિનંદિતા અને સત્યભામા પણ એ રીતે જ પુરુષ-સ્ત્રી તરીકે ઉત્પન્ન થયા. આ રીતે અદ્વૈત સુખનો અનુભવ કરતા શ્રીષેણ રાજાનાં જીવે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ ત્રીજો શ્રીષેણ રાજાનો જીવ દેવલોકમાંથી દેવપણે ઉત્પન્ન થયો. પ્રથમ કલ્પમાં દેવલોકનું સુખ ભોગવતા દેવોની સાથે શ્રીષેણ રાજાનો જીવ સુખ-સાહ્યબીમાં દિવસો પસાર કરવા લાગ્યા. દૈવી ભોગ-વિલાસ અને રંગ-રાગમાં મસ્ત બનેલો આત્મા પૂર્વભવના પુણ્યોદયે ઉચ્ચ કુળમાં જન્મે છે. શ્રીષેણ રાજાના જીવે આ રીતે પ્રથમ કલ્પમાં દેવનું આયુષ્ય પૂર્ણ કર્યું. ભવ ચોથો ભરતક્ષેત્રમાં મહા ઉત્તમ વૈતાઢ્ય ગિરિની ઉ૫૨ ૨થનપુર ચક્કાળ નામના નગ૨માં અર્કકીર્તિ નામે રાજા હતો. સમૃદ્ધિ અને પરાક્રમના કા૨ણે તેની કીર્તિ ચોમેર ફેલાણી હતી. તેની શોભામાં અભિવૃદ્ધિ કરનાર રાણી જ્યોતિર્માળાની કુક્ષીમાં શ્રીષેણ રાજાનો જીવ સૌધર્મ કલ્પથી ચ્યવીને પુત્રપણે અવતર્યો. તેનું નામ અમિતતેજ રાખવામાં આવ્યું. સત્યભામાનો જીવ પણ સૌધર્મ કલ્પથી ચ્યવીને જ્યોતિર્માલાની પુત્રી પણે અવતર્યો. તેનું નામ સુતારા ૨ખાયું. અભિનંદિતાનો જીવ ત્રિપૃષ્ટ વાસુદેવની પત્ની સ્વયંપ્રભાના પુત્ર પણે ઉત્પન્ન થયો. તેનું નામ વિજય રાખવામાં આવ્યું. કપિલનો જીવ સ્વયંપ્રભાના પુત્રપણે ઉત્પન્ન થયો. અમિતતેજની બેન સુતારાને વિજય સાથે પરણાવી અને વિજયની બેન જ્યોતિઃપ્રભાને અમિતતેજ સાથે પરણાવી. પૂર્વભવે સાથે રહેલા અને સાથે જ મૃત્યુ પામેલા જીવો બીજા ભવે પણ કોઈને કોઈ સગાના રૂપે જન્મે છે. અનિઘોષ આ ચારેયની ઈર્ષા કરતો હતો. તેણે પોતાની વિદ્યાના પ્રભાવે એક માયાવી મૃગ બનાવ્યો. વિજય આ મૃગને જોઈ મારવા ગયો ત્યારે પાછળથી અનિધોષે વિજયની પત્ની સુતારાનું હરણ કર્યું. એની જગ્યાએ કૃત્રિમ સુતા૨ા બનાવી. આ કૃત્રિમ સુતારા પાસે “મને સર્પ ક૨ડયો ” એવો પોકાર કરાવરાવ્યો. આ જાણીને વિજય એટલે કે તેનો પતિ તેની પાછળ ચિત્તામાં બળી મરવા તૈયાર થયો, પ્રાણપ્રિય પત્નીનો ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy