SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી શાંતિનાથ પ્રભુનું ચરિત્ર | પાપરૂપી દાવાનળના પરિતાપને શાંત સુધારસના પાન કરાવી તેને પરિતોષની જલધારા વડે તૃપ્ત કરનાર શ્રી શાંતિનાથ પ્રભુનું ચરિત્ર આલેખન કરવામાં આપ પ્રેરણાના પિયુષ પાતા રહો એવી વિદ્યાદેવી હે માતા ભગવતી ! આપ આ શબ્દોમાં સામર્થ્ય પ્રગટાવો ! શ્રી શાંતિનાથ પ્રભુના બાર ભાવો નીચે પ્રમાણે હતા. ભવ પહેલો - શ્રેષણ રાજા, ભવ બીજો - યુગલિક, ભવ ત્રીજો - સૌધર્મ દેવલોકમાં દેવ, ભવ ચોથો - વૈતાઢ્ય પર્વત પર અમિતતેજ રાજા, ભવ પાંચમો - પ્રાણત દેવલોકમાં દેવ, ભવ છઠ્ઠો – અપરાજિત નામે બળદેવ, ભવ સાતમો - અશ્રુત કલ્પમાં ઈંદ્ર, ભવ આઠમો વજાયુધ નામે ચક્વર્તી, ભવ નવમો - ત્રીજા રૈવેયકમાં દેવ, ભવ દસમો - મેઘરથ નામે રાજા, ભવ અગિયારમો - સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ, ભવ બારમો - શ્રી શાંતિનાથ ભગવાન. = = = = = = = III ભવ પહેલો Bll] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધમાં રત્નપુર નામનું સુંદર નગર અને તેમાં શ્રીષેણ નામનો રાજા હતો. ધર્મકર્મમાં સદા તત્પર એવા શ્રીષેણ રાજા પ્રજાપાલક અને કર્તવ્યનિષ્ઠ હતા. તેને કમળની પાંખડી જેવી કોમળ અભિનંદિતા અને મનને સદાય પ્રસન્ન રાખનાર શિખિનંદિતા નામે બે રાણીઓ હતી. સમય પસાર થતા અભિનંદિતાએ બે તેજસ્વી પુત્રોને જન્મ આપ્યો. સૂર્ય અને ચંદ્ર જેવા આ તેજસ્વી પુત્રોના નામ ઈંદુષણ અને બિંદુષણ રાખવામાં આવ્યા. આ ભરતક્ષેત્રના મધ્યભાગમાં અચલગ્રામ નામે ગામમાં ધરણીજટ નામે પ્રખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. યશોભદ્રા નામે સુશીલ પત્ની અને નંદીભૂતિ અને શિવભૂતિ નામે પુત્રો એ ધરણીજટ બ્રાહ્મણનો પરિવાર. પરંતુ તે બ્રાહ્મણને દાસી તરીકે કામ કરતી કપિલા સાથે આડ સંબંધ હતો. તેને એક પુત્ર થયો તેનું નામ કપિલ રાખવામાં આવ્યું. નંદીભૂતિ અને શિવભૂતિએ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. કપિલ ઘર છોડીને રતનપુર નગરમાં બ્રાહ્મણ વેષે રહ્યો. ત્યાં તેણે સત્યભામા નામની કુળવાન સ્ત્રી સાથે લગ્ન કર્યા. પાછળથી સત્યભામાએ તેના કુળ અને કુસંસ્કારો વિષે જાણ્યું ત્યારે શ્રીષેણ રાજાને તેણે પોતાની જાતને કપિલથી છોડાવવા વિનંતી કરી. રાજાએ તેને પોતાના મહેલમાં રાખી. આ બાજુ શ્રીષેણ રાજાનો પુત્ર હૃદુષણ એક વખત કૌશંબી નગરીના રાજા બલરાજાની પુત્રી શ્રીકાન્તા નામની રાજકુમારીને સ્વયંવરમાં પરણી લાવ્યો. પરંતુ તેની સાથે અનંતમતિકા નામની વેશ્યા હતી. તે સ્વરૂપવાન હતી. પરિણામે ઈન્દુષણ અને બિંદુષેણ બને તેના પર મોહ પામ્યા. માયાનાં બંધનમાં ફસાયેલ આત્મા અંધ બની ચારે બાજુ ભટક્યા કરે છે. આ બન્ને ભાઈઓ પણ મોહાંધ બની અનંતમતિકા માટે લડવા માંડયા. રાજાએ તેમને સમજાવ્યા પણ વાસનાના દાવાનળે મન પર કાબુ જમાવ્યો હોય ત્યાં પિતાની આજ્ઞા પાળવાની વાત તદન વ્યર્થ છે. અંતે રાજા શ્રીષેણ તાળપુર ઝેરવાળા કમળને સુંઘી મૃત્યુ પામ્યા. સત્યભામાનું જાણે કે છત્ર ચાલ્યું ગયું. ફરી કપિલના હાથમાં સપડાવાના ભયથી તેણે પણ આ રીતે જ જીવન ટૂંકાવ્યું. આ તે (૮ ૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy