SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ભાનુની કીર્તિ પણ ચોમેર ફેલાયેલી હતી. આ રાજાને પ્રિય બની રહેનાર પતિવ્રતા રાણીનું નામ સુવ્રતા હતું. જે વૈજ્યત વિમાનમાંથી આયુષ્ય પૂર્ણ કર્યા પછી દઢરથ રાજાનો જીવ ચ્યવીને વૈશાખ સુદ સાતમે જ્યારે ચંદ્રનું સ્થાન પુષ્ય નક્ષત્રમાં હતું ત્યારે સુવ્રતા રાણીની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. આ સમયે તીર્થંકરના જન્મને સૂચવતાં ચૌદ મહાસ્વપ્નો હાથી, વૃષભ, કેસરી સિંહ વગેરે - રાણીએ પોતાના મુખમાં પ્રવેશતા જોયા. સુવ્રતા રાણીનું મન પ્રસન્નતા અને હર્ષના હિંડોળે ચડયું. આ સમયે ઈન્દ્રનું આસન કંપિત થયું. દેવદુદુભિ થતાં, અવધિજ્ઞાન વડે ઈન્દ્રએ પ્રભુના વન વિષે જાણ્યું. ત્રણ જ્ઞાનને ધારણ કરનારા પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા એટલે ત્રણે લોકમાં પ્રકાશ ફેલાયો. નારકીના જીવોએ સુખનો ક્ષણિક અનુભવ કર્યો. સમય પૂર્ણ થતાં મહા સુદ ત્રીજના દિવસે જ્યારે ચંદ્રનો યોગ પુષ્ય નક્ષત્રમાં હતો, ત્યારે સુવ્રતા રાણીએ વજના લાંછનવાળા સુવર્ણવર્ણા એવા પુત્રને જન્મ આપ્યો. આ સમયે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. સૌ દેવી-દેવતાઓ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. ત્રણ જગતનો નાથ જેના ખોળામાં રમતો હોય એ માતાના ભાગ્યની શી વાત કરવી ? માતા સુવ્રતાનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો હતો. સૂતિકાકર્મ કર્યા બાદ સૌ પ્રભુને તથા માતાને નમસ્કાર કરી જુદા જુદા સ્થાને ગોઠવાયા. ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કર્યા. માતા પાસેથી પ્રભુને લઇ તેમની જગ્યાએ પ્રભુનાં બિંબની સ્થાપના કરી, તે પ્રભુને મેરુપર્વત પર સ્નાન કરાવવા લઈ ગયા. પાવન અને નિર્મળ જળ વડે સ્નાન કરાવી સુગંધી દ્રવ્યોથી વિલેપન અને આભુષણોથી અલંકૃત કરીને ફરી ઈન્દ્ર પ્રભુને માતા પાસે લઈ આવ્યા. પ્રભુની સ્તુતિ કરી સૌ પોતપોતાના સ્થાને પાછા ગયા. દેવાધિદેવ પરમાત્મા બાળક સ્વરૂપે માતાના ખોળામાં રમવા લાગ્યા. જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતાને ધર્મક્યિા કરવાની ઈચ્છા જાગી હતી તેથી તેમનું નામ ધર્મનાથ રાખવામાં આવ્યું. દિવસે દિવસે વૃદ્ધિ પામતા ધર્મનાથ પ્રભુની કાયા પીસ્તાલીસ ધનુષ્ય ઊંચી થઈ. અનુક્રમે પ્રભુ યૌવનવયને પામ્યા. માતા-પિતાની ઈચ્છા અને પોતાના ભોગાવલિ કર્મ ખપાવવાના બાકી હોઈ પ્રભુએ લગ્ન કર્યા. જન્મથી અઢી લાખ વર્ષ પૂરા થયાં પછી પિતાએ પ્રભુને રાજ્યની જવાબદારી સોંપી. પાંચ લાખ વરસ સુધી રાજ્યનો કારભાર યથાયોગ્ય રીતે ચલાવ્યો. હવે પ્રભુએ દીક્ષા લેવાનો વિચાર આ સમયે લોકાંતિક દેવોએ પ્રભુને તીર્થ પ્રવર્તાવવા માટે પ્રેરણા કરી. એટલે મહામૂલ્ય સોનૈયા, રત્નો, વસ્ત્રો આદિ વસ્તુઓનું સાંવત્સરિક દાન દીધું. એક વર્ષ સુધી યાચકોની ઈચ્છાને તૃપ્ત કરી દાનનો મહિમા કર્યો. આ પછી દેવતાઓએ પ્રભુ માટે રત્નજડિત એવી નાગદત્તા નામની શિબિકા રચી. પ્રભુ તેના પર બેસી વપ્રકાંચન નામના ઉદ્યાનમાં પધાર્યા. મહા સુદ તેરસે ચંદ્ર જ્યારે પુષ્ય નક્ષત્રમાં હતો ત્યારે છઠ્ઠના તપ સાથે ધર્મનાથ પ્રભુએ દેવી-દેવતાઓ તથા ઈન્દ્રો આદિની હાજરીમાં પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા લીધી. બીજા દિવસે સોમનપુર નગરમાં ધર્મસિંહ રાજાના ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારા વગેરે પંચ દિવ્યો પ્રગટાવ્યાં. રાજા ધર્મસિંહે પ્રભુના પગલાંની ભૂમિ પર રત્નમય પીઠ તૈયાર કરાવી. ત્યાંથી પ્રભુ ગામેગામ વિહાર કરતા બે વરસ પછી તે જ વનમાં પાછા આવ્યા. ત્યાં દધિપર્ણ નામના વૃક્ષ નીચે પ્રભુ કાયોત્સર્ગમાં લીન થયાં. શ્રી ધર્મનાથ પ્રભુના સમયમાં પાંચમાં વાસુદેવ પુરુષસિંહ, બળદેવ સુદર્શન અને પ્રતિ વાસુદેવ નિશુંભ થયા. આ તમામના ચરિત્રો ‘ત્રિષષ્ટી શલાકા પુરુષ' ગ્રંથમાં સવિસ્તર આપેલાં છે. કાયોત્સર્ગમાં સ્થિર થયેલા પ્રભુએ ધીમે ધીમે ઘાતિ કર્મોનો નાશ કર્યો. તરત જ દિવ્યજ્ઞાન રૂપી કેવળજ્ઞાનના LLLLLL Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy