SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ છે છપ્પન દિકકુમારિકાઓએ આવીને સૂતિકાકર્મ કર્યું. તરત જ સૌધર્મ ઈન્દ્ર આવીને પ્રભુની સ્તુતિ કરી અને છે પાંચ રૂપ ધારણ કર્યા. માતા પાસેથી પ્રભુને લઈ, તેમના ખોળામાં બેસાડી ઈન્દ્ર પ્રભુને મેરુપર્વત પર સ્નાનવિધિ કરાવવા લઈ ગયા. ત્યાં ઉત્તમ જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું અને પવિત્ર પદાર્થોથી વિલેપન કરી દેવી વસ્ત્રાલંકારોથી આભૂષિત કર્યા. ફરી ઈન્દ્ર પ્રભુને માતા પાસે લઈ ગયા. સૌએ પ્રભુને તથા માતાને નમસ્કાર કર્યા અને સ્તુતિ કરી સૌ સ્વસ્થાને પાછા ફર્યા. જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે પિતા સિંહસેને શત્રુઓના અનંતબળને જીત્યું હતું. તેથી પ્રભુનું અનંતજીવા નામ પાડવામાં આવ્યું. જે રીતે શુક્લપક્ષમાં ચંદ્રની વૃદ્ધિ થાય છે એ રીતે પ્રભુ બાલ્યાવસ્થા પસાર કરી યુવાન અવસ્થામાં પ્રવેશ્યા ત્યારે તેમની કાયા પચાસ ધનુષ્ય જેટલી ઊંચી હતી. પિતાની આજ્ઞાથી તેમણે લગ્ન કર્યા. આ રીતે સાડા સાત લાખ વર્ષો પસાર થયા પછી પિતાની આજ્ઞાથી રાજ્યની જવાબદારી પંદર લાખ વર્ષ સુધી વહન કરી. તીર્થંકર પરમાત્મા પરમ પુરુષ હોવા છતાં વડીલોની આજ્ઞાનું પાલન કરે છે. અનંતનાથ પ્રભુએ પણ પિતાની આજ્ઞાનું ઉચિત પાલન કર્યું. પ્રભુને સંસાર પ્રત્યે વિરક્ત ભાવ જાગ્યો. તે સમયે લોકાંતિક દેવોએ આવીને પ્રભુને તીર્થ સ્થાપના કરવાની પ્રેરણા આપી. તરત જ પ્રભુએ વાર્ષિક દાન આપવાની શરૂઆત કરી. ઉત્તમ પ્રકારના દાનથી વાચકો પરિતોષ પામ્યા. પ્રભુનો દીક્ષા અવસર આવી પહોંચતા દેવતાઓએ સાગરદત્તા નામની ઉત્તમ શિબિકા તૈયાર કરી. આ શિબિકા પર આરૂઢ થયેલા પ્રભુજી સહસ્ત્રાપ્રવનમાં આવી પહોંચ્યા. ઈન્દ્રો, દેવતાઓ તથા દેવીઓ પોતાના વિમાનમાં અવકાશમાર્ગે આવી પહોંચ્યા અને આખું આકાશ દિવ્ય આભાથી છવાઈ ગયું. પ્રભુએ સંસારના મોહમાયારૂપ અલંકાર આદિ ચીજોનો ત્યાગ કર્યો. છઠ્ઠના તપ સાથે વૈશાખ વદી ચૌદસના દિવસે ચંદ્રએ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. ઈન્દ્રાદિક દેવતાઓએ પ્રભુને વંદના કરી અને સૌ સ્વસ્થાને ગયા. બીજે દિવસે વર્ધમાન નગરના વિજયરાજાના ઘેર પ્રભુએ પારણું કર્યું. વસુધારાદિક પાંચ દિવ્યોનું પ્રાગટ્ય દેવતાઓએ કર્યું. જે સ્થળે પ્રભુએ પારણું કર્યું હતું ત્યાં વિજયરાજાએ રત્નજડિત પીઠ તૈયાર કરાવી. ત્યાંથી પ્રભુ અનેક પરિસહો સહન કરતા ગામેગામ વિચરવા લાગ્યા. સાધુ તો ફરતા ભલા” એ વિધાન અનુસાર શ્રી અનંતનાથ પ્રભુ લોકોને સાચો ધર્મ સમજાવતા હતા. તે સમયમાં ચોથા વાસુદેવ પુરૂષોત્તમ, ચોથા બળદેવ સુપ્રતી અને ચોથા પ્રતિવાસુદેવ મધુ એમ ત્રણ શલાકા પુરુષ થયા, જેઓના વિગતથી ચરિત્ર ‘ત્રિષષ્ટી શલાકા પુરુષ' ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. આ રીતે ત્રણ વર્ષ સુધી છબસ્થપણે વિહાર કરી અનંતનાથ પ્રભુ ફરીથી સહસ્ત્રામ્રવનમાં આવ્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે પ્રભુ કાયોત્સર્ગમાં સ્થિર થયા. પોતાના ઘાતકર્મોનો વિનાશ થતાં ક્યા જીવને પૂર્ણ જ્ઞાનનો અનુભવ ન થાય? આ મુજબ શ્રી અનંતનાથ પ્રભુને પણ ઘાતકર્મોનો વિનાશ થતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ સમયે પ્રભુને છઠ્ઠનો તપ હતો. પ્રભુના કેવળજ્ઞાનનો એ મહાન દિવસ એટલે રેવતી નક્ષત્રમાં ચંદ્રના આગમન સાથે વૈશાખ વદ ચૌદસનો દિવસ. તરત જ ઈન્દ્રનું આસન કંપિત થયું અને દેવતાઓએ દિવ્ય સમવસરણ અને ચૈત્યવૃક્ષની રચના કરી. પ્રભુએ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી પૂર્વ દ્વારથી તેમાં પ્રવેશ કર્યો. સમવસરણની બાકીની ત્રણ દિશાઓમાં દેવતાઓએ પ્રભુનાં ત્રણ બિંબોનું સ્થાપન કર્યું. વાસુદેવ પુરુષોત્તમ અને બળભદ્રને આ વાતની જાણ થતાં તેઓ પણ સમવસરણમાં પધાર્યા. સૌએ પ્રભુને આ નમસ્કાર કર્યા. ઈન્દ્રની સ્તુતિને ધ્યાનમાં રાખી પ્રભુએ જીવ, જીવના પ્રકારો, જીવને ઉપજવાની નવ યોનિઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy