SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ છે જીવોના મૂળ ભેદો તેમજ ચૌદ ગુણસ્થાનકો વિષેની દેશના આપી. આ ઉપરાંત અજીવ તત્ત્વનું સ્વરૂપ, છે પુદ્ગલોની સ્થિતિ, શુ તથા અશુભ કર્મોનું સ્વરૂપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આદિ નવતત્ત્વોના ભેદ અને સ્વરૂપ વિષેની દેશના પણ આપી. જે આ નવ તત્ત્વોનાં સ્વરૂપને જાણે છે તે સંસારમાં પોતાનું કર્તવ્ય યોગ્યતા સાથે પૂર્ણ કરે છે. પ્રભુની દેશના સાંભળી ઘણાએ દીક્ષા લીધી. પુરુષોત્તમ વાસુદેવને સમક્તિની પ્રાપ્તિ થઈ. અને સુપ્રભ બલરામે શ્રાવકત્વનો સ્વીકાર કર્યો. પ્રભુની દેશના પૂર્ણ થતાં તેમના ગણધરોમાંથી યશ નામના ગણધરે બીજી પારસી સુધી દેશના આપી. અંતે સૌએ પ્રભુને નમસ્કાર કર્યા. દેશના વડે પ્રભાવિત થયેલા સૌ પોતપોતાના સ્થાને પાછા ગયા. શ્રી અનંતનાથ પ્રભુના તીર્થમાં પાતાળ નામે યક્ષ અને અંકુશા નામે દેવી અનુક્રમે શાસનદેવ અને શાસનદેવી થયા. પૃથ્વીતલ પર વિહાર કરતા, ભવ્યજીવોને બોધ પમાડતા પ્રભુ પોતાનો નિર્વાણકાળ નજીક આવેલો જાણી સમેતશિખરમાં પધાર્યા. ત્યાં સાત હજાર સાધુઓની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસના અંતે ચૈત્ર સુદ પાંચમે ચંદ્ર જ્યારે પુષ્ય નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુને મોક્ષપદ પ્રાપ્ત થયું. આ સમયે ઈન્દ્ર વગેરેએ આવીને પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉચિત વિધિ અનુસાર ઉજવ્યો. તેમના પુનિત દેહનો યોગ્ય સંસ્કાર કર્યો અને સૌ પોતાના સ્થાને ગયા. શ્રી અનંતનાથ પ્રભુના પરિવારમાં છાસઠ હજાર સાધુઓ, બાસઠ હજાર સાધ્વીઓ, નવસો ચૌદ પૂર્વધારીઓ, ચાર હજાર ત્રણસો અવધિજ્ઞાનીઓ, ચાર હજાર પાંચસો મન:પર્યવજ્ઞાનીઓ, પાંચ હજાર કેવળજ્ઞાનીઓ, આઠ હજાર વૈમ્પલબ્ધિવાળા, ત્રણ હજાર બસો વાદલબ્ધિવાળા, બે લાખ છ હજાર શ્રાવકો અને ચાર લાખ ચૌદ હજાર શ્રાવિકાઓ થયા. શ્રી અનંતનાથ પ્રભુએ કૌમાર અવસ્થામાં સાડા સાત લાખ વર્ષ, રાજ્યપાલનમાં પંદર લાખ વર્ષ અને દીક્ષાપર્યાયમાં સાડા સાત લાખ વર્ષ એમ કુલ ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. શ્રી વિમલનાથ અને શ્રી અનંતનાથ પ્રભુના નિર્વાણ સમય વચ્ચે નવ સાગરોપમનું રાતરું હતું. પ્રભુના સમયમાં થયેલા પુરુષોત્તમ વાસુદેવે ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય ઉગ્ર પાપકર્મોમાં ગાળ્યું તેથી તે તમપ્રભા નામની છઠ્ઠી નારકીમાં ગયા. પોતાના નાના ભાઈના અવસાનથી દુઃખ પામેલા સુપ્રભ બળદેવે સંસારથી વિરક્ત થઈ મૃગાંકુશ નામના મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાન પામી, અંતે મોક્ષપદને પામ્યા. મહાન વિભૂતિ અને ભવ્યજીવોના ઉદ્ધારક શ્રી અનંતનાથ પ્રભુના ઉત્તમ ચરિત્રના આલેખનમાં કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા પ્રાર્થના સાથે આ ચરિત્ર આલેખન પૂર્ણ કરું છું. 'ઉપજ ............. III ITTTTTTTTTTTTTT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy