SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ » મહાસ્વપ્નો જેમાં હાથી, વૃષભ, કેસરી સિંહ વગેરેને મુખમાં પ્રવેશતા જુએ છે. શ્યામા રાણીએ પોતાની કુક્ષિમાં તીર્થંકર પરમાત્માના જન્મને સૂચક ઉપર મુજબના ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જોયા. આ સમયે ઈન્દ્રનું આસન કંપિત થયું અને તેણે અવધિજ્ઞાનથી પ્રભુનું ચ્યવન થયેલું જાણી ત્યાં જ મેઘનું આગમન થતાં જેમ મયુર નૃત્ય કરવા લાગે છે, એ રીતે શ્યામા રાણીનું મન આનંદથી નાચી ઊઠ્યું. અનુક્રમે સમય પૂર્ણ થતાં મહા સુદ ત્રીજની મધ્યરાત્રિએ ઉત્તરાભાદ્રપદનો ચંદ્ર થતાં અને અન્ય ગ્રહો જ્યારે ઉચ્ચ સ્થાને હતા ત્યારે રાણીએ વરાહના લાંછનવાળા સુવર્ણના વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. આ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. ઈન્દ્ર અવધિજ્ઞાન વડે પ્રભુનો જન્મ થયાનું જાણ્યું અને દેવદુદુભિ થતાં અન્ય ઈન્દ્રો, દેવતાઓ, દેવીઓ અને છપ્પન દિકકુમારિકાઓ સૌ પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવા પોતપોતાના સુંદર વિમાનોમાં એકબીજાની જાણે સ્પર્ધા કરતા હોય એ રીતે આવી પહોંચ્યા. પ્રથમ પ્રભુ તથા માતાને નમસ્કાર કરી સ્તુતિ કરી. માતાનું સૂતિકાકર્મ કર્યું. આ પછી ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કર્યા અને પ્રભુને ખોળામાં લઈ અતિપાંડુકગલા નામની શિલા પર સિંહાસન પર બૈઠા. જાણે મેરુપર્વત આખોય પ્રભુને પોતાના ખોળામાં લેતા હર્ષ પામ્યો. વૃષભના શૃંગમાંથી નીકળતી નિર્મળ જળધારા વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પ્રભુના અંગનું દેવદૂષ્ય વસ્ત્ર વડે અર્ચન કર્યું. વિલેપન બાદ દિવ્ય વસ્ત્ર-અલંકારોથી પ્રભુને આભૂષિત કરી ઈન્દ્ર પ્રભુની આરતી ઉતારી અને પ્રભુના ગુણગાન ગાવારૂપ સ્તુતિ કરી. આ રીતે માનવિધિ પૂર્ણ કરી ઈન્દ્ર ફરીથી પ્રભુને શ્યામાદેવીનો પાસે લઈ જઈ સ્થાપિત કર્યા. પ્રભુ જયારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતા એકદમ વિમલ(નિર્મળ) થઈ ગયા હતા, તેથી તેમનું નામ વિમલનાથ પાડવામાં આવ્યું. ધાત્રીઓ વડે લાલનપાલન થતાં સાઠ ધનુષ્યની કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવનવય પામ્યા. પિતાએ તેમને અનેક રાજ કન્યાઓ સાથે પરણાવ્યા. પરમાત્મા પોતે પણ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. ભોગાવલિકર્મ ભોગવવાના બાકી જાણીને પ્રભુએ સંસારના સુખ વિરક્તભાવે ભોગવ્યા. આ રીતે પ્રભુ પંદર લાખ વર્ષના થયા ત્યારે પિતાએ રાજ્યકારભાર તેમને સોંપ્યો. ગુણવાન વ્યક્તિ આવેલી જવાબદારીને ન્યાયપૂર્વક નિભાવે છે. પ્રભુએ પણ ત્રીસ લાખ વર્ષ સુધી રાજ્યપાલનની જવાબદારી વહન કરી. અંતે સંસારનાં ચક્રમાંથી તારનારા સંયમ માર્ગે જવાનો નિશ્ચય કરો આ વખતે લોકાંતિક દેવોએ પ્રભુને “તીર્થ પ્રવર્તાવો” એવી પ્રેરણા કરી. આ જાણીને પ્રભુએ સાંવત્સરિક દાન દેવાનું શરૂ કર્યું. જે રીતે કલ્પવૃક્ષ યાચકની ઈચ્છા મુજબના ફળ આપે એ રીતે પ્રભુએ યાચકોની ઈચ્છા પૂર્ણ કરી. એ સમયે ઈન્દ્ર, દેવતાઓ વગેરેએ આવીને પ્રભુના દીક્ષા મહોત્સવની તૈયારી કરી. પ્રભુને દિવ્ય વસ્ત્રો, અલંકાર વગેરેથી આભૂષિત કર્યા અને દેવદત્તા નામની શિબિકા તૈયાર કરી. પ્રભુ શિબિકામાં આરૂઢ થયા. ત્યાંથી સર્વની સાથે સહસ્ત્રાપ્રવનમાં આવીને વિમલનાથ પ્રભુએ પોતાના આભુષણોને ત્યાગી દીધા. ઈન્દ્ર દેવદૂચ વસ્ત્ર પ્રભુના ખભે નાખ્યું. છઠ્ઠ તપ સહિત મહા સુદ ચોથના દિવસે જન્મ નક્ષને એક હજાર રાજાઓની સાથે પ્રભુએ દીક્ષા લીધી. ત્રીજે દિવસે ધાન્યકુટ નગરમાં જય રાજા ના ઘેર પ્રભુએ પારણું કર્યું. એ સમયે વસુધારાદિક પાંચ દિવો દેવતાઓએ પ્રગટ કર્યા. પ્રભુએ જ્યાં પારણું કર્યું હતું ત્યાં જયરાજાએ રત્નપીઠ બંધાવી. ગામેગામ જતા બે વર્ષ સુધી પ્રભુએ વિહાર કર્યો. તેમના રામયમાં ત્રીજા વાસુદેવ સ્વયંભુ, બળદેવ ભદ્ર અને પ્રતિવાસુદેવ મેરક થયા. તેમનાં ચરિત્ર ત્રિષષ્ટીશલાકાપુરુષમાં વિસ્તૃત આપેલા છે. .... (૮૦). For Private & Personal Use Only Funny Jain Education International www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy