SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ છેઆ રીતે છપસ્થ અવસ્થામાં બે વર્ષ પસાર કર્યા પછી ફરીથી પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. ત્યાં તે જંબૂવૃક્ષની નીચે કાયોત્સર્ગમાં સ્થિર થયા. અનુષ્મ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલા પ્રભુએ ઘાતકર્મોનો નાશ કર્યો. it આ સાથે જ પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. છઠ્ઠ તપયુક્ત પ્રભુ કેવળજ્ઞાનના પ્રકાશથી શોભી રહ્યાં હતા. આ ભવ્ય દિવસ એટલે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના યોગે પોષ સુદ છઠ્ઠનો દિવસ. આ સમયે દેવતાઓએ રત્નજડિત સમવસરણ રચ્યું. તેમાં આરૂઢ થઈ પ્રભુએ ભવ્યજીવોને ઉપકારક એવી દેશના આપી. મંદર સહિત કુલ સત્તાવન ગણધરો થયા. એ સમયે મયુરના વાહનવાળો, ઉજ્જવળ વર્ણવાળો, બન્ને બાજુએ છ છ ભૂજાવાળો પમુખ નામે યક્ષ શાસનદેવ થયો અને હરિતાળ જેવા વર્ણવાળી, પદ્મ ઉપર બિરાજેલી, બાણ અને કોદંડ તથા સાપને ધારણ કરનારી વિદિતા નામે શાસનદેવી થઈ. યક્ષ અને દેવી હંમેશાં તેમની સાથે રહેલા છે એવા શ્રી વિમલનાથ પ્રભુ વિહાર કરવા લાગ્યા. પ્રભુના પરિવારમાં અડસઠ હજાર સાધુઓ, એક લાખ આઠસો સાધ્વીઓ, અગિયારસો ચૌદ પૂર્વધર, અડતાલીસસો અવધિજ્ઞાનીઓ, પાંચ હજાર ને પાંચસો મન:પર્યવજ્ઞાનીઓ, પાંચ હજાર ને પાંચસો કેવળજ્ઞાનીઓ, નવ હજાર વૈશ્ચિલબ્ધિવાળા, ત્રણ હજાર ને બસો વાદલબ્ધિવાળા, બે લાખ ને આઠ હજાર શ્રાવકો અને ચાર લાખ ને ચોત્રીસ હજાર શ્રાવિકાઓ હતા. કેવળજ્ઞાન પછી પોતાનો નિર્વાણકાળ નજીક આવેલો જાણી પ્રભુ સમેતશિખરે પધાર્યા. ત્યાં છ હજાર સાધુઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસનું અનશન પાળી અષાઢ વદ સાતમે જ્યારે ચંદ્રનું સ્થાન પુષ્ય નક્ષત્રમાં હતું, ત્યારે તેરમાં તીર્થકર વિમલનાથ પ્રભુનું નિર્વાણ થયું. ઈન્દ્રાદિક દેવતાઓ સ્વકર્મ અનુસાર પ્રભુનો નિર્વાણમહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. ઈન્દ્રો તથા દેવતાઓએ પ્રભુની દાઢો તથા દાંત તેમજ અસ્થિઓ ગ્રહણ કર્યા. યોગ્ય સંસ્કાર કરી તે સૌ સ્વસ્થાને ગયા. શ્રી વિમલનાથ પ્રભુએ પંદર લાખ વર્ષ કુમાર અવસ્થામાં, ત્રીસ લાખ વર્ષ પૃથ્વીનું રક્ષણ કરવામાં અને પંદર લાખ વર્ષ વ્રતમાં એમ મળી કુલ સાઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી વાસુપૂજ્ય પ્રભુના નિર્વાણ પછી ત્રીસ સાગરોપમ ગયા ત્યારે શ્રી વિમલનાથ પ્રભુનો નિર્વાણકાળ થયો. અનંત સુખને આપનારા, ઉજ્જવળ કર્મ દ્વારા ત્રણ જગતને જીવોને શીતળતા આપનારા શ્રી વિમલનાથ પ્રભુનું ચરિત્ર અહીં પૂર્ણ થાય છે. ર TER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy