SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણાત કલ્પમાંથી પધ્ધોત્તર રાજાનો જીવ અવીને વૈશાખ વદ છઠ્ઠના દિવસે જ્યારે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં તો આવ્યો ત્યારે નંદા રાણીની કક્ષામાં પુત્રપણે ઉત્પન્ન થયો. ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. નંદારાણીએ મહાન એવાં ચૌદ સ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયા, જે તીર્થંકરના જન્મનું સૂચન કરતા હતાં. અનુક્રમે સમય પૂર્ણ થતાં મહા વદી બારસને પૂર્વાષાઢા નક્ષત્ર શ્રીવત્સના લાંછનવાળા સુવર્ણ જેવા વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રભુના જન્મ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થતા, અવધિજ્ઞાનના પરિણામે પ્રભુનો જન્મ થયેલો જાણ્યો. છપ્પન દિકકુમારિકાઓ જુદી જુદી દિશાઓમાંથી આવી અને સૂતિકાકર્મ કર્યું. ઈન્દ્ર પણ પંચરૂપ ધારણ કરી દેવતાઓ સાથે મેરૂ પર્વત પર પ્રભુને સ્નાન કરાવવા લઈ ગયા. દિવ્યતા અને આભૂષણોથી અલંકૃત પ્રભુને પાછા માતા પાસે પધરાવી, પ્રભુજીને અને માતાને નમસ્કાર કરી, સ્તુતિ કરી સૌ પોતપોતાના સ્થાને ગયા. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું અંગ નંદાદેવીના સ્પર્શથી શીતળ થઈ ગયું હતું, તેથી પ્રભુનું શીતલનાથ નામ રાખવામાં આવ્યું. અનેક ધાત્રીઓના પાલનનાં પરિણામે શીતલનાથ પ્રભુ ચંદ્રની વૃદ્ધિની જેમ વધવા લાગ્યા. પ્રભુના શરીરનું પ્રમાણ નેવું ધનુષ્ય થયું. યૌવનવય પ્રાપ્ત થતાં તેમના પિતાએ ઘણી રાજકન્યાઓ સાથે તેમના વિવાહ કર્યા. પચીશ હજાર પૂર્વના પ્રભુ થયા ત્યારે પિતાના આગ્રહથી તેમણે રાજ્યની જવાબદારી લીધી. પચાસ હજાર પૂર્વ સુધી સારી રીતે રાજ્ય પ્રત્યેની ફરજો પૂર્ણ થતાં એક વખત લોકાંતિક દેવોએ આવીને પ્રભુને વિનંતી કરતા કહ્યું, “હે નાથ ! અરણ્યમાં જળપ્રવાહની જેમ આ દુસ્કર સંસારમાં તીર્થનો અભાવ છે માટે આપ તીર્થ પ્રવર્તાવો.” આ પછી શીતલનાથ પરમાત્માએ સંવત્સરી દાન આપવા માંડયું. વાર્ષિક દાનના અંતે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. સૌએ આવીને પ્રભુનું દીક્ષા કલ્યાણક ઉજવવા મહોત્સવ કર્યો. વસ્ત્રાભૂષણ, ચામર અને ચંદ્રપ્રભા નામની શિબિકામાં શોભતા શીતલનાથ હજારો દેવતાઓ તેમના પરિવાર અને મનુષ્યોના વિશાળ સમુદાય સહિત સહસ્ત્રામ્રવનમાં આવ્યા. સંસાર સમુદ્રથી તરનાર આત્માને સંયમ એ જ સાચું ઘરેણું છે. શીતલનાથ પ્રભુએ આભૂષણ આદિનો ત્યાગ કર્યો અને ઈન્દ્ર નાખેલું દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરી પંચમુષ્ટિ વડે લોચ કર્યો. તે કેશને ક્ષીરસમુદ્રમાં પધરાવી ઈન્દ્ર તેનો યોગ્ય વિધિ કર્યો. મહા વદ બારસના દિવસે છઠ્ઠના તપ સાથે એક હજાર રાજાઓની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. તે જ વખતે તેમને ચોથું જ્ઞાન-મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવી સૌ પોતપોતાના સ્થાને ગયા. બીજે દિવસે પ્રભુએ રિષ્ટ નામના નગરના રાજા પુનર્વસના ઘેર પરમ અન્નથી પારણું કર્યું, તે સમયે દેવતાઓએ પાંચ દિવ્યો પ્રગટાવી, સુવર્ણની વૃષ્ટિ કરી. ત્યાંથી વિહાર કરતા પ્રભુ ત્રણ માસ છબસ્થ- અવસ્થામાં રહી પાછા સહસ્ત્રામ્રવનમાં આવ્યા. ત્યાં પીપળાના વૃક્ષની નીચે કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. શુકલ ધ્યાનના બીજા પાયે ચડી, ઘાતિ કર્મનો નાશ થયો. ત્યાં ક્ષપકશ્રેણિની રચના થતા, પોષ વદ ચોથના દિવસે ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રે આવ્યો ત્યારે શીતલનાથ પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સુર-અસુરો આવી ચાર ચાર ધારવાળા રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢવાળું સમવસરણ રચ્યું. મધ્યમાં એશી ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષની રચના કરી. પ્રભુએ તેમાં પ્રવેશ કર્યો અને વૃક્ષની પ્રદક્ષિણા કરી, “તીર્થાય નમઃ” કહેતા રત્નના સિંહાસન પર આરૂઢ થયા. દેવો વગેરેએ પ્રભુનાં ત્રણ બિબોની ત્રણ દિશાઓમાં TITLTLTLTLTLT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy