________________
શ્રી શીતલનાથ પ્રભુનું ચરિત્ર
વાણીના સૌ દોષો દૂર કરનારી છે વાગીશ્વરી માતા !
જેમના ગુણો ચંદ્ર જેવા શીતળ અને ઉજ્જવળ છે, જે રીતે સૂર્યનાં કિરણોના મૃદુ સ્પર્શથી કમળની પાંખડીઓ ખીલી ઊઠે, એ રીતે જે પ્રભુના ચરણની સ્પર્શના માત્રથી આત્મા ઉન્નત માર્ગે ગમન કરવાનું સામર્થ્ય પ્રગટાવે, એવા શ્રી શીતલનાથ પ્રભુનું ચરિત્ર ગઠન કરવા આપ આ શબ્દોમાં સામર્થ્ય અર્પો એવી| મંગળ પ્રાર્થના.
III ભવ પહેલો_IIIII
પુષ્કરવર દ્વીપના અર્ધભાગમાં પૂર્વ વિદેહ ક્ષેત્રના શોભાયમાન વજ નામના વિજયમાં સુસીમા નામે નગરી પદ્મોત્તર રાજાના પ્રભાવી ગુણોના કારણે શોભાયમાન બની હતી. રાજા હોવાના કારણે વિરચિત ગુણો અને ધર્મપ્રેમી હોવાનાં કારણે પ્રાણીમાત્ર પર કરુણા વરસાવતી તેની આંખો આ બન્ને ભાવોને સાથે ધારણ કરી શકતી હતી. ધર્મના વિકાસ પાછળ રાજા પધ્ધોત્તર સદા પ્રવૃત્ત રહેતો હતો. હંમેશા તેના મનમાં એક જ રટણ રહેતું – “ક્યારે આ સંસારનો ત્યાગ કરું?”
આ રીતે ચિંતન કર્યા પછી રાજ્ય છોડી અસ્તાઘ નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. રત્નત્રયીની આરાધના કરતા તીવ્ર તપ અને શુદ્ધ ચારિત્રના કારણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. વિવિધ અભિગ્રહોથી આત્માના પ્રદેશને કર્મરહિત કરતા તેમણે આયુષ્ય પૂર્ણ કર્યું.
||) ભવ બીજો |િ|||
પદ્મોત્તર રાજાએ દીક્ષા લીધા પછી મુનિપણામાંથી આયુષ્ય પૂર્ણ થયે પ્રાણાત કલ્પમાં વીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. પૂર્વ ભવના પુણ્યકર્મના ઉદયે દેવલોકમાં સુખ અને ભોગવિલાસ ભોગવ્યા. રૂપવાન અને ગુણવાન દેવરૂપ દેવલોકની શોભાને ઉન્નત બનાવે છે એ રીતે પદ્મોત્તર રાજાનો જીવ બીજે ભવે દેવલોકના સુખ ભોગવી ત્યાંથી આવી ગયો.
ભવ ત્રીજો II
- આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે ભદિલપુર નામે અત્યંત રમણીય નગરીમાં દઢરથ રાજા અને તેમની નંદા નામે રાણી હતા. દઢરથ રાજા સમૃદ્ધ નગરીમાં પ્રજાવત્સલ તરીકે પ્રજાના પ્રિય હતા તો રાણી નંદા જાણે છે. બોલતા બોલતા સુગંધી શ્વાસથી ચોમેર મહેક ફેલાવતી, કીર્તિવાન અને ગુણવાન હતી.
(90) uuu
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org