________________
સ્થાપના કરી. સૌએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું. સૌધર્મ ઈન્દ્ર પ્રભુને સ્તુતિ કરતા તે સમયે પ્રવર્તી રહેલા છે. અધર્મ, અદેવ અને અગુરુ સંબંધી વાત કરી અને મિથ્યાત્વરૂપી સર્પ સર્વને ગળી જશે એમ કહી પ્રભુને મિથ્યાત્વનો નાશ કરવા કહ્યું.
પ્રભુએ મધુર વાણીમાં સર્વ આશ્રવોનો નિરોધ કરી સંવર કરવાનું અને એ દ્વારા મિથ્યાત્વનો ક્ષય કરવાની દેશના આપી. આ દેશનાથી ઘણા જીવો પ્રતિબોધ પામ્યા અને દીક્ષા ગ્રહણ કરી. કેટલાકે શ્રાવકના કર્તવ્યોનું પાલન કરવાનો સ્વીકાર કર્યો. પ્રભુની દેશના પૂરી થતા આનંદ નામના ગણધરે ધર્મદેશના આપી. આ રીતે કેવળજ્ઞાન મહોત્સવની ઉજવણી કરી સૌ પોતપોતાના સ્થાને પાછા ફર્યા.
તે સમયે ત્રણ નેત્રવાળા અને ચાર મુખવાળો પદ્મ પર બિરાજમાન બ્રહ્મ નામે યક્ષ શાસનદેવ થયો અને નીલ વર્ણવાળી, મેઘના વાહનવાળી અશોકા નામની યક્ષણી શાસનદેવી થઈ બન્ને પ્રભુના સાંનિધ્યમાં રહેવા લાગ્યા.
શીતલનાથ પ્રભુએ ત્રણ માસે ઊણા પચીશ હજાર પૂર્વ સુધી પૃથ્વીતળ પર વિહાર કર્યો. એક લાખ મુનિઓ, એક લાખને છ હજાર સાધ્વીઓ, ચૌદસો ચૌદપૂર્વધારી, સાત હજાર બસો અવધિજ્ઞાની, સાડા સાત હજાર મન:પર્યવજ્ઞાની, સાત હજાર કેવળજ્ઞાની, બાર હજાર વૈક્યિ લબ્ધિવાળા, પાંચ હજારને આઠસો વાદ
વાળા. બે લાખ નેવાશી હજા૨ શ્રાવકો અને ચાર લાખને અઠ્ઠાવન હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો, પ્રભુ મોક્ષકાળ નજીક આવેલો જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અનશન કરી, એક માસના અંતે વૈશાખ વદ બીજના દિવસે ચંદ્ર જ્યારે પૂર્વાષાઢા નક્ષત્ર હતો ત્યારે પ્રભુ તે મુનિઓની સાથે મોક્ષપદને પામ્યા.
પ્રભુએ કુલ એક લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું, જેમાં પચ્ચીસ હજાર પૂર્વ કુમાર અવસ્થામાં, પચાસ હજાર પૂર્વ રાજ્ય કરવામાં અને પચ્ચીશ હજાર પૂર્વ ચારિત્રમાં પસાર કર્યા.
સુવિધિનાથનાં નિર્વાણ પછી નવ કોટી સાગરોપમ ગયા ત્યારે શીતલનાથ પ્રભુ નિર્વાણ પામ્યા. દેવતાઓએ મળી પ્રભુના દેહનો યોગ્ય સંસ્કાર કર્યો. સૌએ ઉત્તમ પ્રકારે નિર્વાણ મહોત્સવ ઉજવ્યો.
જગતના ભવ્ય પ્રાણીઓને મોક્ષમાર્ગ બતાવનારા શ્રી શીતલનાથ પ્રભુનું ચરિત્રલેખન અહીં પૂર્ણ કરું છું.
V
V
VVVAYYYYYYYSMS
irrivinel
jirishirw
ays
w
YYYYYYYAVAVANAVAV
LLLLL
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org