________________
પ્રભુના જન્મને સૂચવતાં ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાં પ્રવેશતા જોયાં. પૂર્ણ સમય થતાં માગસર વદ પાંચમે મૂળ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં, રામાદેવીએ મગરના ચિન્હવાળા શ્વેત વર્ણવાળા એક પુત્રરત્નને જન્મ આપ્યો. અવધિજ્ઞાન વડે ઈન્દ્રને જાણ થતાં અન્ય ઈન્દ્રો, દેવતાઓ, દિક્કુમારિકાઓ વગેરે પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચ્યા અને વિધિસહિત જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતા સર્વ વિધિમાં કુશળ હતા એટલે સુવિધિનાથ રખાયું અને પુષ્પના દોહદને કારણે પ્રભુને દાંત ઊગ્યા હતા માટે તેમનું પુષ્પદંત એવું બીજું નામ પણ રાખવામાં આવ્યું.
જન્મોત્સવ ઉજવ્યા પછી માતા ૨ામા૨ાણીને અને પ્રભુને નમસ્કાર કરી ઈન્દ્રો, દેવતો વગે૨ે સ્વસ્થાને ગયા. જન્મથી પચાસ હજાર પૂર્વ ગયા ત્યારે સો ધનુષ્યની ઊંચી કાયાવાળા, યૌવનવય ધરાવતા પ્રભુને અનેક રાજકન્યાઓ સાથે પરણાવ્યા. પ્રભુને રાજ્યકારભાર સોંપી પિતાએ પોતાની જવાબદારી પૂર્ણ કરી. રાજ્યની જવાબદારી સંભાળતા પચાસ હજાર પૂર્વ ગયા પછી જ્યારે પ્રભુને દીક્ષા લેવાની ઈચ્છા થઈ એ સમયે લોકાંતિક દેવોએ તેમને તીર્થની સ્થાપના કરવાની પ્રેરણા આપી. આથી પ્રભુએ એક વર્ષ સુધી યાચકોની ઈચ્છા મુજબ સંવત્સરી દાન દીધું. વર્ષને અંતે ઈન્દ્ર આદિ દેવતાઓએ સૂરપ્રભા નામની શિબિકા રચી. તેમાં બિરાજી પ્રભુ સહસ્ત્રામ્રવનમાં ગયા. ત્યાં માગસર વદ છઠ્ઠના દિવસે પ્રભુ અલંકાર આદિનો ત્યાગ કરી, દેવદુષ્ય વસ્ત્રને ધારણ કર્યું. સર્વે મળીને પ્રભુનો દીક્ષામહોત્સવ ઉજવ્યો. બીજે દિવસે પ્રભુએ છઠ્ઠ તપનું પારણું શ્વેતપુર નગરમાં પુષ્પ રાજાને ઘે૨ ક્ષીરથી કર્યું. દેવતાઓએ પંચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યારબાદ વિહાર કરતા ચાર માસ પ્રભુના છદ્મસ્થ અવસ્થામાં પસાર થયા. ફરી સહસ્ત્રાપ્રવનમાં પ્રભુ પધાર્યા. ત્યાં માલુર વૃક્ષની નીચે પ્રતિમાપણે ઊભા રહ્યા. ક્ષપકશ્રેણિનું મંડાણ થયું અને કર્મ ખપી જવાથી કારતક સુદ ત્રીજને દિવસે મુળ નક્ષત્રે પ્રભુને કેવળજ્ઞાન થયું. તત્કાળ સુર-અસુરોના દેવતાઓ વગેરેએ આવીને ભવ્ય સમવસરણની રચના કરી. મધ્યમાં બારસો ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું. પ્રભુએ પ્રદક્ષિણા કરી અને ‘તીર્થાય નમઃ’’ એમ કહીને સિંહાસન ૫૨ પૂર્વાભિમુખે આરૂઢ થયા. દેવતાઓએ બીજી ત્રણ દિશામાં પ્રભુના જેવા જ ત્રણ બિંબો સ્થાપિત કર્યા. સૌ બાર પર્ષદામાં પોતપોતાના સ્થાને બિરાજમાન થયા. શઈન્દ્રે પ્રભુને સ્તુતિ કરતા નીચે પ્રમાણે પ્રશ્નો કર્યા, ‘‘હે પ્રભુ ! આપ વીતરાગ છો. આપે સૌને અનુકૂળ થઈ ૨હેવાની વાત કરી છે તો આપ મિથ્યાત્વ પર શા માટે દ્વેષભાવ રાખો છો? જો આપ નિર્ભય હો તો શા માટે સંસારથી ભય પામો છો ? જો આપ રોષ રહિત હો તો શા માટે કર્મો પર રોષ કરો છો ? ''
આ સાંભળી પ્રભુએ શુભાશુભ કર્મ (આશ્રવનું સ્વરૂપ) તેના આઠ પ્રકાર અને તેના પરિણામો વગેરે વિષે સમજાવતા કહ્યું, ‘‘આશ્રવોથી જન્મ પામેલો અપાર સંસારરૂપ સાગર, દીક્ષારૂપી વહાણ વડે વિદ્વાન પુરૂષોએ તરી જવાને યોગ્ય છે.''
પ્રભુની આવા પ્રકા૨ની ધર્મદેશના સાંભળી હજારો મુમુક્ષો બન્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. અને અઠ્યાસી ગણધરો થયા. જ્યારે પ્રભુ દેશના આપી આરામ પામ્યા, ત્યારે વરાહ નામના ગણધરે દેશના આપી. સુર અસુરોએ નંદીશ્વર દ્વીપમાં જઈ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો અને સૌ સ્વસ્થાને ગયા.
સુવિધિનાથ પ્રભુના સમયમાં શ્વેત અંગવાળો, કાચબાના વાહનવાળો અને ચાર ભૂજાવાળો અજિત નામે યક્ષ શાસનદેવ થયો અને ગૌર વર્ણવાળી, વૃષભના વાહન પર બિરાજમાન ચાર ભૂજાવાળી યક્ષક્ષિણ સુતારા શાસનદેવી થયા.
અઠ્યાવીસ પૂર્વાંગ અને ચાર માસે ઉણા એવા એક લાખ પૂર્વ પર્યંત વિહાર કરતા પ્રભુને બે લાખ સાધુઓ, એક લાખને વીશ હજાર સાધ્વીઓ, આઠ હજાર સાધ્વીઓ, આઠ હજા૨ને ચારસો અવધિજ્ઞાનીઓ, દોઢ
૬૮
---
Jain Education International
➖➖➖➖➖
For Private & Personal Use Only
www.jainelibrary.org