________________
છે. શ્રી પુષ્પદંત (સુવિધિનાથ) પ્રભુનું ચરિત્ર
ત્રણ જગતને પુષ્પની માળાની જેમ ધારણ કરનારા વિતરાગ પ્રભુ શ્રી પુષ્પદંત (સુવિધિનાથ સ્વામી)નું ચરિત્ર આલેખવામાં અલ્પમતિ આત્માનું તો શું ગજું ?છતાં આપના પ્રભાવથી આ કાર્યમાં સામર્થ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે નમસ્કાર કરું છું.
IIIII) ભવ પહેલો_aIII
પુષ્કરવર નામે કપમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામે નગરીને વિષે મહાપદ્મ નામે રાજા હતો. જન્મથી જ ધર્મ પરાયણ સ્વભાવના પરિણામે યૌવનવયમાં ધર્મના સંસ્કાર વૃદ્ધિ પામતા તે રાજ્ય કારભારમાં પણ ધર્મભાવનાને ભૂલતા નહીં.
આ રીતે રાજ્ય કરતા કરતા સંસારની અસારતાને સમજીને જગનંદ ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. આ પછી દુષ્કર તપ દ્વારા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ઉત્તમ ચારિત્ર અને તપ-ત્યાગના ધર્મમાં સ્થિર આત્માના પછીના ભાવ પણ પુણ્યાનુબંધી પુણ્યનું પરિણામ ભોગવી શકે છે. આ રીતે સાધુના આચારોનું ઉત્તમ પાલન કરી મહાપદ્મ રાજાનું આયુષ્ય પૂર્ણ થયું.
ભવ બીજો પI]
ઉત્તમ પૂર્વ કર્મના પરિણામે મહાપદ્મ રાજા વૈાંત નામના વિમાનમાં મહદ્ધિક દેવતા થયા. દેવલોકના સુખ અને વૈભવ ભોગવવામાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થતાં તેમનું અવન થયું.
[I) ભવ ત્રીજો |
NITIN
જંબુદ્વીપના દક્ષિણ ભરતાર્થમાં કાકંદી નામની અતિ શોભાયમાન નગરીમાં સુગ્રીવ નામે મહાપ્રતાપી રાજા હતો. તેની યશગાથા ચોમેર ફેલાયેલી હતી. સુગ્રીવ રાજાની રાણી રામાં પણ નિર્મળ ગુણોથી અને સૌન્દર્યથી શોભતી હતી. રાજહંસિની જેમ માનસરોવરમાં શોભે એવું નિર્મળ ચારિત્ર ધરાવતી રામા રાણીની કુક્ષિમાં વૈયંત વિમાનમાંથી દેવપણે વેલો મહાપદ્મ રાજાનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. તે પાવન દિવસ
એટલે ફાગણ વદ નોમ. તે સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થતા તેમણે અવધિજ્ઞાન વડે જાણ્યું કે એ જીવ 5 સુવિધિનાથ તીર્થંકર પરમાત્માનો છે એટલે તેણે ત્યાં જ પ્રભુને વંદન કર્યું. આ સમયે રામા રાણીએ તીર્થંકર છે
suuuuuuuu(૬૭)
માઘાન
29
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org