________________
-
-
( શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું ચરિત્ર |
-
-
જ્ઞાનની દિવ્ય જ્યોતિ દ્વારા અજ્ઞાનના અંધકારને દૂર કરનાર હે મા શારદા ! ચંદ્ર જેવી ઉજ્જવળ કાંતિ અને મોહરૂપી અંધકારને દૂર કરનારી પરમ જ્યોતિ ધરાવનાર શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ચરિત્ર કીર્તન કરવામાં આપની કૃપાદૃષ્ટિની સાર્થક્તા પ્રાપ્ત થાઓ !
[II ભવ પહેલો પૈll|
ઘાતકી ખંડના મંગળાવતી વિજયમાં રત્નસંચયા નામે નગરીને વિષે પદ્મ નામે રાજા હતો. રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તતા હતા. છતાં રાજા ધર્મપાલનને ભૂલ્યો ન હતો. ધીમે ધીમે સંસાર પરથી મોહમાયા દૂર કરી પદ્મ રાજાએ યુગંધર મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. વિવિધ અભિગ્રહોને ધારી, તપત્યાગમાં સંયમ જીવન ગાળી, ઉત્તમ એવા વીશ સ્થાનકનું આરાધન કરી તીર્થંકર નામકર્મ બાંધ્યું. સમયાંતરે આયુષ્ય પૂર્ણ કર્યું.
SUNIL
ભવ બીજો II]
* પદ્મ રાજાએ મુનિપણામાં ઉત્તમ પુણ્ય બાંધ્યું તેનાં પરિણામે તે વૈયંત નામના વિમાનમાં દેવ તરીકે | ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમનું સુખપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું.
S
|
ભવ ત્રીજો ગી
આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામે નગરીમાં મહાસેન રાજા હતા. રાજ્યની અંદર કોઈ વાતની કમી ન હતી. રાજા સર્વ બાબતમાં પરમ પ્રતાપી હતો. તે રાજાને સંપૂર્ણ ગુણ-લક્ષણોવાળી લક્ષ્મણા નામે રાણી હતી. બન્નેની ખુશી જોઈ દેવલોકના દેવો પણ જાણે ઈર્ષા કરતા.
સમય જતા વૈયંત વિમાનમાંથી વેલો પદ્મરાજાનો જીવ લક્ષ્મણા રાણીની કુક્ષીમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. એ શુભ દિવસ એટલે ચૈત્ર વદ પાંચમ જ્યારે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં બિરાજમાન હતો.
અનુષ્મ પોષ વદ બારસના દિવસે ચંદ્ર જ્યારે અનુરાધા નક્ષત્રમાં હતો ત્યારે લક્ષ્મણા રાણીએ ચંદ્રના લાંછનવાળા ચંદ્રવર્ણા પુત્રને જન્મ આપ્યો. આ સમયે ઈન્દ્રનું આસન કંપિત થતા, અવધિજ્ઞાન વડે ઈ પ્રભુનો જન્મ થયો જાણ્યું. તરત જ દેવદુભિ થઈ અને સર્વ ઈન્દ્રો, દેવતાઓ, દિકકુમારિકાઓ, દેવીઓ સૌએ મળી પ્રભુનો જન્મોત્સવ ઉજવવા તૈયારી કરી. માતા પાસે આવી નમસ્કાર કરી, સ્તુતિ કરી તેઓએ સૂતિકાકર્મ કર્યું. કે પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રનું પાન કરવાની ઈચ્છા થઈ હતી એટલે પુત્રનું નામ ચંદ્રપ્રભ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org