SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ | સર્ગ તેરમે. હ૦ [ દમયંતી સમક્ષ હસે વર્ણવેલ નળચરિત્ર ] مهمه في فيفارقحابفدع 4 ગંગા નદીના જળથી શોભતા આ આર્યાવર્ત દેશમાં નિષધા નામની નગરીમાં ૌ દક્ષ્મવીરસેન નામનો રાજા છે. તે રાજાની ચારિત્રશીલ રૂપવતી નામની રાણી કે જે પૂર્વભવમાં ચંદ્રની ભગિની-લક્ષમી હતી તેણે ગર્ભ ધારણ કર્યો. બાદ વ્યાધિના પ્રતિકારની માફક નિરંતર દાન દેતી તેણી અતિશય હર્ષને કારણે પાત્ર યા અપાત્ર તેમજ સમયાસમયને પણ જાણતી નથી, અર્થાત તે નિરંતર સર્વ કાળે દરેકને દાન આપતી હતી. આવા પ્રકારની શ્રેષ્ઠ ભાવના દ્વારા મહાભાગ્યેાદયને સૂચવતી તેણીએ પૂર્વ દિશા જેમ સૂર્યને પ્રગટાવે તેમ યોગ્ય સમયે એક પુત્રને જન્મ આપ્યો. ઉભય મહાગની પ્રાપ્તિ થતાં સૂર્ય મેષ રાશિના પૂર્વ અંશમાં આવ્યો ત્યારે તેમના જન્મ સમયે દિનલન ઉચ્ચ સ્થાને રહેલા પાંચ શ્રેષ્ઠ ગ્રહ યુક્ત હતું. દાન દેવાથી જેમ સંપત્તિ, જ્ઞાનથી જેમ સુશીલપણું, વિનયથી જેમ વિચક્ષણતા દીપી નીકળે તેવી રીતે તે રૂપવતી પુત્રથી શોભી રહી હતી. નિ:સ્પૃહી આ પુત્ર, ધર્મ ખાતર અર્પણ કરાયેલ ધન સજજન પુરુ પાસેથી હરી લેશે નહિ એમ સમજીને ચતુર કુટુંબીવગે તેનું “નલ” એવું નામ પાડયું. બાદ જેવી રીતે વૃક્ષો ઉપરના પુપમાંથી પવન સુગંધ હરી લે તેવી જ રીતે નળે અધ્યાપક વર્ગના મુખદ્વારા સમગ્ર શાસ્ત્રો શીખી લીધાં. કાર્તિકેય જેવા પરાક્રમી નળ છ અંગો, ચાર વેદે, છ દર્શન, છ પ્રકારના રસશાસ્ત્ર, અને છે પ્રકારની ભાષાતત્વને જાણે છે. વધારે કહેવા માત્રથી શું ? આ વિશ્વમાં જે કંઈ હેય, ય ને ઉપાદેય છે તે સર્વ અસાધારણ બુદ્ધિશાળી નળ જાણે છે. હે સુંદર અંગવાળી દમયંતી ! હું તેના સોભાગ્યશાળી ગુણનું શું વર્ણન કરું ? તેને જોતાં જગત પર જાણે ગુણને રાશિ ઉદ્દભવ્યા હોય તેમ જણાય છે. કોઈ એક દિવસે પિતાના ઘોડેસ્વાર સહિત અન્ધક્રીડાંગણમાં ગયેલ તે અશ્વ દ્વારા હરણ કરાઈને અહેરાત્રિ વ્યતીત થયા બાદ કેઈ એક વન મળે આવી ચઢ્યો. ત્યાં આગળ કોઈ એક સરોવરને કાંઠે થાકી ગયેલા ઘોડા પરથી નીચે ઊતરીને સ્નાન કર્યા બાદ તેણે કરુણ વાર સાંભળ્યું, એટલે પીડિત પ્રાણનું રક્ષણ કરવામાં તત્પર તે “આ શું?” એમ જાણવાને માટે તે અવાજને અનુસારે આગળ જતાં કોઈએક શીશમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy