SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સુદામાચરિવરની ધર્મદેશના. [ ર૮૯ ] રાજ્યનો ત્યાગ કરીને, મેહ રહિત બનેલ હું તપવનમાં જાઉં. મારા પૂર્વજો વૃદ્ધાવસ્થામાં રાજ્યમહેલમાં કદી પણ શયામાં સૂતેલા નથી. પૂર્વના સુકૃત્યને જાણતી દમયંતી પણ હમેશાં મને તપસ્યાને માટે ઉપદેશ કરી રહી છે, પરંતુ ન પૂરી શકાય તેવી મારી કામવાસના દૂર થતી નથી. ” આ પ્રમાણે મનમાં વિચાર કરીને નલરાજાએ ચારિત્ર ગ્રહણ કરવાની સુંદર ભાવના કરી તેવામાં “વનમાં શાસ્ત્રના પારગામી સુદામા નામના મુનિવર પધાર્યા છે.” એવી વધામણ વનપાલકે આવીને આપી. - S A -- - તો સગ બીજે નામ ન (સુદામા સૂરિમહારાજની ધર્મદેશના ] 2012.gadgovoautoહું પોતાના ભવભ્રમણને સાંભળીને શાંત બનેલા નળરાજા મુનિસેવાવડે પિતાના 8ooooooooooo- આત્માને પવિત્ર બનાવવાને માટે દમયંતી સહિત સુદામા મુનિવરની સમીપે ગયા. વિધિપૂર્વક નમસ્કાર કરીને, મુનિઓને વિષે કેશરીસિંહ સમાન તે સુદામા મુનિની સમક્ષ, મહામેરૂપી હસ્તીને વિહ્વળ બનાવતા નલરાજા બેઠા. મુનિરૂપી મેઘરાજે નલરાજાના હદયરૂપી ક્ષેત્રમાં વ્યાપી રહેલા અને મુક્તિરૂપી લતાના મૂળ સમાન વેરાગ્ય ભાવને પિતાના ઉપદેશરૂપી જળવૃષ્ટિથી સિંએ અર્થાત્ નલરાજાના વૈરાગ્યની વૃદ્ધિ કરી. “હે રાજન ! જગતમાં અસાધારણ પરાક્રમી પુરુષમાં તમે મુખ્ય છે, કારણ કે બાહ્ય શત્રુઓને જીતીને હવે તમે અંતરંગ શત્રુઓને જીતવાને ઈચ્છા છે. સુરાસુરને જીતી લેનાર આ અંતરંગ શત્રુઓ ક્રીડામાત્રમાં જીતી શકાય તેવા નથી. ફક્ત મનુષ્ય જ વૈરાગ્યને કારણે ઉદ્યમ કરવાથી પુરુષાર્થ કરવાથી તે જીતી શકે છે. રાગાંધ પુરુષોને ક્ષણિક વૈરાગ્ય થાય છે, તે મોહગર્ભિત વૈરાગ્ય હોઈને નિષ્ફળ નીવડે છે. જ્ઞાનગર્ભિત વેરાગ્ય જ શાશ્વત છે. ખરેખર તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ ગમે તે સ્થળે ગમે તે વ્યક્તિનું કાર્ય સાધી શકે છે. ૩૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy