SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ નળ તથા દમયંતીને પૂર્વભવ. [ ૨૮૫ ] વાયુ તથા વૃષ્ટિની પીડાને પાર કરી ગયા. પછી તે મુનિવરને નમસ્કાર કરીને ધન્ય મીણ વાણીથી પૂછયું કે-“હે પૂજ્ય! કયાંથી આવે છે અને આપને કઈ દિશા તરફ જવાની ઈચ્છા છે? તે આપ જણાવે.” મુનિવરે જણાવ્યું કે –“ મારા ગુરુવર્યને વાંદવાની ઈચ્છાથી હું પાંડય દેશમાંથી લંકા તરફ જઈ રહ્યો છું, પરંતુ માર્ગમાં જ હમણાં વર્ષઋતુ આવતી જાણીને તેમજ પૃથ્વી પર અત્યંત છત્પત્તિ થવાને કારણે આ સ્થળે જ ચાતુર્માસ વ્યતીત કરવા માગું છું.” આ પ્રમાણે મુનિવરનું કથન સાંભળીને, પિતાના આવાસે તે મુનિવરને લઈ જવાને માટે ધન્ય, કાદવ થઈ ગયો હોવાથી બેસવા માટે પાડે આપે ત્યારે “અમારે વાહન પર ચડવું એગ્ય નથી.” એમ કહીને તે મુનિશ્રેષ્ઠ તેની સાથે જ નગરમાં પગે ચાલતાં ગયા. પિતાના ઘરે, ભક્તિતત્પર ધન્ય અમૃત સરખા દૂધથી તે મુનિશ્રણને પુણ્યના કારણરૂપ પારણું કરાવ્યું. તે મુનિવર પણ ધુસરી તેમજ ધન્યને ધર્મોપદેશ આપીને, વર્ષાઋતુને સમય વીતાવીને, પોતાના ગુરુ પાસે લંકા નગરી તરફ ચાલ્યા ગયા. ધર્મરૂપી સંપત્તિ દ્વારા સુંદર ગૃહસ્થ ધર્મને ધારણ કરતાં તે બંને વૃદ્ધ બન્યા. અંતસમયે સર્વ સંગનો ત્યાગ કરીને, ધૈર્યશાલી તેમજ મહાવ્રતધારી તે બંનેએ પિતાના દેહને ત્યાગ કર્યો અને ત્યારબાદ નિરંતર સુખદાયી સ્વર્ગ સરખા હિમવત ક્ષેત્રમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયા. તે હૈમવત ક્ષેત્રમાં સુવર્ણની ભૂમિ છે, પક્ષીઓ મધુર સ્વરવાળા છે, પાછું નિર્મળ અને શીતલ છે અને પવન સુખકર વાય છે. તે ક્ષેત્રમાં આયુને અંતે યુગલિક એક યુગલને જન્મ આપે છે અને ૭૯ દિવસ પર્યન્ત તે યુગલની લાલનપાલન કરીને વગે જાય છે. તે ક્ષેત્રમાં કલ્પવૃક્ષો વસ્ત્ર, પાત્ર, ઘર, પુષ્પમાળા, શય્યા, ભજન અને આસન વિગેરે સર્વ વાંછિત વસ્તુઓ આપે છે. તે યુગલિક પણ હિમવંત ક્ષેત્રના ભાવોને સંપૂર્ણપણે અનુભવીને મહેન્દ્ર નામના દેવલેકમાં દેવ-દેવી તરીકે ઉત્પન્ન થયા. તેજસ્વી દેહને ધારણ કરતાં ક્ષીરડિડિર અને ક્ષીરડિડિરા નામના તે બંને દેવ-દેવી અસ્પરસ અત્યંત સનેહભાવથી રહેતા હતા. તે માહેંદ્ર દેવલોકમાં સાત સાગરોપમ અને એક પાપમનું આયુષ્ય ભોગવીને, ત્યાંથી આવીને તમે બંને નલ તથા દમયંતી તરીકે ઉત્પન્ન થયા. પૂર્વે તે જે મુનિને સાર્થથી વિખૂટા પાડ્યા હતા તેથી આ ભવમાં તને તારી પત્ની દમયંતી સાથે વિયોગ થયે. જો, તે સમયે, તેં તે મુનિવરને ખમાવ્યા ન હતા તે આજે તારો વિરહાનલ કઈ રીતે શાંત બનત ? ધન્યના ભવમાં મુનિવરના મસ્તક પર જે તે છત્ર ધારણ કરી રાખ્યું હતું તેથી આ ભવમાં તને એકછત્ર સામ્રાજ્ય પ્રાપ્ત થયું. વીરમતીના ભાવમાં દમયંતીએ અષ્ટાપદ પર્વત પર શ્રી તીર્થકર ભગવંતના ભાલપ્રદેશમાં જે તિલકે સ્થાપિત કર્યા હતા તેને લીધે દમયંતી, લલાટને વિષે અત્યંત તેજસ્વી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy