SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૬ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૭ મે. સર્ગ પાંચમે. સર્ગ પાંચમે. (દમયંતીને અનશન કરવાનો વિચાર: : કેશિની નળને ઉપાલંભ તેમજ કુન્જ નળનું મૂળ સ્વરૂપે પ્રગટ થવું.] illiiiiiiiiiiiiiiiiiા ૬ ઉપર પ્રમાણેનું દમયંતીનું કથન સાંભળીને ઇંદ્રની સરખી કાંતિવાળા, હદયમાં Tuuuuuuuuuuuu-« ચિત્રવિચિત્ર ભાવોને ધારણ કરતાં નળે ફરીથી કહ્યું કેહે દમયંતી ! હે પૃથ્વી પરની સરસ્વતી! અશ્વવિદ્યા ને સૂર્ય પાક રસાઈને કારણે મારા જેવા કુબડા વિષે જે તને નળની ભ્રાંતિ થઈ છે તે વૃથા છે. હું નલ રાજાને અત્યંત વિશ્વાસપાત્ર સેવક હતું તેથી તેમણે પ્રેમપૂર્વક સમસ્ત કલાઓ મને શીખવી છે. પૂર્વે તમે મને જોયેલ છે, અત્યારે તમે તે હકીકત યાદ કરો. મોટા પુરુષને પૂર્વની સ્મૃતિ બહુ અ૯પ હેાય છે. તમને અહીં રહેલા જાણુને, સ્વામીભક્તિમાં પરાયણ હું તમારી સેવા કરવાને માટે અહીં આવ્યો છું. હે ચતુર ! હે સર્વાંગસુંદરી ! ઋતુપર્ણ રાજાની રજા લઈને મારા સ્વામીની પત્નીની હું સેવા કરીશ.” આ પ્રમાણે કુજ નલ બોલી રહ્યો હતો ત્યારે, જેને સંદેહ ને દૂર કરી શકાય તેવી દમયંતીએ, કેશિની પ્રમુખ સખીઓ પ્રત્યે જઈને અશ્રુ વહાવવાપૂર્વક કહ્યું કે–“જે તમને તમારા કુટુમ્બીજનનું પ્રયોજન નથી, તે પછી જેમાં ફક્ત એકલે કઠશોષ જ થવાનો છે એવા તમારી સાથેના વિવાદથી શું ફલ સમ્યફ પ્રકારે તમને પકડી લેવા છતાં તમે હાથમાંથી શા માટે છટકી જાવ છો? ખરેખર, મંદ ભાગ્યવાળાના ઘરમાં શું ચિંતામણિ રતન ટકી શકે? હે રાજન! મારા પ્રત્યે અસત્ય બોલતાં વજી સરખા તમારા વિષે મારા સર્વ પ્રકારનાં ઉપાયે નિરર્થક બન્યા છે. અત્યાર સુધી, તમારી આશાને લીધે હું જીવી રહી છુંહવે મને જીવવાનું કશું પણ કારણ નથી. જો તું નલ નથી અને વાસ્તવિક રીતે મુજ જ છે તો મારી હત્યાના પાપથી તું લેપાઈશ નહીં. હવે હું ચારે પ્રકારના આહારનું પચ્ચકખાણ કરું છું, જેથી મારા આ ભવ પર્યાપ્ત બને.” આ પ્રમાણે બાલીને ચતુર્વિધ આહારના પચ્ચકખાણ કરવા માટે દમયંતી સજજ થઈ તેવામાં શોકથી વ્યાપ્ત તેને સખીસમૂહ અચાનક રુદન કરવા લાગ્યા. અસાધારણ શોકકુળ વાતાવરણને ઊંચું મુખ રાખીને જેતે ઇંદ્રસેન પણ પિતાના બહેન ઇસેના સહિત તત્કાળ કરુણ ધ્વનિથી રડવા લાગ્યું. તે સમયે દમયંતીની દાસીઓએ મસ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy