SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ચારણ મુનિએ કહેલ કેશિનીને પૂર્વ વૃત્તાંત. [ ર૧૯] પૂર્વે રથનૂપુર નગરમાં હું એકદા ગયે હતો. ત્યાં રોહિણને પુત્ર બહદ્રથ નામને વિદ્યાધર રાજા છે. તેની કેશિની નામની પુત્રીને માટે વૈરાટયા ગોત્રવાળા ખગી નામના વિદ્યાધર સાથે યુદ્ધ થયું. તે મહાભયંકર યુદ્ધમાં વિદ્યાના મદથી ગર્વિષ બનેલા ખગ્ગી વિદ્યારે બ્રહદ્રથના સૈન્યને સપૅસ્ત્ર(નાગાસ્ત્ર)દ્વારા વ્યાકુળ બનાવ્યું. બૃહદ્રથના કરેલા પ્રહારે વિદ્યાથી સમાઈ જતા હતા અને સર્પનો પ્રતિકાર કેમ કરો તે જાણતા નહેતા, એટલે વિદ્યાધરોના સ્વામી બલિ નામના વિદ્યાધરેંદ્રના પુત્ર, ગરુડના વરદાનથી ગવીંછ બનેલા મહાબલને લાવીને, તેની સાથે કેશિનીને પરણાવીને, જમાઈ એવા તે મહાબલને ખગ્ગી વિદ્યાધર સાથેના યુદ્ધમાં સેનાપતિ તરીકે સ્થાપન કર્યો. ગરુડે આપેલા, જેવા માત્રથી વિષને હણનારા વસ્ત્રાભરણેને ધારણ કરનાર મહાબલે નાગાસને નિષ્ફળ નાવ્યું. મહાબલે કરેલા રક્ષણથી યુદ્ધમાં ખડગીનો સંહાર કરીને, જય પામેલા બહથે તેનું સમસ્ત રાજ્ય લઈ લીધું. રાજ્યથી ભ્રષ્ટ બનેલા અને વિશ્વમાં પરિભ્રમણ કરતાં ખગ્રીના પાશ્વ નામના પુત્ર મહાબલના વધને માટે વિદ્યાની સાધના શરૂ કરી, એટલે આરાધના કરવામાં કુશળ અને મહાતેજસ્વી તેને દેવીએ, એક પુરુષને હણનાર એ નાગપાશ હર્ષપૂર્વક આપે. છળ અને શક્તિથી અધિક કર્કોટક નામના નાગપાશને ધારણ કરતાં પાર્શ્વ કુમારે વનમાં વિહાર કરતાં મહાબલ સામે હુમલો કર્યો. તે સમયે મહાબલ કુમાર, ગરુડે આપેલા વસ્ત્રાભરણે પિતાની પત્ની કેશિનીને સંપીને સ્વતંત્ર રીતે તે વનપ્રદેશમાં ફરી રહ્યો હતો. ક્રોધને લીધે રક્ત નેત્રવાળા તે બંનેનું તે સ્થળે યુદ્ધ થયું અને નાગપાશથી મહાબલકુમારને પાકુમારે બાંધી લીધે. મહાબલના સુભટોના ભયને લીધે પાશ્વકુમાર વેગપૂર્વક ત્યાંથી ચાલ્યો ગયો. છિદ્રને જેનારા સર્વે શું નાસી જતા નથી? એવામાં મહાબલ પ્રિયા કેશિની પાસે કઠાના દાબડામાં રહેલા અને ગરુડે આપેલાં વસ્ત્રાભૂષાને પહેરવા માટે જદી જાય છે તેવામાં દિવસે સૂતેલી કેશિનીના ઓશીકા નીચેથી તે દાબડાને કપટપૂર્વક ઉપાડીને કર્કોટક ચાલ્યા ગયા. નાગપાશથી બંધાવાને લીધે સર્વ અવયવોથી ઝકડાએલ મહાબલ કલાવાન હોવા છતાં જડ બની ગયો. ત્યારે તેને ચિત્રમાં આળેખાએલાની માફક ચેષ્ટારહિત અને લાકડા જેવો નીરખતી તેમજ શોથી વ્યાકુળ બનેલી કેશિની ઉચ્ચ સ્વરે રડવા લાગી. સર્વ સ્થળે યત્નપૂર્વક શોધ કરવા છતાં કોઠાના દાબડાને નહીં જેતી, ગરીબડી અને શોકને કારણે માથું કૂટતી કેશિની તેને કોઈ પણ સ્થળે મેળવી શકી નહીં. હવે સર્ષરૂપી વમળમાં સપડાએલા જમાઈ મહાબલને નીરખીને પિતાને અનાથ જાણતે બ્રહદ્રથ વિલાપ કરવા લાગે, પ્રમાદી બનેલી કેશિનીની વારંવાર નિંદા કરવા લાગ્યા અને પિતાના દુર્ભાગ્યને પણ તિરસકારવા લાગ્યા. પુત્રના દુઃખને સાંભળીને શોકને લીધે વ્યાકુળ બનેલ બલિ વિદ્યાધર રાજાએ ત્યાં આવીને, દીર્ઘ રુદન કરવાપૂર્વક દેવને અત્યંત ઉપાલંભ આપે. તે સમયે જેણે પાન તથા ભેજનનો ત્યાગ કર્યો છે તે અને રાત્રિદિવસને નહીં જાણતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy