SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ - - - શ્રી શાંતિનાથ ભગવંતની કરેલી આરાધના. [ ૧૭ ] XXXXXXXX સર્ગ ઓગણીસમે. [ શાંતિનાથ ભગવંતની મૂર્તિની દમયંતીએ કરેલ રચના. ] થ કલેશ રહિત બનેલી ઇન્દ્રિયોનું દમન કરનારી અને ચતુર દમયંતીએ અનંત Sતાના નાના તારૂ નામના તે મુનિવરને જણાવ્યું કે –“હે પૂજ્ય! હૃદયને અસર કરે તેવા મનહર દષ્ટાન્તવાળા આપના વચનોથી, જે કે પીડિત હોવા છતાં મારું મન કઈ આધાર (આશ્વાસન ) યુક્ત બન્યું છે, તે હવે મને કઈંક આજ્ઞા આપો અને કઈક પણ દિશાસૂચન કરો. હું શું કરું? ક્યાં જાઉં ? કયાં રહું? અને તેનું સ્મરણ કરું?” એટલે અનંત મુનિવરે જણાવ્યું કે–“હે પુત્રી તે ઠીક પૂછયું. સાંભળ. હમણાં તે હે કલ્યાણી ! તું અહીં જ રહે. મને લાગે છે કે-તને તારા કુટુમ્બીજનેને મેળાપ લાંબે સમયે થશે. વર્ષાકાળ અત્યારે આવી પહોંચે છે અને તારા જવાનો માર્ગ મુશ્કેલીભરેલો છે, તે અહીં જ શ્રી શાંતિનાથ ભગવંતની વાલુકા(રેતી)ની પ્રતિમા બનાવ અને તે શુભે! હે પુણ્યવતી ! તને તેમની આરાધનાની વિધિ કહું છું.” બાદ દમયંતીએ બનાવેલ પ્રતિમાને મંત્રાધિષિત બનાવીને, તેણીને તે પ્રતિમા સેંપીને વિચક્ષણ અનંત મુનિવર્યો દમયંતીને જણાવ્યું કે-“હમેશાં આયંબિલનું તપ કરીને તું ત્યાં સુધી આ શ્રી શાંતિનાથ પરમાત્માની પ્રતિમાનું આરાધન કર કે જ્યાં સુધી કઈ પણ વ્યકિત આવીને તારી પાસે આ પ્રતિમાની માગણ ન કરે. હે રાજકુમારી ! શ્રી શાંતિનાથ ભગવંતના પ્રભાવથી જેમાં દરેક પ્રાણીઓએ વેર-વિરોધ ત્યજી દીધા છે એવા આ પર્વત પર રહેતા તને, મન, વાણુ કે કાયાને લેશકારી એક પણ ઉપદ્રવ થશે નહીં.” આવી રીતે ગુરુમહારાજે આપેલ દુઃખને નષ્ટ કરનારી શિક્ષાને હૃદયમાં ધારણ કરીને, તેમને પ્રણામ કરીને હર્ષ પામેલી દમયંતીએ કહ્યું કે –“હે પૂજ્ય ! મારા પુદયને કારણે આપે મને કૃતકૃત્ય બનાવી છે. હે મુનિશ્રેણઆ શ્રી શાંતિનાથ ભગવંત, મારા સ્વામી નલ અને આપ ત્રણે ક્ષમાધારીઓમાં શ્રેષ્ઠ છે. નળના વિરહમાં તમારા આદેશથી શ્રી શાંતિનાથ ભગવંતનું પૂજન કરતી હું અહીં જ રહીશ.” આ પ્રમાણે બોલતી દમયંતીની રજા લઈને તે મુનિએ આકાશમાગે જલદી ચાલ્યા ગયા અને ઉત્તમ શીલવતી દમયંતી પર્વતની ગુફામાં રહેવા લાગી. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy