SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૨ ] શ્રી દમયંતી ચરિત્ર : રકંધ ૫ મો. સર્ગ સત્તરમો. ત્રિ લેકે! મેં જે કંઈ અગ્ય આચરણ કર્યું હોય તેની માફી આપ.” આ રીતે શંખરાજાના મુખમાંથી નીકળતાં કર્ણકઠોર વચનને સાંભળીને પ્રલયકાળે ક્ષુબ્ધ બનતાં સાગરની માફક સમગ્ર જનસમૂહ વ્યાકુળ બની ગયે. સાહસપૂર્વક અગ્નિમાં નૃપાપાત કરતાં શંખ રાજાને રોકવા માટે કેઈપણ કુટુંબીજન કે મિત્ર શકિતમાન થઈ શકશે નહીં તેમજ કૂર્મ નામને કંચુકી અને સપ્તલા નામની ધાવમાતા વિગેરે કલાવતીને પરિવાર વર્ગ પણ, પિતાના જીવિતને ત્યાગ કરવાની ઈચ્છાથી ચિતામાં પડવા તૈયાર થઈ ગયા. “અરે! નિમેષ માત્રમાં આ શું થઈ ગયું? એકી સાથે જ શિલાઓનું પતન કેમ થયું ? હવે આપણા દેશનું શું થશે? ખરેખર અસાધારણ પ્રેમ (પ્રીતિ) પરિણામે સુખકારક નથી, કારણ કે તેમાં ભંગ પડતાં બંને પ્રીતિપાત્રો મૃત્યુને આધીન બને છે. કલાવતીની વાણી હમેશાં ચતુરાઈવાળી તેમજ મધુર હોય છે તે રાજા સારી રીતે જાણે છે તે અગ્નિમાં ઝુંપાપાત કરવાને આ બનાવ કેમ બની રહ્યો છે? રાજાને મૂર્ખ પરિવારવર્ગને ધિક્કાર હે! બુદ્ધિહીન વ્યક્તિ સવામીનું શું શું વિરુદ્ધ કર્તવ્ય ન કરે? અથવા તે આ વિષયમાં કોઈને દોષ જણાતું નથી, ફક્ત એક દેવને જ દેષ જણાય છે. ભદ્ધિક લેકેનું પણ અમંગળ કરતાં તે દેવને શરમ નથી આવતી.”—આ પ્રમાણે શોકને કારણે સામાન્ય જનસમૂહ બેસી રહ્યો હતો તેવામાં વસુભૂતિ નામના મંત્રીએ આવીને રાજાને જણાવ્યું કે હે રાજન! મહેરબાની કરી અને તમે સમજો. ન્યાયની દષ્ટિએ વિચાર કરે. સમજણ વગરનું એક કાર્ય કરીને હવે આ બીજું અકાર્ય કરતાં અટકે. સર્વસવ ચાલ્યું જતું હોય અને ભયંકર દુઃખ આવી પડયું હોય તે પણ પ્રાણ ત્યાગ કરવા માટે નીતિકાર (શાસ્ત્રકાર) આદેશ આપતા નથી. રાજ્ય ત્રણ વર્ગ(ધર્મ, અર્થ ને કામ)ને સાધી આપનાર છે, મૃત્યુ પામનારને તે ક્યાંથી પ્રાપ્ત થાય? યત્નપૂર્વક જીવનનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે જીવતે મનુષ્ય બધી વસ્તુઓ મેળવી શકે છે. (જીવતો નર ભદ્રા પામે, ) હે સ્વામિન્ ! તમે મૃત્યુ પામે છતે કલાવતી કયાંથી મળશે ? વળી, આ રાજ્યને શત્રુઓ મૂળમાંથી ઉખેડી નાખશે. મૃત્યુ પામવાની ઈચ્છાને ત્યાગ કરે, ધીરજ ધારણ કરે અને શાકને ત્યજી દે. તેમજ ગર્ભવતી કલાવતીની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે. હજી કંઈ લાંબે સમય વ્યતીત થયે નથી એટલે તે જીવતી મળી આવશે. આ પ્રમાણેની હસ્ત- છેદનરૂપી કદર્થને કંઈ મૃત્યુ પમાડનારી બનતી નથી, તે દેવી કલાવતીની શોધખોળ માટે સજજ થાઓ ! ફેગટ મૃત્યુ પામવાથી શે લાભ? ઉતાવળે જીવનને ત્યાગ કરે તે પશુક્રિયા છે, મૂર્ખનું આચરણ છે એ કંઈ પુરુષાર્થ નથી. * ઉપર પ્રમાણેના મંત્રી વસુભૂતિના વચને વિચારીને કલાવતીની શોઘખેળ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy