SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬૮] શ્રી દમયંતી ચરિત્ર : સ્કંધ ૫ મો. સર્ગ બીજે. શાપ આપે હશે ? શું મેં અભિમાન કર્યું હશે ? શું મેં બીજાઓની નિંદા કરી હશે? કે જેથી મારા પતિનો વિયોગ થયે. શું મેં સરોવરની પાળ તેડી હશે? નવા ઊગતા વૃક્ષની શાખાઓને શું મેં તોડી નાખી હશે? મધમાખીઓએ છત્રાકાર બનાવેલ મધપુડે શું મેં નષ્ટ કર્યો હશે? કે જેથી મને મારા સ્વામીને વિયાગ થયે.” આ પ્રમાણે ઘણે વિલાપ કરીને વ્યાકુળ બનેલ દમયંતીએ વસ્ત્રના છેડાથી અશ્રુ લૂંછી નાખ્યા તેવામાં તે વયના છેડા પર નલ રાજાએ લહીથી લખેલ અક્ષર પંક્તિ જોઈ. તે અક્ષરપંક્તિને જોઈને, તેનો ભાવ બરાબર સમજીને, તે અક્ષર પંક્તિને મસ્તક પર ચઢાવીને, ચાલ્યા ગયેલા નળરાજા પોતાના પ્રત્યે રાગી-નેહાળ છે તેમ તેણે માન્યું. પછી શાક ઓછો થવાથી ગદગદ સ્વરવાળી દમયંતી ભાવભાવને કારણે મોહવશ બનવાથી નલને ઉદ્દેશીને ફરી કહેવા લાગી. હે રાજન ! પૂર્વે નગર, વૃક્ષ, નદી અને પર્વતવાળી પૃથ્વીનું તમે પાલન કર્યું હતું, તો અત્યારે એકલી, તમને અનુસરનારી એવી પ્રિયાને સ્વીકારવાને ( સાથે રાખવાને ) તમે શું સમર્થ ન બની શક્યા ? વૃષભેને પોતાના બંને શીંગડા ભારે પડતા નથી, હસ્તીઓને પિતાના બંને દંતુશળ દુઃખદાયી બનતા નથી. તેમજ ભરેલા ઘડાને ઢાંકવાથી કંઇપણ ભાર થતો નથી તે કઈ વ્યક્તિને પરણેલી સ્ત્રી દુઃખદાયક બને છે? નદી સમુદ્રને ઉદ્દેશીને વહે છે, લતાને સમૂહ વૃક્ષને વીંટળાઈ વળે છે, તેમ કુલીન સ્ત્રીઓને પતિ એ જ ગતિ ( આશ્રય) છે તો હે નાથ ! તમે કહો કે મારો તમે શામાટે ત્યાગ કર્યો? હે સ્વામી ! રાજાઓનાં અભિમાનનો નાશ કરે એ તો તમારું હંમેશનું સાહસ (કર્તવ્ય) હતું તો હે નરેદ્ર! ધૂતક્રીડાને વશ બનવાથી તમે કેમ હારી ગયા ? હે રાજાધિરાજ ! ખરેખર હું તમને ખોટું કલંક આપી રહી છું. કોઈ મહાયંતરે તમારા માં વાસ કર્યો છે, તે વ્યંતરે જ તમને દુર્દશાના વમળમાં નાખ્યા છે. અને તેણે જ મને ચિત્રવિચિત્ર લતાની ક્રીડા સરખી ચેષ્ટાઓ કરાવી છે. હવે વિશેષ કહેવાથી શું? દે પણ કહેશે અને કર્મના સાક્ષીભૂત પ્રત્યક્ષ દેખાતા ભુવનતિલક સમાન એવા આ સૂર્યભગવાન પણ કહેશે કે-જ્યાં સુધી મારા સ્વામીના દેહમાં રહીને તે વ્યંતર દુઃખ દેશે ત્યાંસુધી તે વ્યંતર પણ એક ક્ષણમાત્ર સુખ મેળવશે નહીં. પ્રલયકાળના અગ્નિ સરખું દુઃખ તેના ચિત્તને બાળે, તેનું અંગ લક્ષમીની લેશમાત્ર શોભાને ધારણ ન કરો!” આ પ્રમાણે બલીને, નિર્મળ જળથી સ્નાન કરીને, તેણીએ વિશાળ સરોવરના કિનારા પર નિત્યકર્મ કર્યું. જ્યાં સુધી પ્રિયતમ નાનું દર્શન ન થાય ત્યાંસુધી તેણે પુષ્પમાળા, કપૂર, સુખડનું વિલેપન, અલંકારે, સાકર, દહીં, દૂધ અને ઘી વિગેરે ભેજ્ય પદાર્થો, માંગલિક વસ્તુઓ તેમજ આંજણને પણ શોકને કારણે ત્યાગ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy